AMRELI : ગીરના સાવજ પર સંકટ, 15 દિવસમાં ભેદી રોગચાળામાં 4 સિંહોના મોત

AMRELI : ગીર જંગલ વિસ્તાર નજીકના અમરેલી પંથકમાં સાવજ પર સંકટની સ્થિતિ પેદા થઈ છે. ગીર અને બૃહદગીર રેન્જ વિસ્તારમાં સિંહો પર સંકટ ઉભુ થયું છે.

AMRELI : ગીરના સાવજ પર સંકટ, 15 દિવસમાં ભેદી રોગચાળામાં 4 સિંહોના મોત
ફાઇલ તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2021 | 10:26 PM

AMRELI : ગીર જંગલ વિસ્તાર નજીકના અમરેલી પંથકમાં સાવજ પર સંકટની સ્થિતિ પેદા થઈ છે. ગીર અને બૃહદગીર રેન્જ વિસ્તારમાં સિંહો પર સંકટ ઉભુ થયું છે. ખાસ કરીને ખાંભા અને શેત્રુંજી વિસ્તારમાં 15 દિવસમાં 4 સિંહોના મોત થયા છે. જાફરાબાદમાં બિમાર સિંહણનું રેસ્ક્યું બાદ સારવાર દરમિયાન મોત થયું છે. બાબરકોટ એનિમલ કેર સેન્ટરમાં સિંહણનું મોત થતા વન વિભાગ દોડતું થયું છે.

જોકે કંઇ બિમારીથી સિંહણનું મોત થયુ છે તે અંગે સ્પષ્ટતા થઇ નથી. તંત્રએ અન્ય સિંહોની તપાસ કરવા આદેશ આપ્યો છે. આ તમામની વચ્ચે સિંહોમાં બેબસીયા નામના રોગને લઈ ગણગણાટ શરૂ થયો છે. જોકે મુખ્ય વન સંરક્ષકનું કહેવુ છેકે અત્યારસુધી સિંહોમાં બેબસિયા નામનો રોગ જોવા મળ્યો નથી. એટલું જ નહીં પણ અન્ય કોઇ ભેદી રોગથી પણ આ સિંહોના મોત નથી થયા. જે પાંચ સિંહોના મોત થયા છે તે અલગ અલગ રેન્જમાં થયા છે. અને તેમના સેમ્પલ કલેક્ટ કરી મોતનું કારણ જાણવાના પ્રયાસ થઇ રહ્યાં છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

આ તમામની વચ્ચે સિંહોમાં બબેસીયા નામના રોગને લઈ ગણગણાટ શરૂ થયો છે.. વર્ષ 2018માં આ જ રોગથી 25થી વધુ સિંહોના મોત થયા હતા.. ત્યારે ફરી આ જ રોગે દેખા દીધી હોય તેમ લાગી રહ્યું છે. સિંહોની સ્થિતિ અંગે પર્યાવરણ પ્રેમીઓએ પણ ચિંતા વ્યક્ત કરી છે.

2018માં બબેસીયા રોગ ધારી ગીર પૂર્વ જંગલ વિસ્તારમાં આવ્યો હતો. તેના કારણે 25થી વધુ સિંહોના મોત થયા હતા. પછી અહીંના સિંહોનું રેસ્ક્યુ કરી જૂનાગઢ પણ લઈ જવામાં આવ્યા હતા. આ સમયે આ વિસ્તારોમાં વનવિભાગના મોટા અધિકારીઓની ટીમ પણ આ વિસ્તારમાં આવી હતી અને તપાસ કરી હતી. ફરી એકવાર સાવજોના મોત થતા સિંહ પ્રેમીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે.

સિંહોના મોતનું કારણ જાણવા ટીમ કામ કરી રહી છે. 2018માં જે રોગે સાવજોના જીવ લીધા હતી તે ફરી ન આવે તેવી પ્રાણી પ્રેમીઓ આશા રાખી રહ્યા છે. ત્યારે હવે સિંહોના મોતનું સાચું કારણ તપાસ બાદ જ સામે આવશે..

આ પણ વાંચો : Aravalli: લીંભોઈ નજીક લાગેલી આગ કાબૂમાં, અણસોલ પાસેથી 18 લાખનો દારૂ ઝડપાયો, જાણો જિલ્લાના સમાચાર

આ પણ વાંચો : OMG: કરોડપતિ કબુતરો, જેની પાસે 20 કરોડની જમીન અને 30 લાખનું બેંક બેલેન્સ, જાણો કેમ?

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">