Rajkot: હરિયાણાથી 3300 મેટ્રિક ટન ઘઉંનો જથ્થો પહોંચ્યો, ગરીબ પરિવારોને કરાશે ઘઉંનું મફત વિતરણ

સૌરાષ્ટ્ર, દીવ અને દમણના વિસ્તારોમાં ગરીબોને મફત ઘઉંનું વિતરણ કરવામાં આવશે. કોરોનાના કહેર વચ્ચે કેન્દ્ર સરકારે 50 હજાર મેટ્રિક ટન ઘઉંનો જથ્થો ગુજરાતને ફાળવ્યો છે.

| Updated on: May 08, 2021 | 7:12 PM

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત હરિયાણાના ગોહનાથી 3300 મેટ્રિક ટન ઘઉંનો જથ્થો ભરેલી ટ્રેન રાજકોટ પહોંચી. ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા ગુજરાતમાં ઘઉંનો પુરવઠો પહોંચાડવાની કામગીરી કરાઈ રહી છે. સૌરાષ્ટ્ર, દીવ અને દમણના વિસ્તારોમાં ગરીબોને મફત ઘઉંનું વિતરણ કરવામાં આવશે. કોરોનાના કહેર વચ્ચે કેન્દ્ર સરકારે 50 હજાર મેટ્રિક ટન ઘઉંનો જથ્થો ગુજરાતને ફાળવ્યો છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">