Delhi Lockdown Extend: દિલ્હીમાં 7 દિવસ માટે લંબાવાયુ લોકડાઉન, કેજરીવાલે કહ્યું 37% સુધી પહોચી ગયો પોઝીટિવીટી રેટ
Delhi Lockdown Extend: લોકડાઉન થયાના એક અઠવાડિયા પછી પણ રાષ્ટ્રીય પાટનગર દિલ્હી (Delhi)માં કોરોનાવાયરસની ગતિ અટકી નથી અને પરિસ્થિતિ હજુ પણ ચિંતાજનક છે. આવી સ્થિતિમાં, દિલ્હી સરકારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે અને એક સપ્તાહ માટે રાજધાનીમાં લોકડાઉનમાં વધારો કર્યો
Delhi Lockdown Extend: લોકડાઉન થયાના એક અઠવાડિયા પછી પણ રાષ્ટ્રીય પાટનગર દિલ્હી (Delhi)માં કોરોનાવાયરસની ગતિ અટકી નથી અને પરિસ્થિતિ હજુ પણ ચિંતાજનક છે. આવી સ્થિતિમાં, દિલ્હી સરકારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે અને એક સપ્તાહ માટે રાજધાનીમાં લોકડાઉન (Lock Down)માં વધારો કર્યો છે. મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે દિલ્હીમાં લોકડાઉનનો સમયગાળો ફરીથી આવતા સોમવાર સુધી લંબાવી દેવામાં આવ્યો છે.
વધતા કોરોના કેસો વચ્ચે, દિલ્હી સરકારે 19 એપ્રિલના રોજ દિલ્હીમાં એક અઠવાડિયા લાંબી લોકડાઉનની જાહેરાત કરી હતી. જે હવે વધારીને આગામી સોમવારે એટલે કે 3 મે સુધી કરવામાં આવી છે. કેજરીવાલે લોકડાઉન સમયગાળો વધારતા કહ્યું કે દિલ્હીમાં કોરોના ચેપના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આને ધ્યાનમાં રાખીને, લોકડાઉન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી, તેની અવધિ એક અઠવાડિયા માટે લંબાવાઈ રહી છે.
દિલ્હીમાં 700 ટન ઓક્સિજનની જરૂરત
તે જ સમયે, ઓક્સિજનના સંચાલન અંગે અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમે ઓક્સિજનના સંચાલન માટે એક પોર્ટલ બનાવ્યું છે. નિર્માતાથી લઈને હોસ્પિટલ સુધીના દરેકને દર બે કલાકે તેમની ઓક્સિજનની સ્થિતિની જાણ કરવી પડશે.
We had imposed a 6-day lockdown in Delhi. The lockdown is being extended to next Monday till 5 am: Delhi CM Arvind Kejriwal #COVID19 pic.twitter.com/s1eHgZmaHN
— ANI (@ANI) April 25, 2021
કેજરીવાલે કહ્યું કે કેન્દ્ર સરકારનો ઘણો ટેકો છે. કેન્દ્ર અને દિલ્હી સરકાર સાથે મળીને કામ કરી રહી છે. દિલ્હીને 700 ટન ઓક્સિજનની જરૂર છે અને કેન્દ્ર સરકાર તરફથી 480 ટન ઓક્સિજન ફાળવ્યું છે અને ગઈકાલે કેન્દ્ર સરકારે 10 ટન ઓક્સિજન અને વધારે ફાળવ્યો છે. હવે દિલ્હીમાં 490 ટન ઓક્સિજન ફાળવવામાં આવ્યો છે પરંતુ આ સંપૂર્ણ ફાળવણી પણ હજી સુધી દિલ્હી પહોંચી નથી. કેજરીવાલે કહ્યું કે ગઈકાલે 330-335 ટન ઓક્સિજન દિલ્હી પહોંચ્યો છે.
દિલ્હીના મુખ્ય પ્રધાને કહ્યું કે લોકડાઉન દરમિયાન અમે જોયું કે પોઝિટિવિટી રેટ લગભગ 36-37 ટકા સુધી પહોંચી ગયો છે. અમે આજદિન સુધી દિલ્હીમાં આવા ઇન્ફેક્શન રેટને જોયો નથી. છેલ્લા એક કે બે દિવસથી ચેપ દરમાં થોડો ઘટાડો થયો છે અને આજે તે 30 ટકા પર આવી ગયો છે.
We have started a portal that will be updated every two hours by oxygen manufacturers, suppliers and hospitals for better management of oxygen supply. The Central and State teams are working together: Delhi CM Arvind Kejriwal pic.twitter.com/uDpvdY9M4W
— ANI (@ANI) April 25, 2021