Gujarat : રાજ્યમાં સતત ઘટી રહ્યો છે કોરોનાનો કેર, 24 કલાકમાં 10 નવા કેસ, મૃત્યુઆંક શૂન્ય

રાજ્યમાં સતત કોરોનાનો કેર ઘટી રહ્યો છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં નવા 10 કેસ નોંધાયા છે. સૌથી વધુ વડોદરામાં 4 કેસ નોંધાયા, તો અમદાવાદમાં 1, સુરતમાં 3 કેસ નોંધાયા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2021 | 9:37 AM

Gujarat : રાજ્યમાં સતત કોરોનાનો કેર ઘટી રહ્યો છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં નવા 10 કેસ નોંધાયા છે. સૌથી વધુ વડોદરામાં 4 કેસ નોંધાયા, તો અમદાવાદમાં 1, સુરતમાં 3 કેસ નોંધાયો. જ્યારે 24 કલાકમાં રાજ્યના 25 જિલ્લા અને 4 મહાનગરોમાં એક પણ કેસ નથી નોંધાયો. તો સતત એક સપ્તાહથી મૃત્યુઆંક શૂન્ય નોંધાવાનો સિલસિલો યથાવત રહ્યો. રાજ્યમાં હવે માત્ર 3 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 151 થઇ છે.

રાજયમાં રસીકરણની સ્થિતિ

રસીકરણની વાત કરીએ તો, પાછલા 24 કલાકમાં રાજ્યમાં 7.23 લાખ લોકોનું રસીકરણ કરાયું. રાજ્યમાં સૌથી વધુ સુરતમાં 82 હજાર 132 લોકોને રસી અપાઇ. તો અમદાવાદમાં 65 હજાર 402 લોકોનું રસીકરણ કરાયું. જ્યારે બનાસકાંઠામાં 43 હજાર, દાહોદમાં 44 હજાર લોકોને રસીના ડોઝ અપાયા. જ્યારે રાજકોટમાં 36 હજાર 342 અને વડોદરામાં 29 હજાર 854 લોકોને રસી અપાઇ. આમ રાજ્યમાં અત્યાર સુધી કુલ 4 કરોડ 77 લાખ 42 હજાર લોકોનું રસીકરણ પૂર્ણ થયું છે.

કેરળમાં કોરોનાનો હાહાકાર, દેશના 70 ટકા કેસો માત્ર કેરળમાં નોંધાયા

કેરળમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. કેરળમાં દરરોજ કોરોનાના 30 હજારથી વધુ જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. ગઈકાલે એક જ દિવસમાં કોરોનાના 32 હજાર 97 કેસ નોંધાયા છે. જ્યારે 188 લોકોનાં મોત થયા છે. કેરળમાં નોંધાયેલા કેસ દેશના કુલ કેસના 70 ટકાથી પણ વધુ છે. કારણ કે દેશમાં કોરોનાના 45 હજાર 624 કેસ નોંધાયા છે. દેશમાં એક જ દિવસમાં 355 લોકો મૃત્યું પામ્યા છે. દેશમાં અત્યાર સુધી 4 લાખ 39 હજાર 916 લોકોનાં મોત થયા છે. દેશમાં હજુ પણ 3.93 લાખથી વધુ સક્રિય કેસ છે.

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">