ભરૂચમાં ગણેશ ઉત્સવની ઉજવણી સાથે પ્રકૃતિનું જતન, નગરપાલિકા જૂનાં ફૂલહારમાંથી બનાવશે ખાતર
ગણેશ ઉત્સવ દરમ્યાન ભક્તિ અને આનંદ સાથે પ્રકૃતિના જતન માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેમાં તંત્ર પણ ભાગીદાર બની રહ્યું છે. ભરૂચના ગણેશ પંડાલોમાંથી દરરોજના સેંકડો કિલો ફુલહાર એકત્રિત કરી પાલિકા ખાતર બનાવશે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more ઉનાળામાં હાર્ટ […]
ગણેશ ઉત્સવ દરમ્યાન ભક્તિ અને આનંદ સાથે પ્રકૃતિના જતન માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેમાં તંત્ર પણ ભાગીદાર બની રહ્યું છે. ભરૂચના ગણેશ પંડાલોમાંથી દરરોજના સેંકડો કિલો ફુલહાર એકત્રિત કરી પાલિકા ખાતર બનાવશે.
આ પણ વાંચો: સુરતમાં હીરાથી શણગારેલાં બાપ્પાના કરો દર્શન, વિશેષ આભૂષણોથી કરાઈ છે સજાવટ
ગણેશ મહોત્સવ દરમ્યાન જળ પ્રદુષણ અટકાવવા સામાજિક સંસ્થાઓ અને પાલિકા દ્વારા સરહાનીય પ્રયાસ કરવામાં આવ્યો છે. પ્રભુની આરાધના અને શણગારની શોભા વધારતા ફૂલ બીજા દિવસે પ્રદૂષણનું કારણ ન બને તે માટે આ ફૂલમાંથી ખાતર બનવવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે. દુંદાળા દેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવની હાલ ઉજવણી કરવામાં આવી રહી છે. વિવિધ ગણેશ પંડાલોમાં શ્રીજીની પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવ્યું છે અને પ્રતિમાનું પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે.ગણેશજીને રોજ સવાર સાંજ ફૂલ હાર ચઢાવવામાં આવે છે. બીજા દિવસે આ ફૂલનું શું કરવું એ સમસ્યા ઉભી થાય છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ગણેશ મંડળના પ્રમુખ પરેશ મોદીએ જણાવ્યું હતું કે ભરૂચ પાલિકા તથા સામાજિક સંસ્થાઓએ પ્રભુને અર્પણ કરાયેલા ફૂલહારના બીજા દિવસે કલેક્શનની હાથ ધરેલી કામગીરી ઘણી પ્રસ્નશનીય છે માં નર્મદામાં ગંદકી હવે ઠલવાય નહિ અને નદીના પાણીમાં સુધારો થશે.
પાલિકા દ્વારા ફૂલ માટે ત્રણ ટેમ્પા ફાળવવામાં આવ્યા છે.સ્વયં સેવકો પૂજાપો ઉઘરાવી તેને એક સ્થળે એકત્રિત કરે છે અને ગણેશ મહોત્સવની પુર્ણાહુતી બાદ ભેગા થયેલા પૂજાપામાંથી ખાતર બનાવવામાં આવશે અને આ ખાતરનું ખેડૂતોને વિતરણ કરાશે. પ્રોજેક્ટમાં સક્રિય સૌરભ કાયસ્થએ જણાવ્યું કે દરેક ગણેશ મંડળમાંથી ફૂલહાર અને પૂજાપો એકત્ર કરી ખાતર બનાવીશું ખાતર કામ લાગે અને પ્રદુષણ પણ અટકશે. અભિગમને સારો આવકાર મળી રહ્યો છે . પ્રોજેક્ટ થકી આસ્થા સાથે પર્યવરણની જાળવણી થશે.