કાલારામ મંદિરના દર્શન સમયે પીએમ મોદીએ મંજીરા વગાડી ભક્તિમય વાતાવરણ સર્જ્યું, જુઓ વીડિયો
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના 'પ્રાણ-પ્રતિષ્ઠા' સમારોહના માત્ર 10 દિવસ પહેલા, PM નરેન્દ્ર મોદીની આ સ્થળની મુલાકાત વિશેષ મહત્વ ધરાવે છે કારણ કે ભગવાન રામના જીવનમાં તેનું ઘણું મહત્વ છે. મંદિરમાં પ્રાર્થના કરવા સાથે, પ્રધાનમંત્રીએ રામાયણ મહાકાવ્યની ભવ્ય કથા સાંભળી, ખાસ કરીને 'યુદ્ધ કાંડ' વિભાગ, જે ભગવાન રામના અયોધ્યા પરત ફરવાનું દર્શાવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શુક્રવારે મહારાષ્ટ્રના નાસિકમાં છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના અભિષેક પહેલા, PM મોદીએ આજે નાસિકમાં પૌરાણિક રીતે મહત્વપૂર્ણ ગોદાવરી પંચવટી વિસ્તારમાં સ્થિત શ્રી કાલારામ મંદિરની પણ મુલાકાત લીધી હતી. વડા પ્રધાને ગોદાવરી નદીના કિનારે સ્થિત રામકુંડમાં પણ પ્રાર્થના કરી હતી. આ સિવાય તેમણે નાસિકમાં રોડ શો પણ કર્યો હતો.
રામાયણથી સંબંધિત સ્થળોમાં પંચવટીનું વિશેષ મહત્વ માનવામાં આવે છે કારણ કે તેનાથી સંબંધિત ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ અહીં બની હતી. ભગવાન રામ, માતા સીતા અને લક્ષ્મણે તેમના વનવાસ દરમિયાન કેટલાક વર્ષો પંચવટી ક્ષેત્રમાં સ્થિત દંડકારણ્ય જંગલમાં વિતાવ્યા હતા. પંચવટી નામનો અર્થ થાય છે 5 વટવૃક્ષોની જમીન. એવી પણ એક દંતકથા છે કે ભગવાન રામે અહીં તેમની ઝૂંપડી બનાવી હતી કારણ કે 5 વડના વૃક્ષોની હાજરીથી આ વિસ્તાર શુભ બન્યો હતો.
