દરેક લોકો કરે છે જે શિવની આરાધના, તે શિવ કોની કરે છે આરાધના?

દરેક લોકો કરે છે જે શિવની આરાધના, તે શિવ કોની કરે છે આરાધના? જોવા, દર્શક મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે, મહાદેવ ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશમાં સૌથી શક્તિશાળી મનાય છે. તેથી જ મહાદેવને દેવાધિદેવ કહેવામાં આવે છે.

દરેક લોકો કરે છે જે શિવની આરાધના, તે શિવ કોની કરે છે આરાધના?
દેવોના દેવ મહાદેવ
Follow Us:
Hasmukh Ramani
| Edited By: | Updated on: Jan 26, 2021 | 8:50 AM

દરેક લોકો કરે છે જે શિવની આરાધના, તે શિવ કોની કરે છે આરાધના? દર્શક મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે, મહાદેવ ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશમાં સૌથી શક્તિશાળી મનાય છે. તેથી જ મહાદેવને દેવાધિદેવ કહેવામાં આવે છે.

બ્રહ્મા, વિષ્ણુ સિવાય તમામ દેવી-દેવતા શિવને તેમના આરાધ્ય દેવ માને છે અને તેમની પુજા કરે છે. તમને ક્યારેય એવો સવાલ થયો છે કે, દેવોના દેવ મહાદેવ કૈલાશ પર્વત પર સમાધિમાં લીન રહે છે તો કોનું ધ્યાન કરે છે. આ વિડીયોમાં તમને જાણકારી મળશે કે ભગવાન શિવ કોનું ધ્યાન કરે છે.

તમે જાણતા હશો કે ભગવાન શીવ હંમેશા સમાધીમાં લીન રહે છે. એવુ કહેવાય છે કે, ભગવાન શીવ તેમના આરાધ્ય દેવનું ધ્યાન ધરતા હોય છે, જેનો ઉલ્લેખ પદ્મપુરાણના ઉતરાખંડમાં કરાયો છે.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

પદ્મપુરાણમાં જણાવ્યા મુજબ એકવાર મા પાર્વતીએ મહાદેવને પુછ્યુ કે, હે પ્રભુ કૃપા કરીને જણાવો કે તમે જ્યારે સમાધીમાં લીન રહો છો તો કોનુ ધ્યાન ધરો છો, ત્યારે મહાદેજીએ કહ્યું કે, હે દેવેશ્વરી તમારા આ પ્રશ્નનો જવાબ ટુંક સમયમાં જ આપીશ. થોડા દિવસ બાદ મહાદેવ બુધ્ધ કૌશીક ઋુષિના સ્વપ્નમાં આવ્યા અને ઋષિને આદેશ આપ્યો કે તમે રામ રક્ષાસ્ત્રોત લખો, પરંતુ ઋષિ કૌશીકે વિનમ્રતાથી ભગવાન મહાદેવને કહ્યુ કે, હું રામ રક્ષાસ્ત્રોત લખવા અસક્ષમ છુ. આ સાંભળી મહાદેવે સ્વપ્નમાં જ ઋષિમુનીને સંપૂર્ણ રામ રક્ષાસ્ત્રોત સંભળાવ્યું અને બીજા દિવસે બુધ્ધ કૌશીક ઋષિએ રામ રક્ષાસ્ત્રોત લખ્યું.

આ ઘટના બાદ મહાદેવે માતા ગૌરીને કહ્યું કે, હે દેવી હું હંમેશા શ્રી રામ નામનું સ્મરણ કરુ છુ. એ સાંભળીને માતા ગૌરીએ મહાદેવને પુછ્યુ કે, હે સ્વામી રામ તો વિષ્ણુ ભગવાનનો અવતાર છે, તો તમે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવાના બદલે શ્રી રામનું સ્મરણ કેમ કરો છો? ભગવાન મહાદેવે કહ્યું કે, દેવી હું શ્રી રામનું સ્મરણ એટલે કરૂ છુ કે, જેવી રીતે તરસ્યો માણસ જેટલી વ્યાકુળતાથી પાણીને યાદ કરે છે તેવી જ રીતે હું ભગવાન વિષ્ણુના સાક્ષાત સ્વરૂપનું શ્રી રામનું સ્મરણ કરૂ છું. જેવી રીતે ઠંડીની સિઝનમાં મનુષ્યો અગ્નિને યાદ કરે છે, દેવતા, પિતૃ, ઋષિ અને મનુષ્ય અખંડ ભગવાન વિષ્ણુનું ચિંતન કરે છે, જે રીતે પવિત્ર નારી હંમેશા તેના પતિને યાદ રાખે કરે છે અને ભયભિત મનુષ્ય નિર્ભય આશ્રય શોધે છે, લોભી વ્યક્તિ ધનનું ચિંતન કરે છે અને પુત્ર જન્મની ઇચ્છા રાખતા મનુષ્ય પુત્ર માટે વ્યાકુળ રહે છે. આ જ રીતે હું ભગવાન વિષ્ણુના અવતાર શ્રી રામનું સ્મરણ કરૂ છું.

ભગવાન વિષ્ણુ દ્વારા નિર્મિત સંપૂર્ણ જગત કર્મને આધિન છે અને કર્મ વિષ્ણુને આધિન છે. શ્રી રામ નામના જપથી તેનો નાશ થાય છે. શ્રી રામ નામના જપનું મહત્વ શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ જેટલું છે. આ માટે હું હંમેશા શ્રી રામ નામનું સ્મરણ કરૂ છું.

એક અદ્દભૂત સંયોગ એ પણ છે કે ભગવાન શ્રી રામ પોતે ભગવાન શિવની આરાધના કરે છે. તમે જોયુ હશે કે, જ્યા પણ રામનું મંદિર હોય છે, ત્યા ભગવાન મહાદેવની શિવલીંગ હોય જ છે. શ્રી રામ શિવજીને સ્મરણ વગર કોઈપણ કાર્ય નથી કરતા અને મહાદેવજી શ્રી રામનું સ્મરણ કરે છે.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">