Gandhinagar : 9 ફેબ્રુઆરીથી 100 ટકા પ્રાથમિક શિક્ષકોને શાળામાં હાજર રહેવા આદેશ, 15 ફેબ્રુઆરીથી ધોરણ 6થી 8ના વર્ગો શરૂ થશે
Gandhinagar : ગુજરાતમાં કોરોનાના ઘટતા કેર વચ્ચે રાજ્યના શિક્ષણ વિભાગે પ્રાથમિક શાળાઓ શરૂ કરવા તૈયારીઓ શરૂ કરી છે.
Gandhinagar : ગુજરાતમાં કોરોનાના ઘટતા કેર વચ્ચે રાજ્યના શિક્ષણ વિભાગે પ્રાથમિક શાળાઓ શરૂ કરવા તૈયારીઓ શરૂ કરી છે. પ્રાથમિક શિક્ષણ નિયામકે આવતીકાલ એટલે કે 9 ફેબ્રુઆરીથી તમામ પ્રાથમિક શિક્ષકોને શાળામાં હાજર રહેવા આદેશ કર્યો છે. અત્યાર સુધી પ્રાથમિક સ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષકોને રોટેશન મુજબ બોલાવવામાં આવતા હતા. પરંતુ હવે તમામ શિક્ષકોને બોલાવવામાં આવ્યા છે.આ ઉપરાંત તમામ પ્રાથમિક સ્કૂલોનો સમય સવારના બદલે પૂર્ણ સમયનો કરવા આદેશ આપવામાં આવ્યો છે.તો 15 ફેબ્રુઆરીથી ધોરણ 6થી 8ની શાળાઓ શરૂ થાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.
Latest Videos
Latest News