Ahmedabad Corona Breaking: અમદાવાદીઓ માટે રાહતનાં સમાચાર, કોરોના પડ્યો મંદ, 1 દિવસમાં 3924 દર્દીને રજા અપાઈ

Ahmedabad Corona Breaking: છેલ્લા 5 દિવસથી અમદાવાદમાં કોરોનાના નવા કેસનો આંક સતત ઘટવા સાથે હોસ્પિટલમાંથી રજા લેતા દર્દીઓની સંખ્યા વધી રહી છે. કોરોનાની સારવાર કરતી શહેરની વિવિધ હોસ્પિટલોમાં રવિવારે રાત્રે 11105 બેડ ભરેલા હતા પરંતુ સોમવારે 24 કલાકમાં 3924 દર્દી સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

| Updated on: May 04, 2021 | 10:17 AM

Ahmedabad Corona Breaking: છેલ્લા 5 દિવસથી અમદાવાદમાં કોરોનાના નવા કેસનો આંક સતત ઘટવા સાથે હોસ્પિટલમાંથી રજા લેતા દર્દીઓની સંખ્યા વધી રહી છે. કોરોનાની સારવાર કરતી શહેરની વિવિધ હોસ્પિટલોમાં રવિવારે રાત્રે 11105 બેડ ભરેલા હતા પરંતુ સોમવારે 24 કલાકમાં 3924 દર્દી સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

આમ એક જ દિવસમાં 35 ટકા દર્દી સજા થઈ ઘરે ગયા હતા. આ સાથે વિવિધ હોસ્પિટલોમાં ખાલી બેડની સંખ્યા પણ વધી રહી છે. છેલ્લા 4 દિવસથી રોજ 3 હજારથી વધુ દર્દીને હોસ્પિટલમાંથી રજા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં ડિસ્ચાર્જ થયેલા દર્દીની સંખ્યા પરથી એમ કહી શકાય કે હોસ્પિટલોમાં 3900 બેડ ખાલી થયા છે. આ સ્થિતિ ચાલુ રહેશે તો બેડની તંગીની સમસ્યા હળવી થશે. જો કે અમદાવાદીઓએ ખાસ ધ્યાન રાખવા જેવી વસ્તુ સાવચેતી, સલામતી, સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્કનું પાલન છે કે જેના બળ પર જ કોરોનાને હરાવી શકાય છે.

 

કોરોનાના કપરાકાળ વચ્ચે ગુજરાત રાજ્યના નાગરિકો માટે રાહતના સમાચાર છે. રાહતની વાત એ છે કે વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકેલો કોરોના હવે ધીમે ધીમે મંદ પડી રહ્યો છે અને પાછલા 14 દિવસ બાદ રાજ્યમાં 13 હજારથી ઓછા કેસ નોંધાયા છે.

પાછલા 11 દિવસથી રાજ્યમાં કોરોનાના 13 હજારથી વધુ કેસ નોંધાતા હતા જોકે પાછલા 24 કલાકમાં રાજ્યમાં 12,820 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે 140 દર્દીઓના મોત થયા. નવા મોત સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 7,648 પર પહોંચ્યો છે તો 11,999 દર્દીઓ સાજા થવાની સાથે કુલ સાજા થનારા દર્દીઓની સંખ્યા 4 લાખ 52 હજાર 275 પર પહોંચ્યો છે જોકે રાજ્યમાં હજુ પણ 1 લાખ 47 હજાર 499 એક્ટિવ કેસ છે જ્યારે વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા વધીને 747 પર પહોંચી છે.

રાજ્યના શહેરોની જો વાત કરીએ તો અમદાવાદમાં આક્રમક બનેલો કોરોના મંદ પડ્યો છે અને નવા 4,671 કેસ સાથે 26 દર્દીઓના મોત થયા છે તો સુરતમાં 1,656 કેસ સાથે 13 દર્દીઓના મોત નિપજ્યા જ્યારે વડોદરામાં 936 દર્દીઓ સાથે 14ના મોત થયા.

આ તરફ રાજકોટમાં 524 કેસ સાથે 16 દર્દીઓ કોરોનાનો શિકાર બન્યા તો જામનગરમાં 14 દર્દીઓના મોત સાથે નવા 712 કેસ નોંધાયા તો ભાવનગરમાં 12 અને જૂનાગઢમાં 9 દર્દીઓ કોરોના સામેનો જંગ હાર્યા. આ સિવાય સાબરકાંઠા, અમરેલી અને સુરેન્દ્રનગરમાં 4-4 દર્દીઓના મોત થયા તો મહેસાણા, કચ્છ, પાટણ અને દ્વારકામાં 3-3 દર્દીના મોત થયા જ્યારે બનાસકાંઠા અને ગાંધીનગરમાં 2-2 દર્દીના મોત થયા.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">