Ahmedabad : પાંચકૂવા નજીક કામધેનુ માર્કેટમાં આગ, 50 લોકોને રેસ્ક્યૂ કરાયા
અમદાવાદમાં કાલુપુર નજીક પાંચ કુવા ફાયર સ્ટેશન પાસેના કામધેનુ માર્કેટમાં આગ લગતા દોડધામ મચી હતી. આ આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગની 18 ગાડીઓ અને ફાયર અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જેમાં ફાયર વિભાગે આગને મેજર કોલ જાહેર કર્યો હતો. જેમાં પ્રાથમિક તારણમાં ભોંયરામાં કાપડની દુકાનમાં આગ લાગવાનું અનુમાન છે.
અમદાવાદમાં કાલુપુર નજીક પાંચ કુવા ફાયર સ્ટેશન પાસેના કામધેનુ માર્કેટમાં આગ લગતા દોડધામ મચી હતી. આ આગ પર કાબૂ મેળવવા માટે
ફાયર વિભાગની 18 ગાડીઓ અને ફાયર અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જેમાં ફાયર વિભાગે આગને મેજર કોલ જાહેર કર્યો હતો. જેમાં પ્રાથમિક તારણમાં ભોંયરામાં કાપડની દુકાનમાં આગ લાગવાનું અનુમાન છે. જેમાં બપોરે 12 વાગે લાગેલી આગ પર ફાયર બ્રિગેડ 4 વાગે કાબુ મેળવ્યો હતી. કોમ્પલેક્ષના ભોંયરામાં 40 થી વધુ દુકાનો આવેલી છે. જો કે ભોંયરામાં ધુમાડો હોવાથી ફાયર બ્રિગેડના જવાનોને આગને કાબૂમાં લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ફાયર બ્રિગેડે વેન્ટીલેશન ફેન અને ચક્રવાત મશીનનો ઉપયોગ કરી ધુમાડો બહાર કાઢી આગ પર કાબુ મેળવ્યો હતો.
આ આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડના જવાનોએ ધુમાડાને કારણે અંદર જઇ નહિ શકતા ઓક્સિજન સેટ પહેરી સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગની ઘટનામાં 50 થી વધુ લોકોના રેસ્ક્યુ કરાયા હતા. જેમાં પહેલા માળેથી સીડી મૂકીને 10થી વધુનુ રેસ્ક્યુ કરાયુ હતું. જ્યારે કામધેનુ કોમ્પ્લેક્સથી પાંચ કુવા ફાયર સ્ટેશન બિલ્ડીંગ પર સીડી મૂકી 40થી વધુનું રેસ્ક્યુ કરાયુ હતું. જ્યારે રેસ્ક્યુમાં બચનાર અને વેપારીઓએ ફાયર બ્રિગેડની કામગીરીને લઈને કર્મચારીઓનો આભાર માન્યો હતો તેમજ ફાયર બ્રિગેડની કામગીરીને પણ વખાણી હતી.
જો કે આ સમગ્ર ઘટનામાં કોમ્પ્લેક્સમાં ફાયર સિસ્ટમ નહિં હોવાનું સામે આવ્યું છે. તેમજ અગાઉ ફાયર સેફટી બાબતે કોમ્પ્લેક્સને નોટિસ મળી ચુકી છે. આ ઘટના બાદ નિયમ પ્રમાણે કાર્યવાહી કરવા ફાયર અધિકારીએ ખાતરી આપી હતી. જેમાં ભોંયરામાં બે દુકાનમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. જેમાં આગ લાગવાનું સાચું કારણ હજુ સામે આવ્યુ નથી. જેમાં પોલીસ તપાસ બાદ આગ લાગવાનું કારણ અને નુકસાનનો આંકડો સામે આવશે.