Cyclone Tauktae : બગસરામાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ, વાવાઝોડું ધીમુ પડયું છે પણ ચિંતા યથાવત છે : CM

Cyclone Tauktae : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાવાઝોડાને મામલે રાજ્યના દરિયાકાંઠાના જિલ્લામાં સર્જાયેલી સ્થિતીની સમીક્ષા કરી હતી. તેમણે બેઠક કરીને નુકશાની સહિતની રજેરજની વિગતો ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં સતત ત્રણ કલાક બેસીને મેળવી હતી.

| Updated on: May 18, 2021 | 2:39 PM

Cyclone Tauktae : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાવાઝોડાને મામલે રાજ્યના દરિયાકાંઠાના જિલ્લામાં સર્જાયેલી સ્થિતીની સમીક્ષા કરી હતી. તેમણે બેઠક કરીને નુકશાની સહિતની રજેરજની વિગતો ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં સતત ત્રણ કલાક બેસીને મેળવી હતી.

બેઠક બાદ મુખ્યમંત્રીએ કહ્યું કે, ગઇકાલે રાતથી આજે મંગળવારે સવાર સુધી વાવાઝોડાની રફતાર આગળ વધી રહી છે.અને રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં તેમની અસર શરૂ થઇ છે. ગઇ રાત્રે ૧૬૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતો પવન હવે ૧૧૦-૧૧પ કિ.મી.ની ઝડપે ફૂંકાય છે અને આ વાવાઝોડું ક્રમશ: નબળું પડતું જાય છે.

તેમણે જણાવ્યું કે આટલા બધા કલાક આ વાવાઝોડું ગુજરાત પર રહેવાથી વ્યાપક નૂકશાન થઇ શકે છે. પરંતુ રાજ્ય સરકારે અગાઉથી જ ત્રણ દિવસ પહેલાં બધી તૈયારીઓ પૂર્ણ કરી હતી. એટલું જ નહિ, ર લાખથી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર શેલ્ટર થઇ જવાથી મોટી જાનજાહિનીની કે અન્ય કોઇ મોટી દુર્ઘટના થઇ નથી.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આ વાવાઝોડાથી રાજ્યના ર૪૩૭ ગામોમાં વીજપુરવઠો ખોરવાયો હતો તેમાંથી વીજ વિભાગની ટીમોએ સત્વરે કાર્યવાહી કરીને ૪૮૪ ગામોમાં પુરવઠો પૂર્વવત કર્યો છે. રર૦ કે.વી.ના બે સબસ્ટેશનોને પણ અસર પડી છે તેના સહિત અન્ય સબસ્ટેશનો જે અસરગ્રસ્ત છે તે પણ ઝડપથી પૂર્વવત કાર્યરત કરી દેવાશે.

આ ઉપરાંત ૧૦૮૧ વીજ થાંભલાને નુકશાન થયું છે. ૧૯૬ માર્ગો બંધ હતા અને ૧પ૯ રસ્તાને નુકશાન થયું છે. તે પૈકી ૪ર મોટરેબલ એટલે કે કોમ્યુનિકેશન માટે કાર્યરત કરી દેવાયા છે. ૪૦ હજાર જેટલા વૃક્ષો પણ આ વાવાઝોડાની અસરથી ધરાશાયી થયા છે.

રાજ્યમાં ૧૬,પ૦૦ મકાનો-ઝૂંપડાઓને પણ આ વાવાઝોડાની અસર પહોંચી છે. જે વિસ્તારોમાં ૧૦૦ કિ.મી. પ્રતિકલાકથી વધુ ઝડપે પવન ફૂંકાયો છે. એવા વિસ્તારોમાં આવા મકાનોના સર્વે કરાઇ રહ્યો છે.

મુખ્યમંત્રીએ આ વાવાઝોડાથી રાજ્યમાં કુલ ૩ વ્યક્તિઓના મૃત્યુ થયાની વિગતો આપતાં એમ પણ કહ્યું કે રાજ્યમાં ૩પ તાલુકાઓમાં ૧ ઇંચથી પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. બગસરામાં સૌથી વધુ ૯ ઇંચ તેમજ ગીરગઢડા-૮, ઊના-૮, સાવરકુંડલા-૭, અમરેલી-પ ઇંચ વરસાદ થયો છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આ વાવાઝોડાની વધુ અસર થઇ છે તેવા અમરેલી, ગીર-સોમનાથ, પોરબંદર, રાજકોટ, ભાવનગર અને બોટાદ જિલ્લાઓમાં મંત્રીઓ, કલેકટર, ડી.ડી.ઓ સાથે વાતચીત કરીને સમગ્રતંત્રને એલર્ટ મોડ પર સ્ટેન્ડ ટુ રાખ્યું છે.

અધિક મુખ્ય સચિવ પંકજકુમારે જણાવ્યું કે, ગઇકાલે રાત્રે ગુજરાતમાં પ્રવેશેલું વાવાઝોડું અત્યારે અમદાવાદથી ૨૧૦ કિ.મી. સાઉથવેસ્ટમાં ૧૧૦ થી ૧૧પ કિ.મી. પ્રતિકલાકની ઝડપે નોર્થ-ઇસ્ટમાં આગળ વધી રહ્યું છે. જે મોડી રાત્રી સુધીમાં વધુ આગળ ધપશે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">