AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ: નારણપુરાથી જાન લઈને આવેલા વરરાજાએ જય શ્રી રામનો જયઘોષ કરી લગ્નમંડપમાં કર્યો પ્રવેશ- જુઓ વીડિયો

22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામમંદિરમાં ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે ત્યારે હર કોઈ રામભક્તિમાં લીન જોવા મળી રહ્યા છે. અમદાવાદમાં લગ્નપ્રસંગમાં રામભક્તિ જોવા મળી છે. નારણપુરાથી જાન લઈને આવેલા વરરાજાએ જય શ્રી રામનો જયઘોષ કરી લગ્ન મંડપમાં પ્રવેશ કર્યો હતો.

Sachin Kolte
| Edited By: | Updated on: Jan 21, 2024 | 7:39 PM
Share

અયોધ્યામાં નવનિર્મિત ભવ્યાતિભવ્ય રામ મંદિરમાં ભગવાન શ્રી રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. આ મહોત્સવને લઈને દેશભરમાં દિવાળી જેવો માહોલ છે. દરેક દેશવાસીઓ આ ઐતિહાસિક પળના સાક્ષી બનવા માટે રામમય બન્યા છે. ત્યારે અમદાવાદમાં લગ્નપ્રસંગોમાં પણ રામભક્તિ જોવા મળી રહી છે. નારણપુરાથી જાન લઈને આવેલા વરરાજા કેયુરે જય શ્રી રામનો જયઘોષ કરી લગ્નમંડપમાં પ્રવેશ્યા હતા. આ દરમિયાન ત્યાં હાજર સહુ કોઈએ જય શ્રી રામનો જયઘોષ કર્યો હતો

નારણપુરાથી અશ્વ પર સવાર થઈ વરઘોડો લઈ સીટીએમના કુશાભાઉ ઠાકરે હોલમાં પહોંચેલા વરરાજા કેયુરે બંને હાથમાં ભગવાન રામચંદ્રના ધજા પતાકા લઈ રામના રંગે રંગાયા હતા. નારણપુરાથી સીટીએમ જાન લઈને આવેલા સમસ્ત જાનૈયાઓએ પણ ડીજેના તાલે ભારત કા બચ્ચા બચ્ચા જય શ્રી રામ બોલેગાની ધુન પર નાચી લગ્નના માંડવે મસ્ત બન્યા હતા.

આ પણ વાંચો: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા: ભાવનગરમાં મીઠાઇના વેપારીની અનોખી રામ ભક્તિ, પેંડા પર બનાવ્યો રામ નામનો આકાર

હાલ સમગ્ર દેશ અને વિશ્વભરમાં વસતા સનાતની હિંદુઓ રામભક્તિમાં રંગાયા છે. દેશભરમાં હાલ ઉત્સવનો માહોલ છવાયો છે. 22 જાન્યુઆરીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આ તારીખ ઐતિહાસિક બનવા જઈ રહી છે. સદીઓથી કરોડો સનાતનીઓ આ પળની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આખરે આ ઘડી આવી પહોંચી છે જેને સહુ કોઈ યાદગાર બનાવવાની તૈયારીમાં લાગેલા છે. રસ્તા પર વરરાજાને હાથમાં રામ ધ્વજ લઈને જતા જોઈ વાહનચાલકો પણ જય શ્રી રામ બોલીને પસાર થતા જોવા મળ્યા હતા.

રામ મંદિરને લગતા તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
g clip-path="url(#clip0_868_265)">