Banaskatha: અંબાજી મંદિર ટ્રસ્ટને આજે મળ્યું રૂપિયા 51.54 લાખની કિંમતનું સોનાનું દાન
Banaskatha : એક શ્રદ્ધાળુ દ્વારા 1100 ગ્રામ સોનાનું આપ્યું દાન અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવાની કામગીરી માટે આપ્યુ છે. દાન ગાંધીનગરના માઈ ભક્તે દ્વારા પોતાનું નામ ગુપ્ત રાખી સોનાનું ગુપ્તદાન કર્યુ છે.
Banaskatha : પ્રખ્યાત કવિ જલન માતરીની સુંદર પંક્તિઓ “શ્રદ્ધાનો જો હો વિષય તો પુરાવાની શું જરૂર?” પંક્તિને યથાર્થ કરતો એક કિસ્સો સામે આવ્યો છે.જેમાં એક શ્રદ્ધાળુ દ્વારા અંબાજી મંદિર ટ્રસ્ટને આજે રૂપિયા 51.54 લાખની કિંમતનું સોનાનું દાન અર્પણ કર્યું છે. એક શ્રદ્ધાળુ દ્વારા 1100 ગ્રામ સોનાનું આપ્યું દાન અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવાની કામગીરી માટે આપ્યુ છે. દાન ગાંધીનગરના માઈ ભક્ત દ્વારા પોતાનું નામ ગુપ્ત રાખી સોનાનું ગુપ્તદાન કર્યુ છે.
Latest Videos
Latest News