Anand: Mucormycosisની પતિની બિમારીને હરાવવા પત્નિની જીદ જંગે ચઢી, 6 વાર માત આપી તો 7મી વાર માર્યો ઉથલો, વાંચો કળિયુગની સાવિત્રીનો જંગ
Anand: કોરોના (Corona)અને ત્યારબાદ મ્યુકોરમાઈકોસિસે (Mucormycosis) અનેક પરિવારને વેર વિખેર કરી નાંખ્યા છે, ત્યારે આ બંને મહામારીએ અનેક પરિવારોની જિંદગીભરની બચત ખર્ચ કરાવી નાંખી છે. ત્યારે એક સ્ત્રી પોતાના પતિનો જીવ બચાવવા ઝઝુમી રહી છે.
Anand: કોરોના (Corona)અને ત્યારબાદ મ્યુકોરમાઈકોસિસે (Mucormycosis) અનેક પરિવારને વેર વિખેર કરી નાંખ્યા છે, ત્યારે આ બંને મહામારીએ અનેક પરિવારોની જિંદગીભરની બચત ખર્ચ કરાવી નાંખી છે. ત્યારે એક સ્ત્રી પોતાના પતિનો જીવ બચાવવા ઝઝુમી રહી છે. રાત દિવસ એક કરી કોઈપણ ભોગે પોતાના પતિને મોતના મોં માથી પરત લાવવા માંગે છે. જાણે એક સ્ત્રીની જિદ્દ જંગે ચડી છે.
સતી સાવિત્રીની જેમ ચાંદનીબેન પણ મોતના મુખમાંથી પોતાના પતિને બચાવવાનો 6 મહિનાથી પ્રયત્ન કરી રહ્યા છે. કોરોના નામના કાળે અને પરિવારને પિંખી નાંખ્યા છે. પરંતુ દિવાળીની રાત આ પરિવાર માટે ગોઝારી સાબિત થઈ હતી. દિવાળીના દિવસે ચાંદનીના પતિ બિમલ દોશીને તાવ આવ્યો અને ટેસ્ટ કરાવતા કોરોનાનું નિદાન થયું.
ધીરે ધીરે આખો પરિવાર કોરોનાની ચપેટમાં આવી ગયો. પરિવારના દરેક સભ્યો એક બાદ એક સાજા થઈ ગયા પરંતુ મેડિકલ ફિલ્ડમાં જોડાયેલા બિમલ સાજા ન થયા અને કોરોના બાદ તે બ્લેક ફંગસ એટલે કે મ્યુકોરમાઈકોસિસની ચપેટમાં આવી ગયા અને ત્યારથી જ તેમનો પરિવાર અને ખાસ કરી પત્ની ચાંદની તેના પતિનો જીવ બચાવવા જંગે ચડ્યા છે.
આ રોગની સામે જંગમાં 6 મહિનામાં 6 ઓપરેશન પાછળ 41 લાખથી વધુનો ખર્ચ થઈ ચુક્યો છે. વાત આટલેથી અટકી નથી બલકે શરૂ થઈ છે. હવે સાતમી વાર પણ બિમલ ભાઈને મ્યુકોરમાઈકોસિસ ડિટેક્ટ થયું છે અને એટલે જ તેમનું સાતમું ઓપરેશન થવાનું છે.
પરિવાર રાજકોટનું છે અને સારવાર આણંદની એક ખાનગી હોસ્પિટલમાં થઈ રહી છે. વારંવાર રાજકોટથી આણંદ આવવાનું થતું હોય જેથી પરિવાર હાલ આણંદમાં ભાડાના મકાનમાં રહે છે. અત્યાર સુધીમાં ત્રણ લેપ્રોસ્કોપી, 1 ફોરહેડ અને 1 બ્રેન સર્જરી તેમના પર કરાઈ ચુકી છે.
જીવનભરની મૂડી અને મિલકત બિમારીને કારણે ખર્ચાઈ ગઈ છે તેમ છતા પોતાના પતિને બચાવવા એક પત્ની રાત દિવસ એક કરી રહી છે. સાથે જ પરિવાર પણ એમાં સાથ આપી રહ્યા છે. કોઈપણ ગંભીર બિમારીમાં જોવા મળે છે તેમ દર્દી હતાશ થઈ જાય છે અને જીવન જીવવાની આશ છોડી દે છે પરંતુ બિમલ દોશી પણ આત્મવિશ્વાસ અને જુસ્સાભેર આ કુદરતની પરીક્ષા પાસ કરવા માટે પુરી લડત આપી રહ્યા છે.
બિમલભાઈની બીમારીના નિદાન અને સારવાર માટે લાંબો ખર્ચ થયો હોવાથી અને આગામી દિવસોમાં પણ ખર્ચ થનાર હોવાને કારણે પરિવારજનોએ બિમલ દોશીના નવા જીવન માટે બધી જ સંપત્તિ વેચી નાખી છે ત્યારે કાળા માનવીની આ જીદ ઈશ્વરને હરાવી શકશે કે કેમ તેના પર સૌની મીટ મંડાયેલી છે.