Ahmedabad : વસ્ત્રાલમાં વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર છતનો ભાગ ઘરાશાયી થતાં એક શ્રમિકનું મોત
કન્સ્ટ્રકશન સાઈટ પર ટ્રકમાંથી સામાન ખાલી કરતી વખતે કન્સ્ટ્રકશન સાઈટની છતનો ભાગ ધરાશાયી થયો હતો. જેમાં પિન્ટુસિંગ પર છતના સ્લેબનો સામાન પડતા મોત નીપજ્યું હતું.
અમદાવાદ(Ahmedabad) ના વસ્ત્રાલમાં વિસ્તારમાં બાંધકામ(Construction) ની ચાલુ સાઇટમાં છતનો ભાગ ધરાશાયી થતાં એક શ્રમિકનું મોત નીપજ્યું છે. જેમાં અર્પણ ઇન્ટરનેશનલ સ્કૂલ પાસેની સુરયમ અનંતા કન્સ્ટ્રકશન સાઈટ પર ટ્રકમાંથી સામાન ખાલી કરતી વખતે કન્સ્ટ્રકશન સાઈટની છતનો ભાગ ધરાશાયી થયો હતો. જેમાં પિન્ટુસિંગ પર છતના સ્લેબનો સામાન પડતા મોત નીપજ્યું હતું. જેમાં મૃતકના પરિજનોનો આક્ષેપ છે કે કન્સ્ટ્રક્શન સાઇટ પર સેફટીના સાધનો વગર કામ કરતા હોવાના લીધે આ દુર્ઘટના ઘટી છે . તેમજ મૃતકના પરિવારજનોએ ન્યાયની માંગણી કરી છે.
Latest Videos
Latest News