Gujarat Corona Latest Update: આણંદ પેટલાદનાં ચાંગા ગામે 13 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન, 16 કેસ બાદ નિર્ણય

Gujarat Corona Latest Update: ગુજરાતમાં કોરોનાનાં કેસમાં જે રીતે વધારો થઈ રહ્યો છે તેને લઈને તંત્રનાં કપાળે હવે ચિંતા વર્તાવા લાગી છે. જો કે શહેર સાથે ગ્રામજનોમાં આવી રહેલી જાગૃતતાનાં કારણે કોરોનાનાં વધતા કેસના કાબુમાં લેવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. 

| Updated on: Apr 02, 2021 | 1:56 PM

Gujarat Corona Latest Update: ગુજરાતમાં કોરોનાનાં કેસમાં જે રીતે વધારો થઈ રહ્યો છે તેને લઈને તંત્રનાં કપાળે હવે ચિંતા વર્તાવા લાગી છે. જો કે શહેર સાથે ગ્રામજનોમાં આવી રહેલી જાગૃતતાનાં કારણે કોરોનાનાં વધતા કેસના કાબુમાં લેવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આણંદ પેટલાદના ચાંગા ગામે આજથી સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરી દેવામાં આવી છે. આજથી 13 એપ્રિલ સુધી ગામમાં લોકડાઉન રહેશે. સવારે 6 થી 10 અને સાંજે 5 થી 8 બજારો ખુલ્લા રહેશે. કોરોનાના 16 જેટલા એક્ટિવ કેસો હોવાના કારણે પંચાયત દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અને આ નિયમોનું સખ્તાઈ પૂર્વક પાલન પણ કરવાનું રહેશે.

 

રાજ્યમાં કોરોના બેકાબૂ બની ચૂક્યો છે અને હવે કોરોનાના રોજેરોજ રેકોર્ડ બ્રેક ઓલટાઇમ હાઇ કેસો નોંધાઇ રહ્યા છે. રાજ્યમાં સતત એક સપ્તાહથી કોરોનાના ઓલટાઇમ હાઇ કેસ નોંધાઇ છે અને રાજ્યમાં 2,410 પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે 9 દર્દીઓ કોરોનાનો ભોગ બન્યા રાજ્યમાં નવા મોત સાથે કુલ મૃત્યુઆંક 4,528 પર પહોંચ્યો છે તો 2,015 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે જ્યારે સાજા થનારા દર્દીઓની કુલ સંખ્યા 2 લાખ 92 હજાર 584ને પાર પહોંચી છે જોકે દુર્ભાગ્યપૂર્ણ રીતે સાજા થવાનો દર ઘટીને 94.35 ટકાએ પહોંચ્યો છે જ્યારે એક્ટિવ કેસોની સંખ્યા વધીને 12,996 પર પહોંચી છે તો વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા વધીને 155 થઇ છે. મહાનગરોની સ્થિતિની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 626 કેસ સાથે 3 દર્દીઓના મોત થયા સુરતમાં 4 દર્દીના મોત સાથે નવા 615 કેસ નોંધાયા તો વડોદરામાં એકના મોત સાથે નવા 363 કેસ નોંધાયા જ્યારે રાજકોટમાં 223 કેસ નોંધાયો જ્યારે ભાવનગરમાં એક દર્દીનું મોત થયું.

તો આ તરફ અમદાવાદમાં પણ કોરોના વિસ્ફોટની સ્થિતિ યથાવત છે અને પોઝિટિવ કેસોમાં મોટો ઉછાળો નોંધાયો છે અમદાવાદમાં કુલ 626 કેસ નોંધાયા તો 3 દર્દીઓના મોત નિપજ્યા જ્યારે 598 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા. અમદાવાદ શહેરમાં 613 કેસ સાથે 592 દર્દીઓ સાજા થયા જ્યારે 3 દર્દીઓનો કોરોનાએ ભોગ લીધો. આ તરફ અમદાવાદ જિલ્લામાં 13 કેસ નોંધાયા તો 6 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા

તો વધી રહેલા સંક્રમણ વચ્ચે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અમદાવાદ-સુરત-કચ્છ સહિતના જિલ્લાઓમાં વસતા પરપ્રાંતિય લોકોનું પણ રસીકરણ ઝડપથી હાથ ધરવા આદેશ કર્યો છે અને સંબધિત જિલ્લા કલેક્ટરો અને મ્યુનિસિપલ કમિશનરોને રસીકરણ માટે તાકીદ કરી છે તો સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરમાં 15 જેટલા સંતો સંક્રમિત થતા મંદિર દર્શન માટે બંધ કરાવાયું.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">