અમદાવાદ શહેરમાં વિવિધ પ્રશ્નોને લઇને કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું

કોંગ્રેસના કાઉન્સિલરોના જણાવ્યા અનુસાર લોકો દ્વારા અનેક ફરિયાદો કરવામાં આવી હોવા છતાં તેનો કોઇ યોગ્ય ઉકેલ આવતો નથી. તેમજ માત્ર સાઇટ વિઝિટ કરીને સમસ્યા ઉકેલાઈ ગઇ હોવાની બાબતો પણ સામે આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2021 | 5:30 PM

અમદાવાદ(Ahmedabad) શહેરના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની(Drinking Water)  સમસ્યાને લઈને વિપક્ષ કોંગ્રેસ(Congress) આક્રમક બન્યું છે. જેમાં અમદાવાદ મહાનગરપાલિકાની(AMC)  ટાગોર હૉલમાં યોજાનારી સામાન્ય સભાની બેઠક પૂર્વે કોંગ્રેસના કાઉન્સિલરો દ્વારા પાણીની સમસ્યા મુદ્દે બેનર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમજ આક્ષેપ કર્યો હતો કે સત્તાધારી પક્ષ ભાજપ લોકોને પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ નીવડ્યું છે.

આ ઉપરાંત કોંગ્રેસના કાઉન્સીલર દ્વારા અનેક વિસ્તારોમાં પીવાના પાણી સાથે ડ્રેનેજ લાઇના પ્રશ્નો પણ એટલા જ વ્યાપક હોવાની ફરિયાદ કરી હતી. કોંગ્રેસના કાઉન્સિલરોના જણાવ્યા અનુસાર લોકો દ્વારા અનેક ફરિયાદો કરવામાં આવી હોવા છતાં તેનો કોઇ યોગ્ય ઉકેલ આવતો નથી. તેમજ માત્ર સાઇટ વિઝિટ કરીને સમસ્યા ઉકેલાઈ ગઇ હોવાની બાબતો પણ સામે આવી છે.

અમદાવાદ શહેરમાં મકતમપૂરા, દાણીલીમડા, ગોમતીપુર અને વટવા જેવા વિસ્તારોમાં આજે પણ મહાનગરપાલિકા દ્વારા લોકોને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી પૂરું પાડવામાં નહિ આવતું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. તેમજ આ વિસ્તારમાં લોકોને તેના લીધે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

અમદાવાદ શહેરમાં નવા ઉમેરાયેલા વિસ્તારમાં હજુ પણ પ્રાથમિક સુવિધાના નેટવર્કનું કામ હજુ પણ બાકી છે. તેમજ નવા ભળેલા વિસ્તારમાં પણ કામો બાકી છે. તેમજ જૂના વિસ્તારોમાં મેઈનટેન્સના કામ ચાલુ હોવાના પગલે શહેરીજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ મહાનગરપાલિકાના વહીવટીતંત્ર દ્વારા સમય મર્યાદામાં પ્રશ્નોનો ઉકેલ નહિ આવતા લોકોમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે.

આ પણ  વાંચો : અમદાવાદ શહેરની સુંદરતામાં થશે વધારો, બોપલમાં આકાર પામ્યો ઇકોલોજી પાર્ક

આ પણ વાંચો : ગુજરાતમાં બાળકોના રસીકરણ માટે આરોગ્ય વિભાગ સજ્જ, આવું છે સમગ્ર આયોજન

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">