GUJARAT : ચૂંટણી પહેલા ભગવો લહેરાયો, જિ.પં.ની 2 અને તા.પં.ની 17 બેઠકો પર ભાજપ બિનહરીફ
GUJARAT : સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જંગ પહેલા ભાજપનો ભગવો લહેરાયો. જિલ્લા અને તા.પંચાયતની 19 બેઠકો બિનહરીફ કરવામાં ભાજપને સફળતા મળી.
GUJARAT : સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જંગ પહેલા ભાજપનો ભગવો લહેરાયો. જિલ્લા અને તા.પંચાયતની 19 બેઠકો બિનહરીફ કરવામાં ભાજપને સફળતા મળી.જિ.પંચાયતની 2 અને તા.પંચાયતની 17 બેઠકો પર ભાજપ બિનહરીફ જાહેર થઇ. જૂનાગઢની બિલખા અને સુરેન્દ્રનગર જિ.પંચાયતની કોંઢ બેઠક બિનહરીફ જાહેર થઇ. સુરતના ઓલપાડ અને ચોર્યાસી તા.પંચાયતની એક-એક બેઠક બિનહરીફ. અમદાવાદ જિલ્લાના દસક્રોઇ તા.પંચાયતની બે બેઠકો બિનહરીફ. જૂનાગઢ તાલુકા પંચાયતની બીલખા બેઠક પણ બિનહરીફ જાહેર. ભાવનગરના ઉમરાળા તા.પંચાયતની 2 બેઠકો બિનહરીફ જાહેર. સુરેન્દ્રનગર જિલ્લાના 4 તાલુકા પંચાયતની 9 બેઠકો બિનહરીફ. લીંબડી અને વઢવાણ તા.પંચાયતની એક-એક બેઠક બિનહરીફ. ધ્રાંગધ્રા તાલુકા પંચાયતની માલવણ અને વાવડી બેઠક બિનહરીફ. થાનગઢ તા.પંચાયતની જામવાળી, ખાખરાથળ, નળખંભા, સોનગઢ, મોરથળા બેઠક બિનહરીફ. જયારે કચ્છ જિલ્લાના ભુજ તાલુકા પંચાયતની એક બેઠક બિનહરીફ જાહેર થઇ.