Gujarat Update: તાઉ તે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોમાં આજથી સરવે શરૂ, જનજીવન થાળે પાડવા સરકાર લાગ્યુ કવાયતમાં
Gujarat Update: ‘તાઉ તે' વાવાઝોડાના લીધે જે વિસ્તારો પ્રભાવિત થયા છે, ત્યાં આજથી સરવેની કામગીરી શરૂ કરી દેવામાં આવશે, આ જાહેરાત કરી છે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા.
Gujarat Update: ‘તાઉ તે’ વાવાઝોડાના લીધે જે વિસ્તારો પ્રભાવિત થયા છે, ત્યાં આજથી સરવેની કામગીરી શરૂ કરી દેવામાં આવશે, આ જાહેરાત કરી છે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા. સોશિયલ મીડિયા પરથી પ્રજાને સંબોધતી વેળા CM રૂપાણીએ કહ્યું કે, વાવાઝોડાના કારણે સ્થળાંતર થયેલાઓને આજથી કેશડોલ ચૂકવવાની પણ જાહેરાત કરાઈ છે.
16 અને 17મી મે એ સ્થળાંતર થયેલા લોકોને રાજ્ય સરકાર સાત દિવસની કેશડોલ ચૂકવશે. પુખ્ત વયના વ્યક્તિને 100 રૂપિયા અને બાળકોને રૂ. 60 પ્રતિ દિવસ ચૂકવવામાં આવશે. આ ઉપરાંત આજ સાંજ સુધીમાં વીજ પુરવઠો હોય કે ટ્રાન્સપોર્ટેશન સેવા, મોબાઇલ ટાવર અને રસ્તાઓ જે પણ સેવાઓ અને ગતિવિધિઓ બંધ છે તમામ સેવાઓ પૂર્વવત થઇ જશે, તેવો CM રૂપાણીએ દાવો કર્યો છે.
Latest Videos
Latest News