Ahmedabad: સાબરમતીમાં ઠેર-ઠેર લીલ અને જળકુંભીનું સામ્રાજ્ય, 3 વર્ષમાં નદીના શુદ્ધિકરણ પાછળ કરેલો 282.17 કરોડનો ખર્ચ પાણીમાં

અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા સાબરમતી નદીને (Sabarmati river) સ્વચ્છ રાખવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. છતાં હજીપણ સાબરમતીમાં ગંદકી જ ગંદકી જોવા મળી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2022 | 9:10 AM

અમદાવાદમાં (Ahmedabad) સાબરમતી નદી દિવસે દિવસે વધુને વધુ પ્રદૂષિત થતી જઇ રહી છે. સાબરમતિ નદીમાં લીલ-જળકુંભીનું સામ્રાજ્ય વધી રહ્યુ છે. સુભાષ બ્રિજથી દધીચિ બ્રિજ સુધી સાબરમતી નદીમાં લીલ ફેલાયેલી જોવા મળે છે. અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા સાબરમતી નદીને (Sabarmati river) સ્વચ્છ રાખવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. છતાં હજીપણ સાબરમતીમાં ગંદકી જ ગંદકી જોવા મળી રહી છે. છેલ્લા ત્રણ વર્ષમાં સાબરમતી નદીના શુદ્ધિકરણ પાછળ 282.17 કરોડનો ખર્ચ કરાયો છે. જો કે આ તમામ ખર્ચ પાણીમાં ગયો હોય તેવુ જોવા મળી રહ્યુ છે.

નદીમાં ગંદકી જ ગંદકી

એક તરફ અમદાવાદ મહાનગરપાલિકા સાબરમતી નદીને શુદ્ધ કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે. તેમ છતાં સાબરમતી નદીમાં ઠેર-ઠેર ગંદકી અને કચરાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ચોમાસાની ઋતુમાં ફરી એક વખત સાબરમતી નદીમાં લીલ અને જળકુંભીનું સામ્રાજ્ય છવાયું છે. સુભાષ બ્રિજથી લઇને દધીચિ બ્રિજ સુધી જ્યાં જુઓ ત્યાં જળકુંભી જોવા મળી રહી છે. નદી પર એટલા મોટા પ્રમાણમાં લીલ અને જળકુંભી છવાઇ ગઇ છે કે નદીમાં પાણી પણ શોધવું પડે તેમ છે.

કરોડોનો ખર્ચ પાણીમાં

છેલ્લા 3 વર્ષમાં જ સાબરમતી નદીના શુદ્ધિકરણ પાછળ 282.17 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત અટલ મિશન ફોર રિજૂવિનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન હેઠળ 27.5 કરોડનો ખર્ચ કરાયો છે. જ્યારે કે નેશનલ રિવર કન્ઝર્વેશન પ્લાન હેઠળ 151 કરોડનો ખર્ચ કરાયો છે. બીજી તરફ સ્ટેટ સ્વર્ણિમ સ્કીમ હેઠળ 24.28 કરોડ તેમજ અમદાવાદ મનપાએ 5.71 કરોડનો ખર્ચ સાબરમતીના શુદ્ધિકરણ માટે કર્યો છે. જ્યારે કે ASIDE સ્કીમ હેઠળ રાજ્ય કેન્દ્ર સરકાર ટેક્સ્ટાઇલ એસોસિએશનએ પણ 73.68 કરોડ ખર્ચ્યા છે. પરંતુ હાલ જે સાબરમતી નદીની હાલત છે તે જોતા શુદ્ધિકરણ પાછળ ખર્ચાયેલા 282 કરોડ પાણીમાં ગયા છે.

Follow Us:
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">