Gandhinagar: માછીમારોને ઓછી સહાય મુદ્દે સરકારે પરસોત્તમ સોલંકીનાં આક્ષેપોનો જવાબ વાળ્યો, કહ્યું માછીમારોને સદ્ધર બનાવવા સરકાર કટિબદ્ધ

Gandhinagar: રાજ્ય સરકારનાં જ પ્રધાન પરસોત્તમ સોલંકી(Parsottam Solanki)એ માછીમારો(Fisherman)ને ઓછી સહાય અપાતી હોવાનાં નામે સરકારને સાણસામાં લીધી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2021 | 8:07 PM

Gandhinagar: રાજ્ય સરકારનાં જ પ્રધાન પરસોત્તમ સોલંકી(Parsottam Solanki)એ માછીમારો(Fisherman)ને ઓછી સહાય અપાતી હોવાનાં નામે સરકારને સાણસામાં લીધી હતી. જો કે સોલંકીનાં આક્ષેપોની સામે સરકારે પણ જાણે ડેટા તૈયાર રાખ્યો હોય તેમ અધિકૃત રીતે તેને જાહેર કર્યા હતા. કેબિનેટ કક્ષાનાં પ્રઘાન જવાહર ચાવડા(Jawahar Chawda)એ આ અંગે તેમને જવાબ વાળ્યો હતો.

મત્સ્ય ઉદ્યોગ પ્રધાન જવાહર ચાવડાએ જણાવ્યું કે રાજ્યના માછીમારોને આર્થિક રીતે સદ્ધર કરવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે. રાજ્ય સરકારે તાઉ-તે વાવાઝોડાની નુકસાની માટે ઐતિહાસિક રૂ.૧૦૫ કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું હતું. બોટ અને બોટનીસાધન સામગ્રી માટે રૂ.10 કરોડની સહાય ચૂકવાઇ છે.

સંપૂર્ણ નુકસાની થયેલી બોટના કિસ્સામાં 113 માછીમારોને રૂ.3 કરોડ ચૂકવાઈ ગયા છે. અંશત: નુકસાની થયેલી બોટના કિસ્સામાં કુલ 787 માછીમારોને રૂ.5 કરોડની સહાય આપી તો કુલ 900 માછીમારોને રૂ.8 કરોડ ચૂકવાયા છે.

કોને કેટલી સહાય

¤ માછીમારોની બોટ જાળને થયેલી નુકશાની માટે કુલ 821 માછીમાર લાભાર્થીને કુલ રૂ. 2 કરોડની સહાય
¤ તાઉતે અસરગ્રસ્ત સાગરખેડૂઓને મકાન નૂકશાન સહાય-કેશડોલ્સ-ઘરવખરી સહાયના કુલ રૂ. 7 કરોડ 8 લાખ ચૂકવાયા
¤ સમગ્રતયા રૂ. 17.50 કરોડની સહાય સાગરખેડૂ-માછીમારોને રાજ્ય સરકારે ચૂકવી
¤ 77 ખલાસીઓને રૂ. 1.54 લાખ નિર્વાહ ભથ્થું પણ ચૂકવી દેવાયુ
¤ પેકેજનો લાભ લેવામાં જો કોઈ માછીમારો વંચિત રહી ગયા હશે તો પણ તેઓને પણ પેકેજની સહાય પૂરી પડાશે.

મત્સ્ય ઉદ્યોગ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાએ જણાવ્યું છે કે, રાજ્યના માછીમારોને આર્થિક રીતે સહાયરૂપ થવા રાજ્ય સરકાર હરહંમેશ કટીબધ્ધ છે અને રહેશે. કુદરતી આપદાઓ સામે માછીમારો કે ખેડૂતોના પડખે રાજ્ય સરકાર ઉભી રહી છે.

તાજેતરમાં તાઉ-તે વાવાઝોડા સંદર્ભે માછીમારોને થયેલા આર્થિક નુકસાન સંદર્ભે સહાયરૂપ થવા ભૂતકાળમાં કયારેય ન આપ્યું હોય એવું રૂ. ૧૦૫ કરોડનું ઐતિહાસિક પેકેજ રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જાહેર કરાયું છે અને અત્યારસુધીમાં રૂ. ૧૦ કરોડ ૪૧ લાખની સહાય માછીમારોને તેમના બેંક એકાઉન્ટમાં સીધી જમા કરાવી દેવામાં આવી છે.

મંત્રી શ્રી ચાવડાએ ઉમેર્યું કે, તાઉતે વાવાઝોડાથી રાજ્યના મત્સ્યોદ્યોગના માછીમારોની બોટ તથા બંદરોને થયેલા નુકશાનને ધ્યાને લઇ મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોનું જાત નિરીક્ષણ કરી તથા રાજ્યના વિવિધ માછીમાર સમાજના આગેવાનો સાથે બેઠક કરી તેમની રજૂઆતો, મંતવ્યો ધ્યાને લઇ રાજ્ય સરકારે રૂ. 105 કરોડનું ઐતિહાસિક પેકેજ રાજ્યના માછીમારોના બહોળા હિતમાં જાહેર કર્યુ છે.

તેમણે ઉમેર્યું કે આ પેકેજમાં સંપૂર્ણ નાશ પામેલી બોટ માટે રૂ. 5 લાખ સુધીની ઉચ્ચક સહાય તથા રૂ. 10 લાખ સુધીની લોન પર 10% ના દરે વ્યાજ સહાય, અંશત: નાશ પામેલ બોટ માટે રૂ. 2 લાખ સુધીની ઉચ્ચક સહાય તથા રૂ. 5 લાખ સુધીની લોન પર 10% ના દરે વ્યાજ સહાય, બોટ જાળ તથા અન્ય સાધન સામગ્રીની નુકશાની પેટે રૂ. 35 હજાર સુધીની સહાય, માછીમારી ખલાસીઓને ફિશિંગ બાન સમય દરમિયાન તેઓનું જીવન નિર્વાહ ચાલી શકે તે માટે રૂ. 2000ની ઉચ્ચક સહાય પણ આપવાનો રાહત પેકેજમાં સમાવેશ કરાયો છે.

તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકારે પેકેજ જાહેર થયા બાદ મત્સ્યોદ્યોગ વિભાગના અધિકારીઓની ટીમ બનાવીને માત્ર એક અઠવાડિયામાં સર્વેની કામગીરી પૂર્ણ કરીને 10 દિવસમાં સર્વે થયેલ તમામ બોટના લાભાર્થીઓને તેમના ખાતામાં સીધીજ ચૂકવણી કરી દેવામાં આવી છે.

જેમાં પૂર્ણ નુકશાની પામેલ બોટના કિસ્સામાં કુલ 113 માછીમારોને રૂ.307.27 લાખની સહાય, અંશત: નુકશાની પામેલ બોટના કિસ્સામાં કુલ 787 માછીમારોને રૂ.500.38 લાખની સહાય, માછીમારોની બોટ જાળને થયેલ નુકશાની માટે કુલ 821 માછીમાર લાભાર્થીને કુલ રૂ. 230.08 લાખની સહાય તેઓના ખાતામાં સીધી જ ચૂકવી દેવાઈ છે. આ ઉપરાંત 77 ખલાસીઓને રૂ. 1.54 લાખ નિર્વાહ ભથ્થું મળી કુલ રૂ. 1041.05 લાખની સહાય ચૂકવી દેવામાં આવી છે.

એટલું જ નહિ, તાઉતે વાવાઝોડા સંદર્ભે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ અને પોરબંદર મળી કુલ પાંચ જિલ્લાઓમાં દરિયાકાંઠા વિસ્તારમાં મત્સ્યોદ્યોગ વિભાગની રૂપિયા ૧૦.૪૧ કરોડની સહાય ઉપરાંત અન્ય સહાય એટલે કે મકાન-ઝૂંપડાને નૂકશાન સહાય, કેશડોલ્સ તેમજ ઘરવખરી સહાય પેટે કુલ રૂ. ૭ કરોડ ૮ લાખ મળી સમગ્રતયા કુલ રૂ. ૧૭ કરોડ ૪૯ લાખની સહાય રાજ્યના સાગરખેડૂ-માછીમાર પરિવારોને ચૂકવવામાં આવી છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, જાફરાબાદ, નવાબંદર, સૈયદ રાજપરા, શીયાળબેટ ખાતેના મત્સ્યબંદરોને થયેલા માળખાકીય નુકશાનને મરામત તથા નવીનીકરણ માટે રૂ. ૮૦ કરોડનું ઐતિહાસિક પેકેજ પણ જાહેર કરેલ છે. જે અંતર્ગત હાલ કામોના નકશા અંદાજ બનાવવાની કામગીરી શરુ કરી દેવાઈ છે. જે કામો તાત્કાલિક પૂર્ણ થાય તે દિશામાં રાજ્ય સરકાર કામ કરી રહી છે.

જાફરાબાદ ખાતે રૂ. ૫૭૮૦ લાખના ખર્ચે હયાત જેટીનું વિસ્તરણ કરી ૫૦૦મી. લંબાઈની નવી જેટી બનાવવી, બ્રેક વોટરની દુરસ્તી, લાલબત્તી વિસ્તારમાં વાર્ફ વોલ સાથેની પાર્કિંગ સુવિધા ઊભી કરવી, ટી જેટી વિસ્તારમાં પાર્કિંગ સુવિધા ઊભી કરવી, હયાત જેટીની સરફેસમાં તેમજ ઈલેક્ટ્રીક સુવિધાઓને (હાઈ માસ્ટ ટાવર) થયેલ નુકશાનની મરામત કરાશે.

આ ઉપરાંત શિયાળબેટ ખાતે રૂ. ૧૦૩૦ લાખના ખર્ચે નુકશાન થયેલ જેટીને દુરસ્તી તથા વિસ્તરણ, ઈલેક્ટ્રીક સુવિધાઓને(હાઈ માસ્ટ ટાવર) થયેલ નુકશાનની મરામત તથા સૈયદ રાજપરા ખાતે રૂ. ૫૬૦ લાખ ખર્ચે વાર્ફ વોલ અને સ્લોપ પિચિંગને થયેલ નુકશાનની મરામત અને મજબૂતીકરણ, ઈલેક્ટ્રીક સુવિધાઓને(હાઈ માસ્ટ ટાવર) થયેલ નુકશાનની મરામત કરાશે.

નવાબંદર ખાતે રૂ. ૫૭૫ લાખના ખર્ચે જેટી, બોલાર્ડ અને સ્લોપ પિચિંગને થયેલ નુકશાનની મરામત અને મજબૂતીકરણ, ઈલેક્ટ્રીક સુવિધાઓને(હાઈ માસ્ટ ટાવર) થયેલ નુકશાનની મરામત કરાશે અને મત્સ્ય ઉતરાણ કેન્દ્રો ઉપર ડિસિલ્ટેશનની કામગીરી માટે પણ રાજ્ય સરકાર સહાય કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાઉ-તે વાવાઝોડા સંદર્ભે પ્રાથમિક સર્વે મુજબ ૯૯૪ બોટને નુકશાન થયુ હતુ. તે પૈકી ૯૬૪ અરજીઓ મળી હતી. આ પૈકી ૯૦૦ અરજીઓ મંજૂર કરીને સહાય ચૂકવી દેવામાં આવી છે. જયારે ૩૩ અરજીઓ રદ કરાઈ છે.

આ ૩૩ અરજીઓ બોટ માલિક દ્વારા બોટનું લાયસન્સ કઢાવેલ ન હોય, છેલ્લા બે વર્ષ દરમિયાન માછીમારી માટે ટોકન લીધેલ નથી, તથા બોટ જે માલિકના નામે બોટ રજીસ્ટ્રેશન ન હોય તેમજ બોટ રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ અન્ય વ્યક્તિના નામે હોય આવા કારણોસર અરજદારોની અરજી રદ કરવામાં આવી હતી.

અમરેલી જીલ્લાના જાફરાબાદ ખાતે ૩૯ બોટ વાવાઝોડા દરમિયાન ટગ સાથે અથડાવાના કારણે નુકશાન પામેલ જે પૈકી ૩૧ બોટની સહાય અરજી મળેલ છે. જેની સહાય ચૂકવણી દિન-૨ માં કરી દેવામાં આવશે.

આ રાહત પેકેજનો લાભ ન મળ્યો હોય તેવી કોઈ રજૂઆત રાજ્ય સરકારને આજદિન સુધી મળી નથી. તેમ છતાં પેકેજનો લાભ લેવામાં જો કોઈ માછીમાર વંચિત રહી ગયા હશે તો, તેઓને પણ પેકેજની સહાય રાજ્ય સરકાર પૂરી પાડશે.

Follow Us:
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">