75મો સ્વતંત્રતા પર્વ રાષ્ટ્રભક્તિથી તરબતર થવાનો મહોત્સવ : સીએમ રૂપાણી

સીએમ રૂપાણીએ વધુ કહ્યું કે આવનારા દિવસો આપણાં છે આગામી સદી ભારતની છે.તમામ ક્ષેત્રે ભારત શ્રેષ્ઠ બનવા આગળ વધશે. આઝાદીનો અમૃત મહોત્સવ આપણને સંકલ્પ લેવાની પ્રેરણા આપે છે. તેમજ સત્તાએ સેવાનું સાધન છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2021 | 5:31 PM

ગુજરાત(Gujarat) ના સીએમ રૂપાણીએ 75માં સ્વતંત્રતા પર્વ(Independence Day) ની ઉજવણીને લઇને પ્રજાજોગ સંદેશ આપ્યો છે. જેમાં તેમણે કહ્યું છે 75મો સ્વતંત્રતા પર્વ રાષ્ટ્રભક્તિથી તરબતર થવાનો મહોત્સવ છે. તેમજ એક ભારત શ્રેષ્ઠ ભારતના ધ્યેયથી આગળ વધવા હાકલ કરી છે. તેમણે કહ્યું કે આઝાદી અપાવનાર સપૂતોના સ્વપ્ન સાકાર કરવાનો અમૃત મહોત્સવ છે. સ્વતંત્રતા પર્વ નિમીત્તે આઝાદીના ઘડવૈયાને વંદન અને પ્રત્યેક દેશવાસીઓને દેશ માટે જીવી જાણવાનું છે.

સીએમ રૂપાણીએ વધુ કહ્યું કે આવનારા દિવસો આપણાં છે આગામી સદી ભારતની છે.તમામ ક્ષેત્રે ભારત શ્રેષ્ઠ બનવા આગળ વધશે. આઝાદીનો અમૃત મહોત્સવ આપણને સંકલ્પ લેવાની પ્રેરણા આપે છે. તેમજ સત્તાએ સેવાનું સાધન છે. અમે હર પળ ગુજરાતના વિકાસ માટે સમર્પિત કરી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે સરકારના પાંચ વર્ષની માત્ર ઉજવણી ન હતી સેવા યજ્ઞ હતો. તંત્રએ કોરોના કાળમાં 8.5 લાખ ગુજરાતીઓને સાજા કરી ઘરે મોકલ્યાં છે. જ્યારે સરકારે ત્રીજી લહેરની વ્યાપક તૈયારીઓ કરી છે. રાજ્યમાં મોટા પ્રમાણમાં કોરોના વેક્સીનેશન થયું છે.

રાજ્યના વિકાસની હરણફાળ અંગે જણાવ્યું કે છેલ્લા 1.5 વર્ષમાં 30,000 કરોડના વિકાસ કાર્યો કાર્યરત છે. દેશમાં FDI ના કુલ રોકાણના 37 ટકા રોકાણ ગુજરાતમાં આવ્યું છે. જ્યારે દેશમાં ગુજરાતનો બેરોજગારી દર સૌથી ઓછો 1.2 ટકા છે. ગુજરાતના ધંધા-રોજગારને કોરોનાની અસર ઓછી થઈ છે. ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે અને ભારતમાં ગુજરાત દ્રષ્ટાંત રૂપ બને તે માટે પ્રયત્ન કરીએ છીએ.

આ પણ વાંચો : PM MODI સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરી શકે છે, 14 સપ્ટેમ્બરથી શરૂ થશે 76મું વાર્ષિક સત્ર

આ પણ વાંચો : Surat : વેક્સિન લીધી હોય તો સુરત એરપોર્ટ પર હવે RTPCR રિપોર્ટ બતાવવો ફરજીયાત નહીં

Follow Us:
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">