અદાણી પોર્ટ પાકિસ્તાન, ઇરાન અને અફઘાનિસ્તાનથી આવતા કાર્ગોનું હેન્ડરિંગ બંધ કરશે

કંપનીએ જે ટ્રેડ એડવાઇઝરી જાહેર કરી છે એમાં આ ત્રણ દેશમાંથી કાર્ગો હેન્ડલિંગ સર્વિસ બંધ કેમ કરવામાં આવી છે એ અંગે કોઈ કારણ આપવામાં આવ્યું નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2021 | 6:03 PM

સપ્ટેમ્બરમાં કચ્છના મુન્દ્રામાં આવેલા અદાણી ગ્રુપના અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (અદાણી પોર્ટ)માંથી ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) અને કસ્ટમ્સ વિભાગની રેડમાં અફઘાનિસ્તાનથી આવેલાં 2 કન્ટેનરમાંથી આશરે 3000 કિલો ડ્રગ્સ પકડાયા બાદ આજે 11 ઓક્ટોબરે અદાણી પોર્ટે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાનથી આવતા કાર્ગોનું હેન્ડલિંગ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ એક એડવાઇઝરી બહાર પાડી આ બાબતે પોતાના કસ્ટમર્સને જાણ કરી હતી.

ટ્રેડ એડવાઇઝરીમાં અદાણી પોર્ટ્સના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુબ્રત ત્રિપાઠીએ જણાવ્યું હતું કે 15 નવેમ્બરથી પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાનથી આવતા કોઈપણ કાર્ગોનું હેન્ડલિંગ અદાણી પોર્ટ પર કરવામાં આવશે નહીં. આ સાથે કંપની દ્વારા સંચાલિત અન્ય થર્ડ પાર્ટી ટર્મિનલ્સ પર પણ આ દેશોથી આવતાં શિપમેન્ટનું હેન્ડલ કરવામાં આવશે નહીં.

કંપનીએ જે ટ્રેડ એડવાઇઝરી જાહેર કરી છે એમાં આ ત્રણ દેશમાંથી કાર્ગો હેન્ડલિંગ સર્વિસ બંધ કેમ કરવામાં આવી છે એ અંગે કોઈ કારણ આપવામાં આવ્યું નથી. જાણકારો માને છે કે કચ્છમાં અદાણીના પોર્ટ પરથી ડ્રગ્સ પકડાયા બાદ કંપની સવાલોના ઘેરામાં આવી ગઈ હતી અને સોશિયલ મીડિયામાં પણ આ વાત ઊછળી હતી. એને કારણે આ નિર્ણય લેવાયો હોય શકે છે. ત્યાર બાદ અદાણી ગ્રુપે એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે કાયદો ભારત સરકારના કસ્ટમ્સ અને DRI જેવા સક્ષમ અધિકારીઓને ગેરકાયદે કાર્ગો ખોલવા, તપાસવા અને જપ્ત કરવાની સત્તા આપે છે. દેશભરમાં કોઈ પોર્ટ ઓપરેટર કન્ટેનરની તપાસ કરી શકતું નથી. તેમની ભૂમિકા બંદર ચલાવવા સુધી મર્યાદિત છે.

Follow Us:
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">