CORONA : CM વિજય રૂપાણીનાં પત્ની અંજલિ રૂપાણીએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો

CORONA : દેશભરમાં કોરોના વેક્સિનનો ત્રીજો ફેઝ શરૂ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીની એઈમ્સ હોસ્પિટલ ખાતે કોરોના વેક્સિન લીધી.

| Updated on: Mar 01, 2021 | 1:37 PM

CORONA : દેશભરમાં કોરોના વેક્સિનનો ત્રીજો ફેઝ શરૂ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીની એઈમ્સ હોસ્પિટલ ખાતે કોરોના વેક્સિન લીધી. ત્યારબાદ હવે મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં પત્ની અંજલિ રૂપાણીએ ભાટ ગામ નજીક આવેલી એપોલો હોસ્પિટલમાં વેક્સિનનો ડોઝ લીધો છે.

 

રસી પૂરી રીતે સુરક્ષિત : CM

રાજ્ય સરકારનાં સૂત્રોના જણાવ્યાનુસાર, નાગરિકોના રસીકરણ માટે કોઇ સમયનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો નથી. કોઇપણ નાગરિકને રસી માટે ફરજ પડાશે નહીં, પરંતુ જે લોકો સ્વેચ્છાએ રસી લેવા આવે તેમને જ રસી અપાશે. તેથી રાજ્યમાં તમામ લક્ષિત નાગરિકોનું રસીકરણ અમુક ચોક્કસ સમયગાળામાં પૂર્ણ થઇ જશે, એવું કહી શકાશે નહીં. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાગરિકોને વિનંતી કરીને કહ્યું હતું કે ગુજરાતના સૌ-વરિષ્ઠ નાગરિકોના સહકારથી આપણું રાજ્ય અગ્રેસર રહેશે. આ રસી પૂરી રીતે સુરક્ષિત છે તેમજ એની કોઈ આડઅસર પણ નથી જ. 60 વર્ષથી વધુની વયના દરેક નાગરિક આ રસીના બે ડોઝ અવશ્ય સમયસર લે અને પોતાની જાતને કોરોનાથી સુરક્ષિત બનાવે.

ત્રીજા તબક્કામાં 27 કરોડ લોકોને લાભ મળશે

આ નવી ઇમ્યુનાઇઝેશન અભિયાનથી 27 કરોડ લોકોને ફાયદો થશે, 12 હજારથી વધુ સરકારી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને ઇમ્યુનાઇઝેશન ઝડપી બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે, પરંતુ મેક્સ, એપોલો અને ફોર્ટિસ જેવી કેટલીક મોટી ખાનગી હોસ્પિટલો આ અભિયાનમાં જોડાશે નહીં.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">