Ahmedabad: બહેરામપુરામાં NRI સિનિયર સીટીઝનને બંધક બનાવી લાખોની લૂંટ કરાઇ
બહેરામપુરામાં ત્રણ લૂંટારૂઓએ ઘરમાં ઘૂસી NRI સિનિયર સીટીઝનની આંખમાં મરચું નાખ્યું હતું અને તેમને સેલોટેપથી બાંધી બંધક બનાવ્યા હતા.
Ahmedabadના બહેરામપુરા વિસ્તારમાં ધોળા દિવસે એક NRI સિનિયર સીટીઝનને બંધક બનાવી સોના-ચાંદીના ઘરેણાં સહિત લાખોની લૂંટ કરવામાં આવી છે. બહેરામપુરા વિસ્તારમાં આવેલા આનંદજી કલ્યાણજી જૈન નગરમાં લૂંટનો આ બનાવ બન્યો છે.
મળતી માહિતી મુજબ આ NRI સિનિયર સીટીઝન ઘરે એકલા હતા ત્યારે ત્રણ લૂંટારૂઓએ ઘરમાં ઘૂસી તેમની આંખમાં મરચું નાખ્યું હતું અને તેમણને સેલોટેપથી બાંધી બંધક બનાવ્યા હતા. ત્યારબાદ લૂંટારૂઓએ ઘરમાંથી સોના-ચાંદીના ઘરેણાં, ટીવી, મોબાઈલ ફોન સહિતની લાખો રૂપિયાની લૂંટ ચલાવી હતી.
Latest Videos
Latest News