સ્વાસ્થ્ય મંત્રાલયે આપ્યા સંકેત,13 જાન્યુઆરીથી દેશમાં corona vaccination, 37 વેક્સીન સ્ટોર ઉભા કરાયા
corona vaccine-સ્વાસ્થ્ય મંત્રાલયે આપ્યા સંકેત,13 જાન્યુઆરીથી દેશમાં કોરોના વેક્સીનેશન, 37 વેક્સીન સ્ટોર ઉભા કરાશે
સ્વાસ્થ્ય મંત્રાલયે સંકેત આપ્યા છે કે 13 કે જાન્યુઆરીથી દેશમાં corona vaccinationનો કાર્યક્રમ શરૂ થઇ શકે છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે કોરોના વૅક્સીનને મંજૂરી મળ્યા બાદ 10 દિવસ બાદ રોલઆઉટ થઇ શકે છે. એટલે કે કોરોના વૅક્સીનને DCGIએ 3 જાન્યુઆરીએ મંજૂરી આપી હતી. જેથી 3 જાન્યુઆરી બાદથી 10 દિવસ એટલે કે 13 કે 14 જાન્યુઆરીએ દેશમાં કોરોના વૅક્સીનેશન કાર્યક્રમ શરૂ થઇ શકે છે.
સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે ઇમરજન્સી ઉપયોગ માટેની મંજૂરી મળ્યાના 10 દિવસ બાદથી વૅકસીનેશન શરૂ થઇ શકે છે. આ માટે દેશમાં 4 પ્રાથમિક વૅક્સીન સ્ટોર છે, જે કરનાલ, મુંબઇ, ચેન્નઇ અને કોલકાતામાં આવેલા છે. જે બાદ દેશમાં 37 વૅક્સીન કેન્દ્ર છે. જ્યાં વૅક્સીન સ્ટોર કરાશે. અને પછી અહીંથી વૅક્સીન બલ્કમાં જિલ્લા સ્તરે મોકલવામાં આવશે. જિલ્લા સ્તરેથી વૅક્સીનને પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં ફ્રીજર ડબ્બાઓમાં મોકલાશે. જ્યાં આ વૅક્સીન લોકોને લગાવવામાં આવશે.