Amreli : તાઉ તે વાવાઝોડાના એક મહિના બાદ પણ ખેડૂતોને સહાય નથી મળી, રાજુલાના ધારાસભ્યની સરકારમાં રજૂઆત

તાઉ તે વાવાઝોડાથી થયેલા નુકસાન બાદ રાહત સ્વરૂપે રાજ્ય સરકારે 500 કરોડના પેકેજની જાહેરાત કરી હતી. વાવાઝોડાથી નાશ પામેલા બાગાયતી વૃક્ષો માટે ખેડૂતને હેક્ટર દીઠ રૂ.1 લાખ 2 હેક્ટરની મર્યાદામાં ચૂકવાશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2021 | 2:20 PM

રાજ્યમાં ત્રાટકેલા તાઉ તે વાવાઝોડાને એક મહિના કરતા વધુનો સમય વિતી ચૂક્યો છે, તેમ છતા અનેક લોકો હજુ સહાયથી વંચિત છે. અમરેલી જિલ્લાના ખેડૂતો (Farmers) પણ હજુ સરકારી સહાયની રાહ જોઈ રહ્યા છે. જેને લઈના રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેરે સરકારમાં રજૂઆત કરી હતી.

રાજુલા પંથકના ખેડૂતોને હજુ સુધી તાઉતે વાવાઝોડાની સહાય મળી નથી. નુકસાન બાદ સહાય ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે અમરીશ ડેરે સરકારની યોજનાઓમાં વિસંગતતા હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે સાગરખેડુ યોજના પર પણ સવાલ ઉભા કર્યા હતા. આ પહેલા સરકારના જ પ્રધાન પુરષોત્તમ સોલંકી પણ સાગરખેડુ યોજના પર સવાલ કરી ચૂક્યા છે.

તાઉ તે વાવાઝોડાથી થયેલા નુકસાન બાદ રાહત સ્વરૂપે રાજ્ય સરકારે (Government) 500 કરોડના પેકેજની જાહેરાત કરી હતી. આ પેકેજમાં વાવાઝોડાથી નાશ પામેલા બાગાયતી વૃક્ષો માટે ખેડૂતને હેક્ટર દીઠ રૂ.1 લાખ 2 હેક્ટરની મર્યાદામાં ચૂકવાશે. તો બાગાયતી પાકો ખરી જવાના કિસ્સામાં ખેડૂતોને હેક્ટર દીઠ રૂ.30 હજાર 2 હેક્ટરની મર્યાદામાં ચૂકવાશે.

વાવાઝોડા કૃષિ પેકેજથી રાજ્ય સરકાર પર રૂ. 500 કરોડનો બોજ આવશે અને એક જ સપ્તાહમાં ખેડૂતોના (Farmers) ખાતામાં રાહતની રકમ જમા થઇ જશે તેવું કહેવામાં આવ્યું હતું. ખેડૂતોનું કહેવું હતું કે, મણના નુકસાન સામે કણની જ સહાય છે.

સરકારના નિયમો પ્રમાણે કેટલી સહાય

રાજ્ય સરકારે પાકના નુકસાન માટે 500 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર
બાગાયતી પાકોના વૃક્ષો મૂળ સહિત ઉખડી જવાના કિસ્સામાં હેકટર દીઠ 1 લાખ રૂપિયાની સહાય
બે હેકટરની મર્યાદામાં સહાય ચુકવવામાં આવશે
ઝાડ ઉભા હોય અને પાક ખરી પડ્યો તો હેકટર દીઠ 30 હજાર રૂપિયાની સહાય
પાક ખરી પડ્યો હોય તે કિસ્સામાં વધુમાં વધુ બે હેકટરની મર્યાદામાં સહાય ચુકવવામાં આવશે
ઉનાળુ પાકને નુકસાનના કિસ્સામાં મહત્તમ બે હેકટરની મર્યાદામાં હેકટર દીઠ 20 હજાર રૂપિયાની સહાય

ગુજરાત સરકારે વિનાશક વાવાઝોડા તાઉ તેથી અસર પામેલા માછીમારો માટે રૂપિયા 105 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યુ હતું. જેમાં, 25 કરોડ રૂપિયા સાગરખેડૂ માછીમારોની બોટ, ટ્રોલર, માછીમારીની જાળી વગેરેને થયેલા નુક્સાન અંગે રાહત સહાય બાબતે, તેમજ 80 કરોડ રૂપિયા મત્સ્યબંદરોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને થયેલા નુક્સાનની મરામત માટે જાહેર કર્યા હતા. બન્ને મળીને કુલ રૂપિયા 105 કરોડનું આ રાહત પેકેજ હતું.

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">