અમદાવાદમાં કોરોનાના કેસ વધતાની સાથે ફરી ટેસ્ટીંગ ડોમ વધારવામાં આવ્યાં, નવા 30 ડોમ ઉભા કરાયા

Corona in Ahmedabad : અમદાવાદ શહેરમાં કોરોનાનાં કેસોમાં ફરી વધારો શરૂ થયો છે. શહેરમાં બુધવારે નવા 16 કેસ નોંધાયા હતા તો ગુરુવારે 14 કેસ નોંધાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2021 | 12:06 PM

AHMEDABAD : અમદાવાદમાં કોરોના (Corona)ના કેસની સંખ્યા વધતી જઈ રહી છે.. જેને પગલે કોર્પોરેશને ટેસ્ટીંગ ડોમ વધારી દીધા છે.અમદાવાદ કોર્પોરેશને 30 જેટલા નવા ટેસ્ટીંગ ડોમ (Testing Dome)બનાવ્યા છે. પરંતુ આ ટેસ્ટીંગ ડોમ પર કાગડા ઉડી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.કોરોના ટેસ્ટ કરાવવામાં લોકોએ નિરસતા દાખવી છે. Tv9ની ટીમ સવારે નવરંગપુરા હેલ્થ સેન્ટર પર પહોંચી હતી. જ્યાં બનાવેલા ટેસ્ટીંગ ડોમ પર એકપણ વ્યક્તિનો કોરોના ટેસ્ટ કરવામાં નહોતો આવ્યો. આરોગ્યકર્મીઓનું કહેવું છે કે લોકો પહેલાની જેમ સામેથી કોરોના ટેસ્ટ કરાવવા માટે નથી આવી રહ્યાં.

શહેરમાં કોરોના મહામારી સામે રસીકરણ મહાઅભિયાન અંતર્ગત લાખો લોકોનું રસીકરણ કરી દેવામાં આવ્યું છે તેમ છતાં કોરોનાના છુટાછવાયા કેસ સામે આવવાનું ચાલુ રહ્યું છે.દિવાળીનાં તહેવારો બાદ કોરોનાનાં કેસ વધવાની આશંકા સાચી પડતી હોય તેમ જોધપુર, ચાંદખેડા અને ઇસનપુર વિસ્તારમાં તો 3 પરિવારનાં 13 સભ્યોનાં રિપોર્ટ પોઝિટિવ આવતા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ચિંતા અને દોડધામ વધી ગઈ છે.

અમદાવાદ શહેરમાં કોરોના મહામારી સંપૂર્ણપણે નાબૂદ થઇ નથી. રસીકરણ મહાઅભિયાનને પગલે કોરોનાનાં કેસ સાવ ઘટીને બે આંકડાની અંદર આવી ગયાં હતા, પરંતુ દિવાળીનાં તહેવારોમાં બજારોમાં લોકોની ભીડ વધવાને કારણે સામાજિક અંતર સહીતના નિયમો ન જળવાતાં કોરોનાનાં કેસોમાં ફરી વધારો શરૂ થયો છે. શહેરમાં બુધવારે નવા 16 કેસ નોંધાયા હતા તો ગુરુવારે 14 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો : SURAT : ડ્રગ્સ કેસમાં SOGને મળી મોટી સફળતા, રાંદેર MD ડ્રગ્સ હેરાફેરી કેસમાં ફરાર મુખ્ય આરોપી ઝડપાયો

આ પણ વાંચો : ‘નિરામય ગુજરાત’થી નિરોગી ગુજરાત! રાજ્ય સરકાર લોન્ચ કરવા જઈ રહી છે આ જોરદાર યોજના, જાણો તેના લાભ

Follow Us:
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">