VIDEO: સ્વામિનારાયણ મંદિરની ‘ધર્મ’ તેરસ, ભગવાનને 100 કરોડનો શણગાર!
આજે ધનતેરસ એટલે ધનની પૂજા, પરંતુ તમે ક્યારેય 100 કરોડનું સોનુ એકસાથે જોયું છે ખરૂ? મોટા-મોટા ધનવાનોના ઘરમાં પણ નહીં જોવા મળે. પરંતુ અમદાવાદમાં એક મંદિર એવું છે, જ્યાં ભગવાનને 100 કરોડનો શૃંગાર કરવામાં આવ્યો છે. અમે વાત કરી રહ્યા છીએ મણીનગર સ્થિત સ્વામીનારાયણ મંદિર ગાદીસ્થાનની. જ્યાં અનોખી રીતે ધનતેરસની પૂજા કરવામાં આવી છે. […]
આજે ધનતેરસ એટલે ધનની પૂજા, પરંતુ તમે ક્યારેય 100 કરોડનું સોનુ એકસાથે જોયું છે ખરૂ? મોટા-મોટા ધનવાનોના ઘરમાં પણ નહીં જોવા મળે. પરંતુ અમદાવાદમાં એક મંદિર એવું છે, જ્યાં ભગવાનને 100 કરોડનો શૃંગાર કરવામાં આવ્યો છે. અમે વાત કરી રહ્યા છીએ મણીનગર સ્થિત સ્વામીનારાયણ મંદિર ગાદીસ્થાનની. જ્યાં અનોખી રીતે ધનતેરસની પૂજા કરવામાં આવી છે.
અહીં ભગવાન સ્વામીનારાયણની પૂજા કોઈ સામાન્ય ફૂલોથી નહીં, પરંતુ સોનાના ફૂલોથી કરવામાં આવી છે. ભગવાનને સોનાના આભુષણોનો શણગાર કરવામાં આવ્યો છે. પ્રભુને 1-2 કરોડ રૂપિયા નહીં, પરંતુ 100 કરોડ રૂપિયાનો શૃંગાર કરવામાં આવ્યો છે. જેમાં 200 કિલો સોનુ, કિંમતી હીરા અને રત્નોનો સમાવેશ થાય છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
વાત જ્યારે ધર્મની હોય ત્યારે ભક્તો પોતાની સૌથી કિંમતી વસ્તુ ભગવાનના ચરણોમાં ચઢાવતા ખચકાતા નથી. ત્યારે ભક્તોએ આપેલા દાનને પ્રભુ સ્વામીનારાયણના ચરણોમાં ધરાવાયું છે. મણીનગરના સ્વામીનારાયણ મંદિરમાં 201 સોનાના ફૂલ સાથે ધર્મ તેરસની ઉજવણી કરવામાં આવી છે.
ભગવાનને અર્પણ કરાયેલા આભુષણો પર નજર કરીએ તો ભગવાન સ્વામીનારાયણની ચરણ પાદુકા નક્કર સોનામાંથી બનેલી છે. જ્યારે હાર કિંમતી રત્નો અને હીરાથી બનેલો નવલખો હાર છે. ભગવાનના હાથમાં લાખેણી ઘડિયાળ છે તો શણગારમાં હીરા, 6 કિલો વજનની સોનાની પાટ પણ મુકાઈ છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો