Ahmedabad માં વધુ 19 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ, કુલ સંખ્યા 104 થઈ

અમદાવાદ શહેરમાં વધુ 19 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે જ્યારે 20 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2022 | 7:52 AM

અમદાવાદ(Ahmedabad) શહેરમાં કોરોનાના(Corona)કેસ સતત વધી રહ્યા છે. જો કે અમદાવાદમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ (Micro containment) ઝોનની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શહેરમાં વધુ 19 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે જ્યારે 20 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા છે. શહેરમાં એકતરફ કોરોનાના કેસ વધી રહ્યા છે… ત્યારે માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા ઘટી રહી છે. આ સાથે અમદાવાદમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા 105થી ઘટી 104 થઈ ગઈ છે.

અમદાવાદમાં  પણ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. એક દિવસમાં અમદાવાદ શહેરમાં 8 હજાર 391 કેસ નોંધાયા. અમદાવાદ શહેરમાં 6 દર્દીનું કોરોનાથી મોત થયા છે.જ્યારે 3 હજાર 911 દર્દીઓએ કોરોનાને માત આપી. પહેલી જાન્યુઆરીથી અત્યાર સુધીમાં અમદાવાદમાં 54 હજાર 376 કેસ સામે આવ્યા છે..જેમાંથી 38 હજાર 722 કેસ માત્ર 11 જાન્યુઆરીથી 19 જાન્યુઆરીમાં આવ્યા છે.

બીજી તરફ 1લી જાન્યુઆરીથી 19 જાન્યુઆરી સુધીમાં અમદાવાદમાં કુલ 15 દર્દીના મોત થયા છે.આ પહેલાં 13 જાન્યુઆરીએ અમદાવાદમાં એક દર્દીનું કોરોનાથી મોત થયું હતું..જ્યારે 15 જાન્યુઆરીએ પણ 2 દર્દીના કોરોનાથી મોત થયા હતા.તો 18 જાન્યુઆરીએ અમદાવાદમાં 3 અને 19 જાન્યુઆરીએ 6 દર્દીઓએ કોરોનાના કારણે દમ તોડ્યો છે. જેના કાણે મૃત્યુઆંક વધીને 3,427 પર પહોંચી ગયો છે.

અમદાવાદમાં મુંબઈ કરતાં પણ વધુ ગતિથી કોરોના ફેલાઈ રહ્યો છે. અમદાવાદમાં એક દિવસમાં મુંબઈ કરતાં 2 હજાર કેસ વધારે નોંધાયા છે. મુંબઈમાં 24 કલાકમાં 6 હજાર 32 કેસ નોંધાયા છે જ્યારે અમદાવાદમાં 8 હજાર 391 લોકો સંક્રમિત થયા. આ પહેલાં 18 જાન્યુઆરીએ અમદાવાદમાં 5 હજાર 998 કેસ નોંધાયા હતા જ્યારે મુંબઈમાં 6 હજા 149 કેસ નોંધાયા હતા. . 17 જાન્યુઆરીએ અમદાવાદમાં 4 હજાર 340 કેસ નોંધાયા હતા.

આ પણ વાંચો : ગુજરાતના કરછમાં ફરી ધરા ધ્રુજી, ભૂકંપનું કેન્દ્રબિંદુ ધોળાવીરાથી નજીક

આ પણ વાંચો :  PM Modi આજે સોમનાથ ખાતે નવનિર્મિત અતિથિગૃહનો વર્ચ્યુઅલી પ્રારંભ કરાવશે

Follow Us:
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
g clip-path="url(#clip0_868_265)">