AHMEDABAD : ત્રિપદા સ્કૂલમાં અંડર ગ્રાઉન્ડ ટાંકીમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ચકચાર
મૃતકનું નામ ભવરલાલ વણઝારા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનો સ્થળ પર પહોંચ્યા હતા. મૃતકના ઘરમાં એક પત્ની અને ત્રણ દીકરી તથા એક બાળક છે. મૃતક ઘરમાં એક જ કમાનાર વ્યક્તિ હતા જેથી આ પરિવાર માથે આભ તૂટી પડ્યું છે.
AHMEDABAD : શહેરમાં નિર્ણયનગર અંડર પાસ પાસે આવેલી ત્રિપદા સ્કૂલમાં અંડર ગ્રાઉન્ડ ટાંકીમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ફાયર બ્રિગેડને ઘટનાની જાણ કરતા ફાયરનો કાફલો સ્થળ પર પહોચ્યો હતો અને મૃતદેહ બહાર કાઢ્યો હતો. સ્કૂલની કામગીરીને લઈને તોડેલા કાટમાળ વચ્ચે અંડર ગ્રાઉન્ડ ટાંકીનો ખ્યાલ નહિ રહેતા બનાવ બન્યો હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. અકસ્માતે ટાંકીમાં પડી જતા ઇજા થતાં મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક તારણ છે.
મૃતકનું નામ ભવરલાલ વણઝારા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનો સ્થળ પર પહોંચ્યા હતા. મૃતકના ઘરમાં એક પત્ની અને ત્રણ દીકરી તથા એક બાળક છે. મૃતક ઘરમાં એક જ કમાનાર વ્યક્તિ હતા જેથી આ પરિવાર માથે આભ તૂટી પડ્યું છે.
આ પણ વાંચો : AHMEDABAD : સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ બેઝ સ્ટાફની હડતાલની ચીમકી, જાણો શું છે કારણ
આ પણ વાંચો : DAHOD : ટ્રક એસોસિએશનની અચોક્કસ મુદ્દતની હડતાલ, સેંકડો ટ્રકના પૈડા થંભી ગયા