ગણેશોત્સવ માટે શ્રીજીની શાહી સવારીઓનું ભરૂચમાં આગમન, મુખ્યમાર્ગો રોશનીથી ઝગમગાટ
ત્રીજી સપ્ટેમ્બરથી ૧૦ દિવસનું આતિથ્ય માનવ પધારી રહેલા ભગવાન શ્રી ગણેશને આવકારવા મંડળો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. અતૂટ શ્રદ્ધા અને ઉમંગ સાથે બપ્પાને પંડાલ સુધી વાજતેગાજતે લઈ જવાય છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન અંબાણી પરિવારની […]
ત્રીજી સપ્ટેમ્બરથી ૧૦ દિવસનું આતિથ્ય માનવ પધારી રહેલા ભગવાન શ્રી ગણેશને આવકારવા મંડળો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. અતૂટ શ્રદ્ધા અને ઉમંગ સાથે બપ્પાને પંડાલ સુધી વાજતેગાજતે લઈ જવાય છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ભરૂચમાં સંધ્યાકાળ સાથે મુખમાર્ગો ઉપર શ્રીજીની શાહી સવારીઓ આકર્ષણ જમાવે છે. શ્રીજીની માત્ર વિદાય નહિ પરંતુ આવકાર પણ ભવ્ય બનાવવા શોભાયાત્રા સાથે પ્રતિમાઓને ડીજે અને આકર્ષક લાઈટીંગના ઝગમગાટ વચ્ચે પંડાલ સુધી લઇ જવાય છે. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાય છે. દરરોજ નીકળતી બેથી ત્રણ શોભાયાત્રાઓ ભરૂચવાસીઓમાં અનેરું આકર્ષણ જમાવે છે.
[yop_poll id=”1″]
ભરૂચના અનેક લોકો શોભાયાત્રામાં અને શોભાયાત્રા નિહાળવા રોડ ઉપર ઉતરી આવતા નગર જાણે શ્રીજીમય બની જાય છે. ભરચક વિસ્તારમાં ચકકજામની સ્થિતિને ટાળવા ભરૂચ પોલીસ પણ સાંજના સમયે બંદોબસ્ત ગોઠવી એક ટ્રેક બંધ કરી વાહન વ્યવહાર નિયમિત બનાવવાનો પ્રયાસ કરે છે. ભવ્ય ગણેશ પ્રતિમાઓની શોભાયાત્રા નિહાળવું એક લ્હાવા સમાન લાગે છે. ડ્રોનની નજરે શોભાયાત્રાઓ ભરૂચના મુખ્યમાર્ગોને જાણે શણગાર આપતી હોય તેવો અનુભવ કરાવે છે.