<urlset xmlns="https://www.sitemaps.org/schemas/sitemap/0.9" xmlns:video="http://www.google.com/schemas/sitemap-video/1.1"><url><loc>https://tv9gujarati.com/videos/gujarat-videos/gujarat-forecast-three-active-weather-systems-yet-no-heavy-rain-warning-1509888.html</loc><video:video>
	<video:title>Breaking News : વાતાવરણમાં પલટો, ગુજરાતમાં ત્રણ સક્રિય સિસ્ટમ્સ છતાં ભારે વરસાદ નહીં, જુઓ નવી આગાહી</video:title>
	<video:publication_date>2026-09-04T15:52:37+05:30</video:publication_date>
	<video:description>ગુજરાત રાજ્યમાં હાલ ત્રણ સક્રિય હવામાન સિસ્ટમ્સ હોવા છતાં આગામી સાત દિવસ માટે ભારે વરસાદની શક્યતા નહિવત્ છે, તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. મોન્સૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પર બનેલી અન્ય ટ્રફ સિસ્ટમ સહિત આ ત્રણ સિસ્ટમ્સ સક્રિય છે. આ સિસ્ટમ્સને કારણે ગુજરાતમાં છૂટોછવાયો અને હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.  વરસાદની વર્તમાન સ્થિતિને જોતાં, રાજ્યમાં હજુ પણ વરસાદની ઘટ નોંધાઈ છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં હાલ 16 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે. આ ઉપરાંત, સૌરાષ્ટ્ર-કચ્છ રિજનમાં 37 ટકા જેટલી નોંધપાત્ર વરસાદની ઘટ અનુભવાઈ રહી છે. આ પરિસ્થિતિ ખેડૂતો અને સામાન્ય જનજીવન માટે ચિંતાનો વિષય છે.  હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, એક ટ્રફ લાઇન શ્રી ગંગાનગરથી પસાર થઈ રહી છે. બીજી એક ટ્રફ સિસ્ટમ ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રથી થઈને ઝારખંડ તરફ આગળ વધી રહી છે. ત્રીજી સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે જે 64 ડિગ્રી પૂર્વ રેખાંશ અને 32 ડિગ્રી ઉત્તર અક્ષાંશ પર બનેલી છે. જોકે, આ સિસ્ટમ્સ સક્રિય હોવા છતાં ગુજરાતમાં આગામી એક અઠવાડિયા સુધી ભારે વરસાદની કોઈ ચેતવણી નથી. ભારતના અનેક શહેરોની માફક નવસારીમાં પણ રખડતા પશુઓનો ત્રાસ, સમસ્યાનો હલ ક્યારે ?</video:description>
<video:category>Gujarat Weather News</video:category>
<video:category>ગાંધીનગર</video:category>
<video:category>ગુજરાત વીડિયો</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/R-EMEKQwOlg</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/sagar-solanki">Sagar Solanki</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Gujarat-Forecast-Three-Active-Weather-Systems-Yet-No-Heavy-Rain-Warning.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/gujarat-videos/junagadh-water-crisis-dams-alarmingly-low-sauni-yojana-to-supply-water-1509864.html</loc><video:video>
	<video:title>જુનાગઢમાં વરસાદ ખેંચાતા જળાશયો તળિયાઝાટક થવાની સ્થિતિમાં, સૌની યોજના દ્વારા ડેમોમાં છોડાશે પાણી- Video</video:title>
	<video:publication_date>2026-09-04T15:27:17+05:30</video:publication_date>
	<video:description>સમગ્ર સૌરાષ્ટ્ર સહિત જુનાગઢમાં આ વર્ષે પુરતો વરસાદ વરસ્યો નથી અને છેલ્લા દોઢ મહિનાથી વરસાદ ખેંચાતા ડેમોમાં જળસ્તરના તળિયા દેખાવા લાગ્યા છે. ત્યારે પીવાના પાણીની અછત ન સર્જાય તેને ધ્યાન રાખી સિંચાઈ વિભાગ દ્વારા સૌની યોજના માફરતે ઓઝત ડેમમાં પાણી છોડવાની તૈયારી કરવામાં આવી છે. સિંચાઈ વિભાગનું કહેવુ છે કે પહેલા પીવાની પાણીની અછત ન સર્જાય તે માટે ઓઝત ડેમમાં પાણી છોડવામાં આવશે. હાલ જો વરસાદ નહીં આવે તો પીવાનું પાણીનો પૂરવઠો અટકે નહીં તેને પ્રાથમિક્તા આપવામાં આવશે  જિલ્લામાં ચાલુ વર્ષે ડેમમાં જળસ્તર નીચે જતા ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. માંગરોળમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત માળિયાહાટીના, કેશોદ, મેંદરડા, ભેંસાણ, વિસાવદર અને વંથલીમાં પણ વરસાદ થયો છે. તેમ છતા ડેમમાં પાણીન જોઈએ તેટલી આવક થઈ નથી અને જળાશયો ખાલી થવા લાગ્યા છે. હાલ ઓઝત-2 ડેમમાં 11.37 %, ઓઝત ટીકરમાં 3.36% અને ગળથ ડેમમાં માત્ર 3 ટકા પાણી છે. જ્યારે ઓઝત વિયર સાપુર અને વંથલી વિયર ખાલી છે. જેને પગલે આગામી દિવસોમાં પીવાના પાણીની અછત સર્જાય તેવી સ્થિત ઉભી થતા ચિંતા વધી છે. આ સમગ્ર મામલે કાર્યપાલક ઈજનેરનું કહેવુ છે કે સૌની યોજના હેઠળ ઓઝત 2 અને આણંદપુર ડેમ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.  Input Credit- Vijaysinh Gohil- Junagadh    ચીનના કંટ્રોલવાળા તિબેટમાં વિનાશની અસલી હકીકત છુપાવીને ચીન દુનિયા સમક્ષ ક્યુ નેરેટિવ સેટ કરી રહ્યુ છે?- વાંચો</video:description>
<video:category>ગુજરાત</video:category>
<video:category>ગુજરાત વીડિયો</video:category>
<video:category>જૂનાગઢ</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/iw0hjiwrKB8</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/mina-pandya">Mina Pandya</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/JND-DAM-Water-Level.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/gujarat-videos/breaking-news-cockroach-found-in-food-at-samaras-boys-hostel-in-surat-1509759.html</loc><video:video>
	<video:title>Breaking News : સુરતની સમરસ બોય્ઝ હોસ્ટેલના ભોજનમાં નીકળ્યો વંદો! મેસ એજન્સી સામે કાર્યવાહી</video:title>
	<video:publication_date>2026-09-04T13:54:06+05:30</video:publication_date>
	<video:description>સુરત શહેરની સમરસ બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને પીરસવામાં આવેલા ભોજનમાં વંદો મળી આવ્યાના આક્ષેપ બાદ હોબાળો મચ્યો હતો. સોયાબીનના શાકમાંથી વંદો મળી આવતાં વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો. હોસ્ટેલના શાકમાં જોવા મળ્યો વંદો મળતી માહિતી મુજબ, ભોજન દરમિયાન શાકમાં વંદો જોવા મળતાં વિદ્યાર્થીઓએ ઘટનાનો ઉગ્ર વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓએ થાળી વગાડીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે હોસ્ટેલના ભોજનમાં અવારનવાર બેદરકારી સામે આવી રહી છે અને ભોજનની ગુણવત્તા તથા સ્વચ્છતાને લઈને યોગ્ય તકેદારી રાખવામાં આવતી નથી. મેસ એજન્સી સામે કાર્યવાહી ઘટનાને પગલે વિદ્યાર્થીઓના વિરોધ બાદ મેસ એજન્સી સામે કાર્યવાહી કરવામાં આવી હતી. મેસ એજન્સીને ₹10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. સ્વચ્છતાને લઈને અગાઉ પણ સવાલો ઉઠ્યા સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતા ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતાને લઈને અગાઉ પણ સવાલો ઉઠતા રહ્યા હોવાના આક્ષેપો વચ્ચે આ ઘટનાએ ફરી એકવાર તંત્રની કામગીરી સામે પ્રશ્નો ઉભા કર્યા છે. Breaking News: જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાંથી દીપડો પાંજરે પુરાયો, 4 દિવસ બાદ કિલ્લો પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો, જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો </video:description>
<video:category>ગુજરાત</video:category>
<video:category>ગુજરાત વીડિયો</video:category>
<video:category>સુરત</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/Uje9ZT2Dbvo</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/editor">TV9 Gujarati</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Cockroach-In-surat-hostle-food.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/gujarat-videos/saputara-breaking-news-bus-collides-with-hill-54-passengers-safe-video-1509749.html</loc><video:video>
	<video:title>Saputara Breaking News : સાપુતારા જતી બસ ભેખડ સાથે અથડાઈ, 54 મુસાફરોનો આબાદ બચાવ ! જુઓ Video</video:title>
	<video:publication_date>2026-09-04T13:09:25+05:30</video:publication_date>
	<video:description>અમદાવાદથી સાપુતારા આવી રહેલી ખાનગી બસને સામગહાન-માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અકસ્માત નડ્યો હતો. જન્માષ્ટમીના પર્વે અમદાવાદથી સાપુતારા ફરવા માટે નીકળેલા પ્રવાસીઓ બસમાં સવાર હતા. ચઢાણ ચઢતી વખતે અચાનક બસ બંધ પડી જતા બસ રિવર્સમાં ધસી ગઈ હતી. બસ રિવર્સમાં ધસી જતા માર્ગની સાઈડમાં આવેલા ખાડામાં ઉતરી ગઈ હતી.  આ દરમિયાન બસ ભેખડ સાથે અથડાઈને અટકી જતા મોટી દુર્ઘટના ટળી હતી. બસમાં કુલ 54 મુસાફરો સવાર હોવાનું સામે આવ્યું છે. સદનસીબે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાનિ થઈ નહોતી. સદનસીબે અકસ્માતમાં કોઈ મુસાફરને ઈજા કે જાનહાનિ થઈ નહીં અચાનક બસ રિવર્સમાં ધસી ખાડામાં ઉતરી જતા બસમાં સવાર મુસાફરોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં મુસાફરો અને તેમના પરિવારજનોમાં પણ ચિંતા ફેલાઈ હતી. જોકે બસ ભેખડ સાથે અથડાઈને અટકી જતા મોટી દુર્ઘટના ટળી હતી. સદનસીબે અકસ્માતમાં કોઈ મુસાફરને ગંભીર ઈજા કે જાનહાનિ થઈ ન હોવાથી સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.  જન્માષ્ટમીની રજાઓમાં સાપુતારા ફરવા નીકળેલા પ્રવાસીઓ સાથે બનેલી આ ઘટનામાં સદનસીબે તમામ 54 મુસાફરો સુરક્ષિત રહ્યા હતા. ઘટનાને પગલે અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગેની વિગતો જાણવા માટે સંબંધિત તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.   આ પણ વાંચો, Breaking News: જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાંથી દીપડો પાંજરે પુરાયો, 4 દિવસ બાદ કિલ્લો પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો, જુઓ Video</video:description>
<video:category>અમદાવાદ</video:category>
<video:category>ગુજરાત</video:category>
<video:category>ગુજરાત વીડિયો</video:category>
<video:category>ડાંગ</video:category>
<video:category>વીડિયોઝ</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/KEuWsEsE-2MWUa9Jl.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/editor">TV9 Gujarati</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Saputara-Bus-Accident.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/gujarat-videos/breaking-news-junagadh-uparkot-fort-leopard-captured-after-four-day-forest-department-operation-1509666.html</loc><video:video>
	<video:title>Breaking News: જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાંથી દીપડો પાંજરે પુરાયો, 4 દિવસ બાદ કિલ્લો પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો, જુઓ Video</video:title>
	<video:publication_date>2026-09-04T10:24:51+05:30</video:publication_date>
	<video:description>જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લા વિસ્તારમાં દીપડો દેખાયા બાદ પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કિલ્લો છેલ્લા ચાર દિવસથી બંધ રાખવામાં આવ્યો હતો. દીપડાની હાજરીને પગલે વન વિભાગ દ્વારા સમગ્ર વિસ્તારમાં સઘન સુરક્ષા અને મોનિટરિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વન વિભાગે ગોઠવ્યા પાંચ પાંજરા દીપડાને પકડવા માટે ઉપરકોટ કિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં કુલ પાંચ પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. ફિલ્ડ સ્ટાફ, ટ્રેકર્સ અને વેટરનરી ટીમ દ્વારા દીપડાની હિલચાલ પર સતત નજર રાખવામાં આવી હતી. ટીમોએ દિવસ-રાત કામગીરી કરીને દીપડાને પાંજરે પૂરવા માટે પ્રયાસો કર્યા હતા. ટ્રેપ કેમેરા અને થર્મલ ડ્રોનથી નજર વન વિભાગે ટેક્નોલોજીની મદદથી પણ સમગ્ર વિસ્તારનું મોનિટરિંગ કર્યું હતું. કિલ્લા વિસ્તારમાં ટ્રેપ કેમેરા ગોઠવવામાં આવ્યા હતા, જ્યારે થર્મલ ડ્રોનની મદદથી પણ દીપડાની હિલચાલ પર નજર રાખવામાં આવી હતી. આ ઉપરાંત સમગ્ર વિસ્તારમાં 24 કલાક પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. સઘન કામગીરી બાદ દીપડો પાંજરે પુરાયો વન વિભાગની સતત કામગીરી અને દેખરેખ બાદ આખરે દીપડો પાંજરે પુરાયો હતો. દીપડો પકડાઈ જતા વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. હવે દીપડાને સલામત સ્થળે લઈ જઈ આગળની કાર્યવાહી કરવામાં આવશે. પ્રવાસીઓની સુરક્ષા માટે લેવાયા તકેદારીના પગલાં ઉપરકોટ કિલ્લો જૂનાગઢનું મહત્વનું ઐતિહાસિક અને પ્રવાસન સ્થળ હોવાથી અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. પ્રવાસીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપીને વન વિભાગે કિલ્લો બંધ રાખવા સહિતના તકેદારીના પગલાં લીધા હતા. દીપડો પકડાતા પ્રવાસીઓ માટે રાહત ચાર દિવસની સઘન કામગીરી બાદ દીપડો પાંજરે પુરાતા ઉપરકોટ કિલ્લામાં પ્રવાસીઓની સુરક્ષાને લઈને ઊભી થયેલી ચિંતા દૂર થઈ છે. વન વિભાગની કામગીરીના પગલે કિલ્લો ફરી પ્રવાસીઓ માટે સુરક્ષિત બન્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.  આ પણ વાંચો- ગુજરાતના ભાલકા તીર્થથી મથુરા-વૃંદાવન સુધી, જ્યાં-જ્યાં પડ્યાં કાન્હાના ચરણ, શહેરોની બદલાઈ કિસ્મત !</video:description>
<video:category>ગુજરાત વીડિયો</video:category>
<video:category>જૂનાગઢ</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/8Wa2Km4C-2MWUa9Jl.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/tanvi-soni">Tanvi Soni</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/leopard-captured-after-four-day.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/bhakti-videos/daily-gujarati-rashifal-of-04-september-2026-today-horoscope-astrology-predictions-for-all-zodiac-signs-watch-video-1507203.html</loc><video:video>
	<video:title>04 સપ્ટેમ્બર 2026 રાશિફળ: જન્માષ્ટમીના દિવસે વિદ્યાર્થીઓ માટે શુભ સમાચાર, આ રાશિઓને મળશે નવી તકો</video:title>
	<video:publication_date>2026-09-04T08:05:01+05:30</video:publication_date>
	<video:description>આજનું રાશિફળ વીડિયો: શું આજે ભાગ્ય તમારો સાથ આપશે? જાણો આજના દિવસની નાની-મોટી તમામ આગાહી. કોના પર વરસશે ધન અને કોને મળશે નોકરીમાં સારા સમાચાર? વ્યવસાયમાં નફો મેળવવાની ટિપ્સ અને સ્વાસ્થ્યની સાવચેતી સાથે જુઓ આજનું રાશિફળ. પ્રેમી યુગલો માટે આજનો દિવસ કેવો રહેશે, જાણો અહીં. મેષ રાશિ: આજે કાર્યસ્થળ પર તમારી સકારાત્મક ઉર્જા અને ઉત્સાહથી અટકેલા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ ઝડપથી પૂર્ણ થશે. વેપારમાં નવી ભાગીદારી અથવા સોદા થવાથી આર્થિક લાભના મજબૂત યોગ બનશે. વૃષભ રાશિ: આજે નોકરી અને વ્યવસાયમાં તમારી મહેનતની પ્રશંસા થશે તથા નવી જવાબદારીઓ સોંપાઈ શકે છે. જૂના રોકાણ કે અટકેલા નાણાં પાછા મળવાથી આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થશે. મિથુન રાશિ: આજે બૌદ્ધિક ચર્ચાઓ અને મહત્વપૂર્ણ મીટિંગોમાં તમારી વાણીનો સારો પ્રભાવ રહેશે. વેપારના વિસ્તરણ માટે કરેલા આર્થિક પ્રયાસોમાં ઉત્તમ સફળતા મળશે. સંશોધન અને સ્પર્ધાત્મક ક્ષેત્રના વિદ્યાર્થીઓનું મનોબળ ઊંચું રહેશે. કર્ક રાશિ: આજે માનસિક શાંતિ મળવાથી તમે ઘર અને વ્યવસાય બંને વચ્ચે શ્રેષ્ઠ સંતુલન જાળવી શકશો. જમીન, મકાન કે નવી મિલકતની ખરીદી સંબંધિત આર્થિક વ્યવહારો સફળ રહેશે. અભ્યાસમાં એકાગ્રતા વધવાથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઉત્તમ પરિણામ મળશે. સિંહ રાશિ: આજે સમાજ અને કાર્યસ્થળ પર તમારો પ્રભાવ વધશે તથા નેતૃત્વ ક્ષમતાની પ્રશંસા થશે. વ્યવસાયમાં નવા કરારો થવાથી સારો આર્થિક લાભ પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓનું ધ્યાન લક્ષ્ય પર કેન્દ્રિત રહેશે અને સારા પરિણામો પ્રાપ્ત થશે. કન્યા રાશિ: આજે આયોજનબદ્ધ રીતે કામ કરવાથી ઓફિશિયલ ગૂંચવણો સરળતાથી ઉકેલાતી જણાશે. ખર્ચ પર યોગ્ય નિયંત્રણ રહેવાથી નવી બચત યોજનાઓમાં મૂડી રોકાણ કરી શકશો. ઉચ્ચ શિક્ષણ લઈ રહેલા વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ્સમાં યોગ્ય માર્ગદર્શન મળશે. તુલા રાશિ: આજે ભાગીદારીના ધંધામાં પારદર્શિતા જાળવવાથી મોટો આર્થિક લાભ થશે. અણધાર્યા નાણાકીય ફાયદાથી ભવિષ્યની યોજનાઓને ઝડપી વેગ મળશે. કલા, સંગીત અને સાહિત્યના વિદ્યાર્થીઓ માટે દિવસ પ્રગતિશીલ રહેશે. વૃશ્ચિક રાશિ: આજે કાર્યક્ષેત્રમાં તમારી નવી કાર્યપદ્ધતિ અને રણનીતિની સહુ પ્રશંસા કરશે. અચાનક નાણાકીય લાભ થવાથી જૂની આર્થિક ચિંતાઓ હળવી બનશે. ધન રાશિ: આજે ભાગ્ય અને પુરુષાર્થ બંનેનો સાથ મળવાથી અઘરા કાર્યો પણ સરળતાથી થઈ જશે. વિદેશ સંબંધિત કારોબાર કે ઓનલાઇન બિઝનેસમાં ઉત્તમ નફો થવાના યોગ છે. મકર રાશિ: આજે કાર્યસ્થળ પર ધીરજ અને સંયમપૂર્વક કરેલી મહેનતનું ઉત્કૃષ્ટ પરિણામ મળશે. લાંબા ગાળાના આયોજનોમાંથી સ્થિર અને સારો નાણાકીય લાભ મળતો રહેશે. ટેકનિકલ તેમજ મેનેજમેન્ટ ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ઉત્સાહજનક રહેશે. કુંભ રાશિ: આજે નવા વિચારો અને સર્જનાત્મકતાના બળે વેપારમાં નવી સિદ્ધિઓ હાંસલ કરી શકશો. ઓનલાઇન પ્લેટફોર્મ કે કન્સલ્ટન્સીના કામમાંથી સારો આર્થિક નફો થશે. વિજ્ઞાન અને સંશોધનના વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખૂબ પ્રોત્સાહક રહેશે. મીન રાશિ: આજે ભાગ્યનો સાથ મળવાથી અટકેલા સરકારી અને વહીવટી કામો ઝડપથી પાર પડશે. વેપારમાં સારો રોકડ પ્રવાહ રહેવાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ઉત્સાહજનક સમાચાર મળશે. નોંધ: અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.</video:description>
<video:category>ભક્તિ વીડિયો</video:category>
<video:category>ભક્તિ સમાચાર</video:category>
<video:category>રાશિફળ</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/7xHDVveVGjg</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/sachin">Sachin Agrawal</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Gujarati-Rashifal-of-04-September-2026-v.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/gujarat-videos/wrong-side-driving-accident-and-assault-accused-arrest-ahmedabads-cg-road-1509511.html</loc><video:video>
	<video:title>Breaking News : અમદાવાદમાં કુખ્યાત બુટલેગરના પૌત્ર આદિત્ય રાઠોડની CG રોડ અકસ્માત અને મારપીટ કેસમાં ધરપકડ</video:title>
	<video:publication_date>2026-09-03T20:28:20+05:30</video:publication_date>
	<video:description>અમદાવાદના CG રોડ પર રોંગ સાઇડ ડ્રાઇવિંગ બાદ થયેલા ગંભીર અકસ્માતના કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. શહેરના કુખ્યાત બુટલેગર કિશોર લંગડાનો પૌત્ર આદિત્ય રાઠોડ ફરી વિવાદમાં આવ્યો છે. નવરંગપુરા પોલીસે આદિત્ય રાઠોડની ધરપકડ કરી છે.  મળતી માહિતી મુજબ, આદિત્ય રાઠોડે CG રોડ પર પોતાની કાર રોંગ સાઇડમાં હંકારી હતી, જેના કારણે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ફરિયાદીને ગાળો બોલીને માર મારવાનો પણ તેની સામે ગંભીર આરોપ છે. આ ગુનામાં આદિત્યસિંહ દિલીપસિંહ કિશોરસિંહ રાઠોડ અને તેનો મિત્ર વિશ્વરાજસિંહ દેવેન્દ્રસિંહ પરમાર બંને સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ સૂત્રો અનુસાર, તેમની સામે મારામારી અને અકસ્માત સર્જવાના આરોપો છે, જેમાં રોંગ સાઇડ ડ્રાઇવિંગની કલમો પણ ઉમેરવામાં આવી છે.  આ ઘટનાથી અમદાવાદના વ્યસ્ત CG રોડ પર ટ્રાફિક સુરક્ષા અને રોડ શિસ્તને લઈને સવાલો ઊભા થયા છે. રોંગ સાઇડ ડ્રાઇવિંગ માત્ર ટ્રાફિક નિયમનો ભંગ નથી, પરંતુ તે ગંભીર અકસ્માતોનું કારણ બની શકે છે. નવરંગપુરા પોલીસે ફરિયાદ નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હવે અકસ્માત બાદ થયેલી કથિત મારામારી અંગેની વિગતો પણ એકત્ર કરી રહી છે. સુરતની આ હોટલના દાલ તડકાના પાર્સલમાંથી મૃત વંદો નીકળ્યો અને પછી જે થયું તે જુઓ Video</video:description>
<video:category>અમદાવાદ</video:category>
<video:category>ગુજરાત વીડિયો</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/YPxz6WmISm4</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/editor">TV9 Gujarati</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Wrong-Side-Driving-Accident-and-Assault-Accused-Arrest-Ahmedabads-CG-Road.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/gujarat-videos/rajbha-gadhvi-slams-bhavnagar-hooch-tragedy-shook-bhavnagar-at-rang-kasumbal-dayro-event-1509457.html</loc><video:video>
	<video:title>ભાવનગર લઠ્ઠાકાંડ મામલે રાજભા ગઢવીએ નેતાઓની હાજરીમાં કરી ટિપ્પણી, કહ્યું &quot;લઠ્ઠાકાંડે ભાવનગરને ધુણાવી દીધુ&quot;</video:title>
	<video:publication_date>2026-09-03T18:10:07+05:30</video:publication_date>
	<video:description>ભાવનગરના ઘોઘા તાલુકામાંથી સામે આવેલા લઠ્ઠાકાંડના પડગા સમગ્ર રાજ્યમાં પડ્યા છે. ત્યારે લોકકલાકાર રાજભા ગઢવીએ તેમના એક કાર્યક્રમ દરમિયાન નેતાઓની હાજરીમાં લઠ્ઠાકાંડ સંબંધે માર્મિક પ્રહાર કર્યા હતા. રાજભા એ રાક્ષસનું ઉદાહરણ આપીને લઠ્ઠાકાંડ પર પ્રહાર કર્યા.  ભાવનગરના સિંહોર માં નગરપાલિકા દ્વારા આયોજિત રંગ કસુંબલ લોક ડાયરામાં લોકગાયક રાજભા ગઢવીએ લઠ્ઠાકાંડને લઈને કરેલી ટિપ્પણી ચર્ચાનો વિષય બન્યો છે. ડાયરામાં રાજભા ગઢવીએ સમાજમાં સારા લોકોના આગમન અને વ્યવસન મુક્તિ અંગે જણાવ્યુ કે સમાજમાં રામ આવે તો સારા કામ થાય. ઘણા ગામોમાં રામ આવ્યા છે અને આખા ગામમાં વ્યસન બંધ કરી દીધુ છે. ત્યારબાદ તેમણે રાક્ષસના ઉદાહરણ સાથે ભાવનગરમાં બનેલી લઠ્ઠાકાંડની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યુ કે જો રાક્ષસ આવી જાય તો આખા સમાજને ધુણાવી નાખે આ વાતને ભાવનગરના લઠ્ઠાકાંડ સાથે જોડતા રાજભા ગઢવીએ કહ્યુ કે લઠ્ઠાકાંડે ભાવનગરને ધુણાવી નાખ્યુ છે.  આ લોકડાયરા દરમિયાન ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયા, ભાજપના જિલ્લા પ્રમુખ સહિત ભાજપના આગેવાનો તેમજ સંતો-મહંતોની ઉપસ્થિત હતા. ભાવનગરના ઘોઘા તાલુકાના ખરકડી ગામમાં કેટલાક મિત્રોએ દારુ પાર્ટી કરી હતી. જેમા રોયલ સ્ટેગની બોટલમાં નક્લી દારુ હતો અને તેમા ઈથેનોલની જગ્યાએ મિથેનોલનું પ્રમાણ વ્યાપક પ્રમાણમાં હતુ અને આના જ કારણે 13 લોકોના મોત થયા હતા. આ કેસમાં અત્યા સુધીમાં એક પોલીસકર્મી સહિત 39 લોકોની ધરપકડ થઈ ચુકી છે. આ લઠ્ઠાકાંડ બાદ ભાવનગરમાં વ્યસન અને નશાના દૂષણને લઈને સતત ચર્ચા ચાલી રહી છે ત્યારે જાહેર કાર્યક્રમના મંચ પરથી રાજભા ગઢવીની આ ટિપ્પણી હવે ચર્ચાનું કેન્દ્ર બની છે  Input Credit- Ajit Gadhvi- Bhavnagar Hastrekhashastra: તમારી હથેળીમાં રહેલી આ રેખા આપને રાતોરાત બનાવી શકે છે અમીર- વાંચો</video:description>
<video:category>ગુજરાત</video:category>
<video:category>ગુજરાત વીડિયો</video:category>
<video:category>ભાવનગર</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/9xADMdCx-2MWUa9Jl.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/editor">TV9 Gujarati</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Rajbha-Gadhvi-On-Latthakand.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/gujarat-videos/gujarat-crime-branch-uncovers-major-fake-liquor-scam-in-ahmedabad-1509378.html</loc><video:video>
	<video:title>Breaking News :સસ્તો વિદેશી દારૂ બ્રાન્ડેડ કંપનીની બોટલોમાં ભરી મોંઘા ભાવે વેચાણ કરતો આરોપી ઝડપાયો, જુઓ Video</video:title>
	<video:publication_date>2026-09-03T16:19:23+05:30</video:publication_date>
	<video:description>અમદાવાદમાં સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. ક્રાઇમ બ્રાન્ચે સરખેજ વિસ્તારમાં દરોડા પાડીને આ ગુનામાં સંડોવાયેલા એક શખ્સ, સમીરખાન ઉર્ફે એસ.કે. બાપુની ધરપકડ કરી છે. આરોપી પોતાના ઘરમાં જ સસ્તા વિદેશી દારૂને બ્રાન્ડેડ કંપનીની બોટલોમાં ભરીને ગ્રાહકોને મોંઘા ભાવે વેચતો હતો.  ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પાડવામાં આવેલા દરોડા દરમિયાન, પોલીસને 174 સીલબંધ બ્રાન્ડેડ દારૂની બોટલો અને 96 બિયર ટીન મળી આવ્યા હતા. આ ઉપરાંત, પોલીસે દારૂની બોટલ્સ, સ્ટીકરો, રોકડ, વજન કાંટો અને મોબાઇલ ફોન સહિત કુલ રૂપિયા 2.53 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપીએ ગ્રાહકો પાસેથી દારૂની મૂળ કિંમત કરતાં 5 થી 10 ગણી વધુ રકમ વસૂલતો હોવાની કબૂલાત કરી છે.  ક્રાઇમ બ્રાન્ચે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીની અગાઉ પણ વેજલપુરમાં પ્રોહિબિશન કેસમાં ધરપકડ થઈ ચૂકી છે. પોલીસ આ નકલી દારૂના નેટવર્કનું કનેક્શન ક્યાં સુધી ફેલાયેલું છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. સુરતમાં PM આવાસ યોજનામાં મોટું કૌભાંડ, સુરતમાં 917 મકાનો ભાડે અપાયા, હજારો બંધ મળ્યા, જુઓ Video</video:description>
<video:category>અમદાવાદ</video:category>
<video:category>ગુજરાત વીડિયો</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/1Hx1vNJ2xzE</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/editor">TV9 Gujarati</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Gujarat-Crime-Branch-Uncovers-Major-Fake-Liquor-Scam-in-Ahmedabad.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/gujarat-videos/bhavnagar-drought-farmers-face-crop-loss-seek-govt-irrigation-aid-1509321.html</loc><video:video>
	<video:title>ભાવનગરમાં વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતાતુર, સિંચાઈ માટે પાણી આપવા સરકાર તરફ દોડાવી નજર- Video</video:title>
	<video:publication_date>2026-09-03T16:16:27+05:30</video:publication_date>
	<video:description>ભાવનગર જિલ્લામાં શરૂઆતમાં સારો વરસાદ વરસ્યો પરંતુ છેલ્લા દોઢ મહિનાથી મેઘરાજા જાણે હાથતાળી આપીને જતા રહ્યા છે. જેના કારણે ખેડૂતોને સિંચાઈની સમસ્યા ઉભી થઈ છે. ભાવનગરમાં વરસાદ ખેંચાતા ખેડૂતોના જુવાર, બાજરી, કપાસ, મગફળી સહિતના ચોમાસુ પાક સામે સંકટ તોળાઈ રહ્યુ છે. ખેડૂતોએ મોંઘા બિયારણો અને ખાતરો લાવીને વાવેતર કરી દીધુ છે પરંતુ વાવણી બાદ વરસાદ ખેંચાતા પિયતની સમસ્યા વધુ ઘેરી બની છે. ખેડૂતોનું કહેવુ છે કે પુરતુ પાણી ન મળવાને કારણે પાકની વૃદ્ધિ થઈ રહી નથી. દર વર્ષે જે કપાસ 5-5 ફૂટ સુધી લહેરાતો હોય છે તેની વૃદ્ધિ અડધા ફૂટે અટકી ગઈ છે, આમાં કંઈ વળે તેમ નથી..  ભાવનગરમાં 4 લાખ હેક્ટરમાં ચોમાસુ વાવેતર થાય છે. એક તરફ ખેડૂતો વરસાદ આધારિત ખેતી કરી રહ્યા છે અને દોઢ મહિનાથી વરસાદ ખેંચાયો છે જેને લઈને ખેડૂતોને આ વર્ષે મોટી નુકસાની ભોગવવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.. જો આ વર્ષ નબળુ જશે તો આવતા વર્ષે પણ ખેડૂત આર્થિક રીતે બેઠો નહીં થઈ શકે. હાલ ઘાસચારો પણ ન ઉપજતા ખેડૂતો પાક બચાવવાની આશા છોડીને ઢોર ચરાવવા માટે ખેતર ખુલ્લુ મુકી દેવા મજબુર બન્યા છે.  હાલ આકાશ તરફ મીટ માંડીને બેસેલા ખેડૂતોની એક જ માગ છે કે સિંચાઈના પાણી માટે સરકાર ખેડૂતોની મદદ કરીને તેમનુ આર્થિક ભારણ થોડુ ઓછુ કરે.    અમદાવાદમાં ચંડોળા તળાવ મુદ્દે કોંગ્રેસનો આક્રમક વિરોધ, ગરીબોને આવાસ ફાળવવાની માગ સાથે સેંકડો લોકોના ટોળાએ કર્યા આક્રમક દેખાવો</video:description>
<video:category>ગુજરાત</video:category>
<video:category>ગુજરાત વીડિયો</video:category>
<video:category>ભાવનગર</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/xzGULBA_6xI</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/editor">TV9 Gujarati</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Farmers-Worry-For-.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/gujarat-videos/government-strict-orders-regarding-helipads-in-gujarat-kept-in-operational-condition-continuously-1509260.html</loc><video:video>
	<video:title>ગુજરાતમાં હેલિપેડને લઈને સરકારનઓ કડક આદેશ, સતત‘ઑપરેશનલ કન્ડીશન’માં રાખવા જણાવ્યુ</video:title>
	<video:publication_date>2026-09-03T14:26:32+05:30</video:publication_date>
	<video:description>રાજ્યમાં હેલિકોપ્ટરની અવરજવર અને કટોકટીની પરિસ્થિતિમાં હેલિપેડની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા સરકારે રાજ્યના તમામ હેલિપેડને લઈને મહત્વપૂર્ણ સૂચનાઓ આપી છે. સરકાર દ્વારા તમામ હેલિપેડને સતત‘ઑપરેશનલ કન્ડીશન’માં રાખવા માટે જરૂરી કામગીરી કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. હેલિપેડને લઈને સરકારે આપ્યા કડક આદેશ આ નિર્ણય અંતર્ગત દરેક હેલિપેડનું દર ત્રણ મહિને ફરજિયાત સ્થળ નિરીક્ષણ કરવાનું રહેશે. નિરીક્ષણ દરમિયાન હેલિપેડમાં કોઈ ખામી, નુકસાન અથવા મરામતની જરૂરિયાત જણાય તો તેને તાત્કાલિક ધોરણે દૂર કરવાની સૂચના આપવામાં આવી છે. હેલીપેડનું દર ત્રણ મહિને ફરજિયાત સરકાર દ્વારા હેલિપેડની સપાટી, માર્કિંગ, ડ્રેનેજ અને એપ્રોચ વિસ્તારની નિયમિત ચકાસણી અને જાળવણી કરવા પણ જણાવાયું છે. હેલિપેડની કામગીરીમાં કોઈ અડચણ ન આવે અને જરૂરિયાતના સમયે તેનો તાત્કાલિક ઉપયોગ થઈ શકે તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ સુચારૂ રાખવા પર ભાર મૂકવામાં આવ્યો છે. નિયમિત જાળવણી કરવા પણ સૂચના ખાસ કરીને આપત્તિ, તબીબી કટોકટી, રાહત-બચાવ કામગીરી તેમજ VIP મૂવમેન્ટ દરમિયાન હેલિપેડનો ઉપયોગ થઈ શકે છે. આથી રાજ્યના તમામ હેલિપેડને હંમેશા ઉપયોગ માટે તૈયાર અને કાર્યરત સ્થિતિમાં રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. Banaskantha Breaking News : બનાસકાંઠામાં રોગચાળાએ ઉચક્યું માથું, શરદી-ઉધરસ-તાવના કેસમાં 20થી 25% નો વધારો ! જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો </video:description>
<video:category>ગાંધીનગર</video:category>
<video:category>ગુજરાત</video:category>
<video:category>ગુજરાત વીડિયો</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/7xEC6oiudfQ</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/devankashi-rana">Devankashi rana</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/helipads.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/gujarat-videos/mehsana-municipal-corporation-to-install-work-information-boards-for-development-projects-1509293.html</loc><video:video>
	<video:title>Breaking News: મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર, તમામ સાઇટ પર વર્ક ઇન્ફોર્મેશન બોર્ડ લગાવાશે</video:title>
	<video:publication_date>2026-09-03T13:39:55+05:30</video:publication_date>
	<video:description>મહેસાણા: મહેસાણા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ચાલી રહેલા વિકાસ કામોમાં પારદર્શિતા લાવવા અને કામોની ગુણવત્તા સુનિશ્ચિત કરવા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે શહેરમાં હાથ ધરવામાં આવતા તમામ વિકાસ કામોના સ્થળે વર્ક ઇન્ફોર્મેશન બોર્ડ લગાવવામાં આવશે. આ વ્યવસ્થાથી નાગરિકોને તેમના વિસ્તારમાં થઈ રહેલા કામ અંગે જરૂરી માહિતી સ્થળ પર જ મળી શકશે.  નાગરિકોના ટેક્સના નાણાંથી થતાં કામોની મળશે સંપૂર્ણ માહિતી મહેસાણા શહેરમાં રસ્તા, ડ્રેનેજ, પાણીની લાઇન, ફૂટપાથ અને બગીચા સહિતના વિવિધ વિકાસ કામો નાગરિકોના ટેક્સના નાણાંમાંથી કરવામાં આવે છે. ત્યારે જાહેર નાણાંથી થતા કામોની માહિતી નાગરિકોને સરળતાથી મળી રહે અને કામની ગુણવત્તા અંગે સવાલ ઉઠાવવાનો અધિકાર મળે તે હેતુથી આ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.  બોર્ડ પર કામની મહત્વપૂર્ણ વિગતો દર્શાવાશે વર્ક ઇન્ફોર્મેશન બોર્ડ પર વર્ક ઓર્ડર નંબર, ટેન્ડર નંબર, મંજૂર થયેલી રકમ, કોન્ટ્રાક્ટર એજન્સીનું નામ, કામ શરૂ અને પૂર્ણ થવાની તારીખ સહિતની વિગતો દર્શાવવામાં આવશે. આ ઉપરાંત કામ માટે જવાબદાર અધિકારી અને સાઇટ એન્જિનિયરની માહિતી પણ બોર્ડ પર મૂકવામાં આવશે. QR કોડથી નાગરિકો કરી શકશે ઓનલાઈન ફરિયાદ આ બોર્ડ પર QR કોડ પણ આપવામાં આવશે. નાગરિકો QR કોડ સ્કેન કરીને વિકાસ કામ અંગે ફોટો કે વીડિયો સાથે ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકશે. ફરિયાદ મળ્યા બાદ મહાનગરપાલિકા દ્વારા સ્થળ પર ટેકનિકલ તપાસ અને કામની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવશે. જો તપાસ દરમિયાન કામમાં ક્ષતિ અથવા કરારભંગ જણાશે તો સંબંધિત કોન્ટ્રાક્ટર એજન્સી પાસેથી દંડ અને રિકવરી વસૂલવામાં આવશે. ગંભીર બેદરકારી જણાય તો કાયદેસરની કાર્યવાહી ઉપરાંત જરૂરિયાત મુજબ એજન્સીને બ્લેકલિસ્ટ પણ કરવામાં આવશે. આ વ્યવસ્થાથી વિકાસ કામોમાં જવાબદારી અને પારદર્શિતા વધવાની સાથે નાગરિકોની સીધી ભાગીદારી પણ સુનિશ્ચિત થશે.  આ પણ વાંચો- Rajkot Breaking News : રાજકોટના લોકમેળામાં તંત્રની કડકાઈ! 34 માંથી માત્ર 8 રાઈડ્સને જ મળી મંજૂરી ! Video</video:description>
<video:category>ગુજરાત વીડિયો</video:category>
<video:category>રાજકોટ</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/adPoZ9UpVAY</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/editor">TV9 Gujarati</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Mehsana-Corporation.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/gujarat/rajkot-breaking-news-lok-mela-8-rides-approved-out-of-34-video-1509268.html</loc><video:video>
	<video:title>Rajkot Breaking News : રાજકોટના લોકમેળામાં તંત્રની કડકાઈ! 34 માંથી માત્ર 8 રાઈડ્સને જ મળી મંજૂરી ! Video</video:title>
	<video:publication_date>2026-09-03T13:07:18+05:30</video:publication_date>
	<video:description>રાજકોટમાં યોજાયેલા લોકમેળામાં રાઈડ્સને લઈને તંત્ર દ્વારા SOP નું પાલન કરાવવા માટે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવેલા છે. લોકમેળામાં કુલ 34 રાઈડ્સમાંથી માત્ર 8 રાઈડ્સને જ મંજૂરી આપવામાં આવેલી છે. બાકીની રાઈડ્સને SOP નું પાલન કર્યા બાદ જ મંજૂરી આપવામાં આવશે.  માત્ર 8 રાઈડ્સને મંજૂરી મળતાં અન્ય રાઈડ્સના સંચાલકો મૂંઝવણમાં મુકાયા છે. તંત્ર દ્વારા રાઈડ્સ શરૂ કરતા પહેલા SOPનું પાલન કરાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પ્રક્રિયાના કારણે હાલમાં અનેક રાઈડ્સ બંધ જોવા મળી રહી છે. મેળામાં દર વર્ષે જોડાતા હોય છે લાખો લોકો સાતમ અને આઠમના લોકમેળામાં દર વર્ષે લાખો લોકો જોડાતા હોય છે. મોટી સંખ્યામાં લોકો મેળામાં પહોંચતા હોવા છતાં આ વખતે અનેક રાઈડ્સ બંધ હોવાના કારણે માનવ મહેરામણમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. લોકમેળાના આકાશી દ્રશ્યોમાં પણ અનેક રાઈડ્સ બંધ જોવા મળી હતી. રાઈડ્સ બંધ રહેતા મેળામાં આવતા લોકો માટે રાઈડ્સનો રોમાંચ પણ ફિક્કો જોવા મળી રહ્યો છે.  બીજી તરફ, રાઈડ્સના સંચાલકો SOPનું પાલન કરીને મંજૂરી મેળવવાની પ્રક્રિયાને લઈને મૂંઝવણમાં મુકાયા છે. તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે SOP નું પાલન કર્યા બાદ જ રાઈડ્સને મંજૂરી આપવામાં આવશે. જેના પગલે હાલમાં મંજૂરી મળેલી 8 રાઈડ્સ જ કાર્યરત છે. જ્યારે અન્ય રાઈડ્સ મંજૂરીની રાહ જોઈ રહી છે. આ પણ વાંચો, Banaskantha Breaking News : બનાસકાંઠામાં રોગચાળાએ ઉચક્યું માથું, શરદી-ઉધરસ-તાવના કેસમાં 20થી 25% નો વધારો ! જુઓ Video</video:description>
<video:category>ગુજરાત</video:category>
<video:category>ગુજરાત વીડિયો</video:category>
<video:category>રાજકોટ</video:category>
<video:category>વીડિયોઝ</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/Jx6KxEAU-2MWUa9Jl.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/editor">TV9 Gujarati</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Rajkot-Lok-Mela.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/gujarat-videos/banaskantha-palanpur-breaking-news-viral-fever-cases-increase-video-1509252.html</loc><video:video>
	<video:title>Banaskantha Breaking News : બનાસકાંઠામાં રોગચાળાએ ઉચક્યું માથું, શરદી-ઉધરસ-તાવના કેસમાં 20થી 25% નો વધારો ! જુઓ Video</video:title>
	<video:publication_date>2026-09-03T12:07:39+05:30</video:publication_date>
	<video:description>બનાસકાંઠા જિલ્લામાં રોગચાળાએ માથું ઉચક્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી શરદી, ઉધરસ અને તાવના કેસમાં વધારો થતાં જિલ્લાના ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોમાં દર્દીઓનો ધસારો વધ્યો છે. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સવારથી જ સારવાર મેળવવા માટે આવેલા દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે.  પાલનપુર સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં દરરોજ 20થી 25 ટકા દર્દીઓનો વધારો નોંધાઈ રહ્યો છે. હોસ્પિટલમાં મુખ્યત્વે શરદી, ઉધરસ, તાવ અને શરીરમાં દુખાવા જેવા લક્ષણો ધરાવતા દર્દીઓ સારવાર માટે પહોંચી રહ્યા છે. આ દર્દીઓમાં મોટી સંખ્યામાં બાળકો અને વૃદ્ધો પણ રોગચાળાનો ભોગ બની રહ્યા છે. છેલ્લા 15 દિવસથી જિલ્લામાં વાયરલ ફિવરના કેસમાં સતત વધારો છેલ્લા 15 દિવસથી જિલ્લામાં વાયરલ ફિવરના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. મિશ્ર ઋતુના કારણે વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો હોવાનું તબીબો જણાવી રહ્યા છે. રોગચાળાની સ્થિતિને જોતા ડોક્ટરોએ લોકોને તકેદારી રાખવાની અપીલ કરી છે. કોઈપણ વ્યક્તિને તાવ અથવા શરદી જેવા લક્ષણો જણાય તો ઘરગથ્થુ ઉપાય કરવાને બદલે હોસ્પિટલમાં સારવાર માટે બતાવી દેવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ લોકોને જરૂરી તકેદારી રાખવા અને ડોક્ટરોની સલાહનું પાલન કરવા પણ જણાવવામાં આવ્યું છે.   આ પણ વાંચો, Breaking News: 100થી વધુ ફિલ્મોને સંગીત આપનાર પ્રસિદ્ધ સંગીતકાર ગૌરાંગ વ્યાસનું 87 વર્ષની વયે નિધન</video:description>
<video:category>ગુજરાત</video:category>
<video:category>ગુજરાત વીડિયો</video:category>
<video:category>બનાસકાંઠા</video:category>
<video:category>વીડિયોઝ</video:category>
<video:category>હેલ્થ ન્યૂઝ,</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/btpGy7au-2MWUa9Jl.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/editor">TV9 Gujarati</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Banaskantha-Palanpur-Viral-Fever-Cases-Increase.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/bhakti-videos/todays-gujarati-rashifal-of-03-september-2026-daily-astrology-predictions-for-all-12-zodiac-signs-2-1506659.html</loc><video:video>
	<video:title>03 September 2026 રાશિફળ: આજે કોને મળશે નવી તક, સારો સોદો અને સફળતાના સમાચાર?</video:title>
	<video:publication_date>2026-09-03T08:05:02+05:30</video:publication_date>
	<video:description>આજનું રાશિફળ વીડિયો: શું આજે ભાગ્ય તમારો સાથ આપશે? જાણો આજના દિવસની નાની-મોટી તમામ આગાહી. કોના પર વરસશે ધન અને કોને મળશે નોકરીમાં સારા સમાચાર? વ્યવસાયમાં નફો મેળવવાની ટિપ્સ અને સ્વાસ્થ્યની સાવચેતી સાથે જુઓ આજનું રાશિફળ. પ્રેમી યુગલો માટે આજનો દિવસ કેવો રહેશે, જાણો અહીં. મેષ રાશિ: આજે કાર્યક્ષેત્રમાં તમારી નેતૃત્વ ક્ષમતા અને આત્મવિશ્વાસથી અટકેલા કાર્યોને નવી ગતિ મળશે. વેપારમાં નવો સોદો થવાથી આર્થિક લાભના મજબૂત યોગ બનશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પ્રગતિના સારા સમાચાર મળશે. વૃષભ રાશિ: આજે નોકરી અને વ્યાપારમાં સ્થિરતા જળવાઈ રહેવાથી મનની ચિંતાઓ દૂર થશે. જૂના રોકાણોમાંથી ઉત્તમ વળતર મળવાથી નાણાકીય સ્થિતિ વધુ મજબૂત બનશે. વિદ્યાર્થીઓને કલા અને સર્જનાત્મક વિષયોમાં વિશેષ સફળતા પ્રાપ્ત થશે. મિથુન રાશિ: આજે બૌદ્ધિક ચર્ચાઓ અને મહત્વપૂર્ણ વાટાઘાટોમાં તમારી જીત નિશ્ચિત થશે. વેપારના વિસ્તરણ માટે કરવામાં આવેલા આર્થિક પ્રયાસો સફળ રહેશે. ટેકનિકલ અને સંશોધન ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ઉત્સાહજનક રહેશે. કર્ક રાશિ: આજે માનસિક શાંતિ મળવાથી તમે પરિવાર અને કામ બંને વચ્ચે સુંદર સંતુલન જાળવી શકશો. જમીન-મકાન કે મિલકતના સોદામાંથી સારો આર્થિક ફાયદો થશે. અભ્યાસમાં એકાગ્રતા વધવાથી વિદ્યાર્થીઓને ધાર્યું પરિણામ મળશે. સિંહ રાશિ: આજે સામાજિક વર્તુળમાં તમારો પ્રભાવ વધશે અને નવા પ્રભાવશાળી સંપર્કો બનશે. વેપારમાં સારો રોકડ પ્રવાહ રહેવાથી આર્થિક સ્થિતિ સુધરશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓનું પ્રદર્શન ઉત્કૃષ્ટ અને સંતોષકારક રહેશે. કન્યા રાશિ: આજે લાંબા સમયથી ચાલી રહેલી કાયદાકીય કે ઓફિશિયલ ગૂંચવણો ઉકેલાતી જણાશે. ખર્ચ પર યોગ્ય નિયંત્રણ રહેવાથી બચત કરવામાં સફળતા મળશે. ઉચ્ચ શિક્ષણ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓને નવી ઉત્તમ તકો પ્રાપ્ત થશે. તુલા રાશિ: આજે ભાગીદારીના વ્યવસાયમાં સારો તાલમેલ રહેવાથી મોટી સફળતા હાથ લાગશે. નવી યોજનાઓમાં મૂડી રોકાણ કરવાથી ભવિષ્યમાં સારો આર્થિક લાભ થશે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવા માટે ઉત્તમ સમય છે. વૃશ્ચિક રાશિ: આજે કાર્યક્ષેત્રમાં તમારી નવી કાર્યપદ્ધતિ અને રણનીતિની સહુ પ્રશંસા કરશે. અચાનક નાણાકીય લાભ થવાથી જૂની આર્થિક ચિંતાઓ હળવી બનશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને શિક્ષકોનું યોગ્ય માર્ગદર્શન મળશે. ધન રાશિ: આજે ભાગ્ય અને સકારાત્મક વિચારોનો સાથ મળવાથી મુશ્કેલ કામો પણ સરળ બની જશે. વિદેશ સંબંધિત કામકાજ કે ઓનલાઇન કારોબારમાં સારો આર્થિક નફો થશે. ઉચ્ચ અભ્યાસની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સારો દિવસ સાબિત થશે. મકર રાશિ: આજે ધીરજ અને સંયમપૂર્વક કરેલી મહેનતનું યોગ્ય અને ધાર્યું પરિણામ મળશે. પૂર્વ આયોજિત રોકાણોમાંથી ધીમો પણ સ્થિર નાણાકીય લાભ મળતો રહેશે. ટેકનિકલ કે મેનેજમેન્ટ ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે ઉત્સાહજનક દિવસ રહેશે. કુંભ રાશિ: આજે ટીમવર્ક અને સહકર્મીઓના સાથથી મહત્વપૂર્ણ લક્ષ્યો સરળતાથી પૂરા થશે. વેપારમાં નવા ગ્રાહકો જોડાવાથી આર્થિક સ્થિતિમાં સારો સુધારો જોવા મળશે. સાહિત્ય અને કલા ક્ષેત્રના વિદ્યાર્થીઓને નવી ઓળખ અને સન્માન મળશે. મીન રાશિ: આજે ભાગ્યનો સાથ મળવાથી અટકેલા સરકારી અને વહીવટી કામો ઝડપથી પાર પડશે. વેપારમાં સારો રોકડ પ્રવાહ રહેવાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ઉત્સાહજનક સમાચાર મળશે. નોંધ: અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.</video:description>
<video:category>ભક્તિ વીડિયો</video:category>
<video:category>ભક્તિ સમાચાર</video:category>
<video:category>રાશિફળ</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/RJImpYDEs6E</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/sachin">Sachin Agrawal</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Gujarati-Rashifal-of-03-September-2026-v.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/gujarat-videos/surat-vnsgu-girls-hostel-protest-watch-video-students-stage-dharna-over-food-water-and-cleanliness-issues-1508914.html</loc><video:video>
	<video:title>છોકરીઓ ક્યાં સુધી સહન કરશે ? સમરસ હોસ્ટેલમાં પીવાના પાણી અને સ્વચ્છતાના ધાંધિયા, માગણીઓ સાથે ધરણાં પર બેઠી વિદ્યાર્થીનીઓ</video:title>
	<video:publication_date>2026-09-02T17:49:15+05:30</video:publication_date>
	<video:description>સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ની સમરસ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓ પ્રાથમિક સુવિધાઓના અભાવથી ભારે હાલાકી ભોગવી રહી છે. ભોજન, પાણી અને સ્વચ્છતા જેવી પાયાની જરૂરિયાતોને લઈને વિદ્યાર્થીનીઓમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. આ અંગે વારંવાર રજૂઆતો છતાં કોઈ નિરાકરણ ન આવતા ગઈકાલે વિદ્યાર્થીનીઓએ પોતાની માગણીઓ માટે ધરણા કર્યા હતા.  વિદ્યાર્થીનીઓના આક્ષેપ મુજબ, હોસ્ટેલમાં પાણીનો પુરવઠો અત્યંત અનિયમિત છે અને ઘણીવાર પાણીકાપ લાગુ પડે છે. એક જ કલાક માટે પાણી મળતું હોવાથી 1200 જેટલી વિદ્યાર્થીનીઓને પીવાના અને ન્હાવાના પાણી માટે વલખા મારવા પડે છે.  શૌચાલયમાં પણ પાણી આવતું ન હોવાથી સ્વચ્છતાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. આ ઉપરાંત, હોસ્ટેલમાં પીરસાતા ભોજનની ગુણવત્તા પણ અત્યંત ખરાબ હોવાનું અને તેમાં જીવાત નીકળતી હોવાનું વિદ્યાર્થીનીઓએ જણાવ્યું છે.  ગંદકીની સમસ્યા પણ યથાવત રહેતા વિદ્યાર્થીનીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેઓએ વહેલી તકે આ તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવાની અને સુવિધાઓ પૂરી પાડવાની માંગ કરી છે. Breaking News : અમરેલીનો ચર્ચાસ્પદ પાયલ ગોટી લેટરકાંડ : ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે રૂ. 7.5 લાખ ચુકવવા માનવ અધિકાર પંચનો સરકારને આદેશ</video:description>
<video:category>ગુજરાત</video:category>
<video:category>ગુજરાત વીડિયો</video:category>
<video:category>સુરત</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/WRSEvXGQHpQ</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/ravi-prajapati">Ravi Prajapati</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Gujarat-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/obc-creamy-layer-case-center-gets-no-relief-from-supreme-court-further-hearing-on-september-17-1508812.html</loc><video:video>
	<video:title>OBC અનામતઃ મા-બાપની આવક વધુ હોય તો તેમના બાળકને અનામતના લાભથી વંચિત ના રાખી શકાય, કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટ તરફથી કોઈ રાહત ના મળી</video:title>
	<video:publication_date>2026-09-02T14:16:43+05:30</video:publication_date>
	<video:description>સુપ્રીમ કોર્ટમાં OBC ક્રીમી લેયર કેસ અંગે ગઈકાલ મંગળવારે સુનાવણી હાથ ધરાઈ હતી, જે દરમિયાન કેન્દ્ર સરકારે 11 માર્ચે પસાર કરાયેલા આદેશ અંગે તાત્કાલિક રાહત માંગી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે કોઈપણ પ્રકારની રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. સુનાવણી 17 સપ્ટેમ્બર સુધી મુલતવી રાખી હતી. ન્યાયાધીશ પીએસ નરસિંહા અને ન્યાયાધીશ આર મહાદેવનની બનેલી બેન્ચે આ મામલાની સુનાવણી કરી. કેન્દ્ર સરકાર, સુપ્રીમ કોર્ટના 11 માર્ચના આદેશમાં ફેરફાર કરવા ઉપરાંત &quot;ક્રીમી લેયર&quot; ની વ્યાખ્યામાં ફેરફારની માંગ કરી રહ્યું છે. જો કે, સુપ્રીમ કોર્ટે કોઈ પણ રાહત આપવાનો ઈન્કાર કરતાઆ કેસની વધુ સુનાવણી 17 સપ્ટેમ્બરે મુકરર કરવામાં આવી છે. .  સુપ્રીમ કોર્ટે 11 માર્ચે આપેલા પોતાના ચુકાદામાં, સ્પષ્ટ કર્યું હતું કે, માતાપિતાના પગાર આવક OBC ક્રીમી લેયર નક્કી કરવા માટે એકમાત્ર માપદંડ ના હોઈ શકે. કોર્ટે જણાવ્યું હતું કે PSU, બેંકો અથવા ખાનગી ક્ષેત્રમાં નોકરી કરતા માતાપિતાના બાળકોને ફક્ત એટલા માટે અનામતના લાભમાંથી બાકાત રાખી શકાય નહીં કે તેમના માતાપિતાનો પગાર, ચોક્કસ આવક મર્યાદા કરતાં વધુ છે. ન્યાયાધીશ પીએસ નરસિંહા અને ન્યાયાધીશ આર મહાદેવનની બેન્ચે જણાવ્યું હતું કે આવો ભેદભાવ બંધારણના અનુચ્છેદ 14, 15 અને 16 માં સમાવિષ્ટ સમાનતાના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે. શા માટે ધ્રૂજી રહ્યો છે હિમાલય ? 1 મહિનામાં 130થી વધુ ભૂકંપના આંચકા !</video:description>
<video:category>રાષ્ટ્રીય સમાચાર</video:category>
<video:category>વીડિયોઝ</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/BDokH6IPLJM</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/bipin-prajapati">Bipin Prajapati</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/supreme-court-obc-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/gujarat-videos/junagadh-breaking-news-plasva-lion-attack-bull-video-1508789.html</loc><video:video>
	<video:title>Junagadh Breaking News : જૂનાગઢમાં સિંહનો દાવ ઊંધો પડ્યો! આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં જ શિકારી પોતે શિકાર થતાં બચ્યો! જુઓ Video</video:title>
	<video:publication_date>2026-09-02T13:54:56+05:30</video:publication_date>
	<video:description>જૂનાગઢના પ્લાસવા ગામમાં તાજેતરમાં એક અત્યંત ચોંકાવનારી અને રોમાંચક ઘટના સામે આવી છે. સામાન્ય રીતે જંગલનો રાજા સિંહ સામે આવે એટલે કોઈ પણ પશુ કે માનવીનો શ્વાસ અધ્ધર થઈ જાય છે. પરંતુ પ્લાસવામાં સિંહના શિકારનો દાવ ઊંધો પડ્યો હતો.  રાતના અંધારામાં એક સિંહ શિકાર કરવાની દાનતથી ગામમાં ઘૂસ્યો હતો અને ત્યાં એક આખલા પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ડરી જવાને બદલે આ આખલાએ પોતાની બહાદુરી અને સ્વબચાવનો અનોખો પરિચય આપ્યો હતો. આખલાએ આક્રમક થઈને પોતાના ધારદાર શિંગડા બતાવી સિંહનો સીધો સામનો કર્યો હતો. આખલાનું રૌદ્ર રૂપ આખલાનો આ રૌદ્ર રૂપ અને હિંમત જોઈને શિકાર કરવા આવેલો સિંહ પણ એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયો હતો. આખલાના વળતા પ્રહાર સામે જંગલના રાજાને પણ પીછેહઠ કરવાની ફરજ પડી હતી અને આખરે સિંહે ત્યાંથી ભાગી જવામાં જ પોતાની ભલાઈ માની હતી.  &#039;હિંમતે મર્દા તો મદદે ખુદા&#039; ની કહેવતને સાચી ઠેરવતી આ સિંહ અને ઢોરની ટક્કરનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. સિંહ જેવા હિંસક પશુને ભગાડનારી આ ગાયની સાહસિકતા જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે અને વીડિયોને ભારે પ્રતિસાદ મળી રહ્યો છે. આ પણ વાંચો, પાણીપુરીના ચાહકો સાવધાન! વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ, 50થી વધુ ચૂલા-ભઠ્ઠીઓ તોડી પડાઈ, જુઓ Video</video:description>
<video:category>ગુજરાત</video:category>
<video:category>ગુજરાત વીડિયો</video:category>
<video:category>જૂનાગઢ</video:category>
<video:category>વીડિયોઝ</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/i7ynnmtw-2MWUa9Jl.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/editor">TV9 Gujarati</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Junagadh-Lion-Attack-Bull.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/gujarat-videos/vadodara-municipal-action-against-unhygienic-panipuri-production-1508773.html</loc><video:video>
	<video:title>પાણીપુરીના ચાહકો સાવધાન! વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ, 50થી વધુ ચૂલા-ભઠ્ઠીઓ તોડી પડાઈ, જુઓ Video</video:title>
	<video:publication_date>2026-09-02T11:44:42+05:30</video:publication_date>
	<video:description>વડોદરામાં બિનઆરોગ્યપ્રદ અને અસ્વચ્છ પરિસ્થિતિમાં પાણીપુરીની પૂરીઓ બનાવતા વેપારીઓ સામે મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી કરી છે. શહેરના ખોડિયારનગર વિસ્તારમાં ડી-માર્ટ નજીક આરોગ્ય વિભાગ અને દબાણ શાખાની સંયુક્ત ટીમે દરોડો પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન પૂરીઓ બનાવવાના સ્થળોએ ભારે ગંદકી અને અસ્વચ્છ વાતાવરણ જોવા મળ્યું હતું. પાલિકાની ટીમે સ્થળ પર તપાસ કરતાં પાણીપુરીની પૂરીઓ બનાવવા માટે 50થી વધુ ચૂલા-ભઠ્ઠીઓ ઉભી કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. આરોગ્ય વિભાગ અને દબાણ શાખાની ટીમે આ તમામ ચૂલા-ભઠ્ઠીઓને જમીનદોસ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત પૂરીઓના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતું અસ્વચ્છ અને હાનિકારક રો-મટિરિયલ પણ સ્થળ પર જ નાશ કરવામાં આવ્યું હતું. પાણીપુરી જેવી લોકપ્રિય ખાદ્યચીજનું ઉત્પાદન જો ગંદકીભર્યા અને બિનઆરોગ્યપ્રદ વાતાવરણમાં કરવામાં આવે તો લોકોના આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું થઈ શકે છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન પાલિકાની ટીમે સ્વચ્છતાના નિયમોનું પાલન ન કરતા વેપારીઓ સામે કડક વલણ અપનાવ્યું હતું. મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે આગામી દિવસોમાં પણ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. ખાદ્યપદાર્થોનું ઉત્પાદન અને વેચાણ કરતી જગ્યાઓ પર સ્વચ્છતા જળવાય અને લોકોને આરોગ્યપ્રદ ખાદ્યચીજો મળી રહે તે માટે તંત્ર દ્વારા તપાસ અને કડક કાર્યવાહી યથાવત રાખવામાં આવશે. આ પણ વાંચો- Breaking News : શિક્ષક કે જલ્લાદ? : 8 વર્ષના ફૂલ જેવા બાળક પર પ્લાસ્ટિકનો પાઇપ લઈ શિક્ષક તૂટી પડ્યો! બાળક સારવાર હેઠળ</video:description>
<video:category>ગુજરાત વીડિયો</video:category>
<video:category>વડોદરા</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/y5pr6RJV-2MWUa9Jl.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/editor">TV9 Gujarati</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/vadodara-municipal-action-against-unhygienic-panipuri.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/gujarat-videos/breaking-news-bharuch-district-government-pleader-paresh-pandya-resigns-prosecution-1508775.html</loc><video:video>
	<video:title>Breaking News : ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામાથી કાનૂની આલમમાં ખળભળાટ</video:title>
	<video:publication_date>2026-09-02T11:37:57+05:30</video:publication_date>
	<video:description>ભરૂચ જિલ્લાના મુખ્ય સરકારી વકીલ પરેશ પંડ્યા તેમજ મદદનીશ સરકારી વકીલ નીલમ મિસ્ત્રીએ અચાનક સરકારમાં રાજીનામું ધરી દેતાં ભારે ચકચાર મચી ગઈ છે. સરકારે આ રાજીનામા મંજૂર કરીને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર જે.બી. પંચાલને જિલ્લા સરકારી વકીલનો વધારાનો ચાર્જ સોંપી દીધો છે. જોકે, બંને વકીલોએ અચાનક લીધેલા આ આકરા નિર્ણય પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે અને બંને પક્ષે સંપૂર્ણ મૌન સેવવામાં આવી રહ્યું છે.  નોંધનીય છે કે પરેશ પંડ્યા રાજ્યના અનેક ચકચારી કેસોમાં સરકાર પક્ષે મુખ્ય ભૂમિકા ભજવી ચૂક્યા છે. જેમાં ઝઘડિયામાં બાળકી પર દુષ્કર્મ-હત્યા કેસમાં એક પણ રૂપિયો ફી લીધા વિના આરોપીને ફાંસીની સજા અપાવવાનો મામલો, હાંસોટ રમખાણો અને ડબલ મર્ડર કેસ, વટારીયા સુગરમાં ગેરવહીવટનો કેસ અને  હીરા જોટવા સામેનું મનરેગા કૌભાંડ—દરેક કેસમાં તેમણે દમદાર દલીલો કરી હતી.  બીજી તરફ, બે સરકારી વકીલોના રાજીનામા બાદ ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન વિભાગ પણ ચિંતિત બન્યું છે. કચેરીએ આ રાજીનામા અસ્વીકાર કરી બંનેને ફરજ પર યથાવત રાખવા સરકારને ભલામણ કરી છે. વર્ષ ૨૦૨૨માં નિમાયેલા ૫ પૈકી ૪ મદદનીશ વકીલો વિવિધ કારણોસર સેવામુક્ત થઈ જતાં ભરૂચ જિલ્લા કોર્ટમાં વકીલોના મહેકમની ગંભીર કટોકટી સર્જાઈ હોવાની ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી છે.</video:description>
<video:category>ગુજરાત</video:category>
<video:category>ગુજરાત વીડિયો</video:category>
<video:category>ભરૂચ</video:category>
<video:category>વીડિયોઝ</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/m0sOEzqGC4A</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/ankit-modi">Ankit Modi</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/2-10.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/gujarat-videos/breaking-news-amreli-rajula-rain-shower-after-long-break-brings-relief-1508732.html</loc><video:video>
	<video:title>Amreli Rain Breaking: અમરેલીના રાજુલા પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટું, રસ્તાઓ થયા પાણી પાણી, જુઓ Video</video:title>
	<video:publication_date>2026-09-02T09:56:58+05:30</video:publication_date>
	<video:description>અમરેલી જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે. રાજુલા પંથકમાં આજે વરસાદી ઝાપટું પડતાં સ્થાનિકોમાં રાહતની લાગણી જોવા મળી હતી. રાજુલા શહેરમાં સારા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ઉકળાટમાંથી રાહત મળી હતી. રાજુલા શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડતાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા. અચાનક વરસાદ શરૂ થતાં રસ્તા પર અવરજવર કરતા લોકોને પણ થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, વરસાદનું પ્રમાણ વધારે સમય સુધી ન રહેતાં પાણીનો નિકાલ પણ થવા લાગ્યો હતો. લાંબા સમયથી વરસાદના વિરામને કારણે રાજુલા પંથકના લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. દરમિયાન આજે પડેલા વરસાદી ઝાપટાથી લોકોને રાહત મળી છે. વરસાદના કારણે ખેડૂતોમાં પણ આશા જાગી છે અને આગામી દિવસોમાં સારો વરસાદ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજુલા સહિત અમરેલી જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં વરસાદી માહોલ બને છે કે નહીં તેના પર સૌની નજર છે. ખાસ કરીને ખેડૂતો માટે સમયસર વરસાદ ખૂબ જ મહત્વનો હોવાથી વધુ સારા વરસાદની આશા રાખવામાં આવી રહી છે. આ પણ વાંચો- Gold Silver Rate In Gujarat : ગુજરાતમાં સોનું ખરીદવાની ઉત્તમ તક! છેલ્લા 10 દિવસના સૌથી નીચલા સ્તરે પહોંચ્યા ભાવ, જાણો 10 ગ્રામની કિંમત</video:description>
<video:category>Gujarat Weather News</video:category>
<video:category>અમરેલી</video:category>
<video:category>ગુજરાત</video:category>
<video:category>ગુજરાત વીડિયો</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/cHTJY61V-2MWUa9Jl.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/tanvi-soni">Tanvi Soni</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Rain-Thumbnail-Meghraja-Meharbanb.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/bhakti-videos/daily-gujarati-rashifal-of-02-september-2026-today-horoscope-astrology-predictions-for-all-zodiac-signs-watch-video-1505844.html</loc><video:video>
	<video:title>02 September 2026 રાશિફળ: આજે કોનું ભાગ્ય ચમકશે? જાણો ધન, કરિયર અને શિક્ષણના યોગ</video:title>
	<video:publication_date>2026-09-02T08:05:01+05:30</video:publication_date>
	<video:description>આજનું રાશિફળ વીડિયો: શું આજે ભાગ્ય તમારો સાથ આપશે? જાણો આજના દિવસની નાની-મોટી તમામ આગાહી. કોના પર વરસશે ધન અને કોને મળશે નોકરીમાં સારા સમાચાર? વ્યવસાયમાં નફો મેળવવાની ટિપ્સ અને સ્વાસ્થ્યની સાવચેતી સાથે જુઓ આજનું રાશિફળ. પ્રેમી યુગલો માટે આજનો દિવસ કેવો રહેશે, જાણો અહીં. મેષ રાશિ: આજે કાર્યસ્થળ પર તમારી ઉર્જા અને સકારાત્મક વલણથી મહત્વના પ્રોજેક્ટ્સ સમયસર પૂર્ણ થશે. અગાઉ કરેલા રોકાણમાંથી સારો નફો મળવાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. વૃષભ રાશિ: આજે નોકરી અને વ્યવસાયમાં તમારી મહેનતની પ્રશંસા થશે અને નવી જવાબદારીઓ સોંપાઈ શકે છે. આવકના નવા સ્ત્રોત ઊભા થવાથી નાણાકીય સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓનું મનોબળ ઊંચું રહેશે. મિથુન રાશિ: આજે વેપારના ક્ષેત્રમાં નવા સંપર્કો બનશે, જે ભવિષ્યમાં ખૂબ ફાયદાકારક સાબિત થશે. અટકેલા નાણાં પાછા મળવાથી આર્થિક બોજ હળવો થશે. સંશોધન અને ટેકનિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા વિદ્યાર્થીઓને મોટી સફળતા મળશે. કર્ક રાશિ: આજે કાર્યક્ષેત્રમાં માનસિક શાંતિ જળવાઈ રહેશે અને અધૂરા કાર્યો સરળતાથી પૂરા થશે. મિલકત કે વાહન ખરીદી સંબંધિત આર્થિક વ્યવહારો સફળ રહેશે. વિદ્યાર્થીઓને શિક્ષકો તરફથી યોગ્ય દિશા અને પ્રેરણા મળશે. સિંહ રાશિ: આજે સમાજ અને ઓફિસમાં તમારો પ્રભાવ વધશે તથા નેતૃત્વ ક્ષમતા ખીલી ઊઠશે. વ્યવસાયમાં નવા કરારો થવાથી સારો આર્થિક લાભ મેળવી શકશો. વિદ્યાર્થીઓનું ધ્યાન અભ્યાસમાં કેન્દ્રિત રહેશે અને પરિણામ ઉત્સાહજનક આવશે. કન્યા રાશિ: આજે આયોજનબદ્ધ રીતે કરેલા કામોમાં સફળતા મળશે અને ઓફિશિયલ ગૂંચવણો ઉકેલાશે. બચત યોજનાઓમાં મૂડી રોકાણ કરવાથી ભવિષ્યની સુરક્ષા વધશે. ઉચ્ચ શિક્ષણ લઈ રહેલા વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ્સમાં સારું માર્ગદર્શન મળશે. તુલા રાશિ: આજે ભાગીદારીના વ્યવસાયમાં પારદર્શિતા જાળવવાથી મોટો વ્યવસાયિક લાભ પ્રાપ્ત થશે. અણધાર્યા નાણાકીય ફાયદાથી આર્થિક યોજનાઓને વેગ મળશે. કલા, સંગીત અને સાહિત્યના વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ પ્રગતિશીલ રહેશે. વૃશ્ચિક રાશિ: આજે કાર્યક્ષેત્રમાં તમારી નવી કાર્યપદ્ધતિ અને રણનીતિની સહુ પ્રશંસા કરશે. અચાનક નાણાકીય લાભ થવાથી જૂની આર્થિક ચિંતાઓ હળવી બનશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને શિક્ષકોનું યોગ્ય માર્ગદર્શન મળશે. ધન રાશિ: આજે ભાગ્ય અને પુરુષાર્થ બંનેનો સાથ મળવાથી મુશ્કેલ કાર્યો પણ સરળ બનશે. વેપારમાં ગ્રાહકોની સંખ્યા વધવાથી ઉત્તમ રોકડ પ્રવાહ જળવાઈ રહેશે. વિદેશ અભ્યાસની તૈયારી કરતા વિદ્યાર્થીઓને અનુકૂળ પરિણામ મળશે. મકર રાશિ: આજે કાર્યસ્થળ પર ધૈર્ય અને એકાગ્રતાથી કામ કરવાથી ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત થશે. લાંબા ગાળાના આયોજનોમાંથી સ્થિર અને સારો આર્થિક લાભ મળશે. ટેકનિકલ તેમજ મેનેજમેન્ટ ક્ષેત્રના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક કામ કરશે. કુંભ રાશિ: આજે નવા વિચારો અને સર્જનાત્મકતાના બળે વેપારમાં નવી સિદ્ધિઓ હાંસલ કરશો. ઓનલાઇન બિઝનેસ કે કન્સલ્ટન્સીમાંથી સારો આર્થિક નફો થશે. વિજ્ઞાન અને સંશોધનના વિદ્યાર્થીઓ માટે દિવસ ખૂબ જ પ્રોત્સાહક સાબિત થશે. મીન રાશિ: આજે ભાગ્યનો સાથ મળવાથી અટકેલા સરકારી અને વહીવટી કામો ઝડપથી પાર પડશે. વેપારમાં સારો રોકડ પ્રવાહ રહેવાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ઉત્સાહજનક સમાચાર મળશે. નોંધ: અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.</video:description>
<video:category>ભક્તિ વીડિયો</video:category>
<video:category>ભક્તિ સમાચાર</video:category>
<video:category>રાશિફળ</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/i1S5OlmyPEI</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/sachin">Sachin Agrawal</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Gujarati-Rashifal-of-02-September-2026-v.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/gujarat-videos/rajkot-railway-safety-lapse-train-halts-at-airport-gate-while-crossing-gate-remains-open-1508590.html</loc><video:video>
	<video:title>Breaking News : રાજકોટમાં રેલવે સુરક્ષામાં મોટી બેદરકારી, એરપોર્ટ ફાટક પાસે ટ્રેન ઉભી હોવા છતાં ફાટક ખુલ્લું રહ્યું, જુઓ Video</video:title>
	<video:publication_date>2026-09-01T19:38:34+05:30</video:publication_date>
	<video:description>રાજકોટમાં રેલવે સલામતીને લઇને ગંભીર સવાલો ઉભા કરતો એક વીડિયો સામે આવ્યો છે. શહેરના એરપોર્ટ ફાટક નજીક ટ્રેન ઉભી હોવા છતાં રેલવે ગેટ ખુલ્લો રાખવામાં આવ્યો હતો, જેના કારણે લોકો ભારે જોખમ વચ્ચે ફાટક ક્રોસ કરતા નજરે પડ્યા હતા. આ દ્રશ્યોએ રેલવે વિભાગની કામગીરી સામે અનેક પ્રશ્નાર્થ સર્જ્યા છે.  આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં અને વિવાદ વધતા રેલવે વિભાગ દ્વારા સમગ્ર મામલે સ્પષ્ટતા કરવામાં આવી છે. વિભાગના જણાવ્યા અનુસાર, રેલવે સ્ટેશનમાં ટ્રેન માટે જગ્યા ઉપલબ્ધ ન હોવાથી ટ્રેનને લાલ સિગ્નલ આપવામાં આવ્યું હતું અને સિગ્નલ ન મળતાં ટ્રેન રોકાયેલી હતી. વિભાગે બચાવ કરતા જણાવ્યું કે, લોકોને વધુ પરેશાની ન થાય તે માટે રેલવે ગેટ ખુલ્લો રાખવામાં આવ્યો હતો.  જોકે, ટ્રેન નજીક ઉભી હોવા છતાં ફાટક ખુલ્લું રાખવાની આ સ્થિતિમાં મુસાફરોની સલામતી અને ટ્રાફિક વ્યવસ્થાપનને લઈને અનેક ગંભીર સવાલો ઉભા થયા છે. આ ઘટનાએ રેલવે સુરક્ષાના પાસાઓ પર ફરીથી વિચારણા કરવાની જરૂરિયાત દર્શાવી છે. વડોદરાના વડાપાવ આઉટલેટમાં સમોસામાં જીવાત મળી આવતા ખાદ્ય સુરક્ષા પર સવાલો, જુઓ Video</video:description>
<video:category>ગુજરાત વીડિયો</video:category>
<video:category>રાજકોટ</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/QUrbbeiociE</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/sagar-solanki">Sagar Solanki</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Rajkot-Railway-Safety-Lapse-Train-Halts-at-Airport-Gate-While-Crossing-Gate-Remains-Open.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/gujarat-videos/vadodara-food-safety-concerns-arise-after-samosa-insect-incident-1508584.html</loc><video:video>
	<video:title>Breaking News : વડોદરાના વડાપાવ આઉટલેટમાં સમોસામાં જીવાત મળી આવતા ખાદ્ય સુરક્ષા પર સવાલો, જુઓ Video</video:title>
	<video:publication_date>2026-09-01T19:18:02+05:30</video:publication_date>
	<video:description>વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા એક જાણીતા વડાપાવ આઉટલેટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેણે ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા અંગે ગંભીર ચિંતાઓ જગાવી છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે વેચાણ માટે મૂકવામાં આવેલા સમોસાની વચ્ચે જીવાતો ફરી રહી છે. ચોમાસાની ઋતુમાં બનેલી આ ઘટનાએ ગ્રાહકોને પીરસાતા ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા સામે મોટો પ્રશ્નાર્થ ઊભો કર્યો છે.  આ વીડિયો સામે આવ્યા બાદ ગ્રાહકોમાં ભય અને અસંતોષ વ્યાપી ગયો છે. સામાન્ય રીતે લોકો સ્ટ્રીટ ફૂડ અને આવા આઉટલેટ્સ પર વિશ્વાસ રાખીને ખાવાનું પસંદ કરતા હોય છે, ત્યારે આ પ્રકારની ઘટનાઓ તેમના વિશ્વાસને ઠેસ પહોંચાડે છે. ખાદ્યપદાર્થોમાં જીવાતનું જોવા મળવું એ સીધું ફૂડ હાઈજીનના નિયમોના ભંગનું સૂચન કરે છે.  આ ઘટનાએ વડોદરા મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા છે. નિયમિતપણે ખાદ્ય એકમોનું નિરીક્ષણ કરીને સ્વચ્છતાના ધોરણો જાળવવામાં આવે તે અત્યંત આવશ્યક છે. આ મામલે આગળની કાર્યવાહી અને ખાદ્ય સુરક્ષાના પાલન અંગે વધુ માહિતી આપવામાં આવશે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય અને ગ્રાહકોને સુરક્ષિત અને સ્વચ્છ ખોરાક મળી રહે. GIDCના પ્લોટ ધારકો માટે સરકારની મોટી જાહેરાત, વાઈબ્રન્ટ ગુજરાતમા મળશે મોટો લાભ !</video:description>
<video:category>ગુજરાત વીડિયો</video:category>
<video:category>વડોદરા</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/s9oa67xfZiU</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/sagar-solanki">Sagar Solanki</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Vadodara-Food-Safety-Concerns-Arise-After-Samosa-Insect-Incident.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/gujarat-videos/5-year-old-son-dedicated-to-temple-mehsanas-walinath-dham-unique-tradition-watch-video-1508502.html</loc><video:video>
	<video:title>માનતા પૂરી થતાં પરિવારે 5 વર્ષના પુત્રને મંદિરમાં કર્યો &#039;અર્પણ&#039;, મહેસાણાના વાળીનાથ ધામની &#039;અનોખી પરંપરા&#039; - જુઓ Video</video:title>
	<video:publication_date>2026-09-01T17:20:44+05:30</video:publication_date>
	<video:description>મહેસાણાના તરભ સ્થિત વાળીનાથ ધામમાં એક જૂની અને અનોખી ધાર્મિક પરંપરા આજે પણ જીવંત જોવા મળી રહી છે. તાજેતરમાં, એક ભાવિક ભક્ત પરિવારે પોતાની માનતા પૂરી થતાં પોતાના પાંચ વર્ષના પુત્રને મંદિરમાં અર્પણ કર્યો છે. આ પરિવારે બે પુત્રની પ્રાપ્તિ માટે માનતા રાખી હતી અને તે પૂર્ણ થતાં તેમણે શ્રાવણ મહિનાના સોમવારે વિધિ કરી પોતાનું વચન પાળ્યું હતું.  મંદિરના મહંત જયરામગીરી બાપુએ આ પરંપરા વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ પ્રથા વર્ષોથી ચાલી આવે છે અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય સનાતન ધર્મનું રક્ષણ તથા પ્રચાર કરવાનો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, અર્પણ કરાયેલા બાળકના અભ્યાસની સંપૂર્ણ જવાબદારી મંદિર તરફથી લેવામાં આવે છે. બાળક પુખ્ત વયનો થાય પછી તેને પોતાના ભવિષ્ય વિશે નિર્ણય લેવાની સંપૂર્ણ છૂટ આપવામાં આવે છે.  છેલ્લા પાંચ વર્ષમાં આશરે પાંચ જેટલા બાળકોને આ રીતે મંદિરમાં અર્પણ કરવામાં આવ્યા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. આ ઘટના ફરી એકવાર વાળીનાથ ધામની અનોખી શ્રદ્ધા અને પરંપરાને ચર્ચામાં લાવી છે. AMCના આદેશને પગલે, અમદાવાદમાં ફરસાણની દુકાનો – રેસ્ટોરન્ટમાં TPC કીટ અને CCTV લગાવાયા, જુઓ Video</video:description>
<video:category>ગુજરાત</video:category>
<video:category>ગુજરાત વીડિયો</video:category>
<video:category>મહેસાણા</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/3-3X0VhaUpE</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/ravi-prajapati">Ravi Prajapati</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Gujarat.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/gujarat-videos/dwarka-farmers-havan-demand-drought-status-crop-loan-waiver-and-fodder-aid-1508490.html</loc><video:video>
	<video:title>દ્વારકા જિલ્લાના ખેડૂતોએ ખેતરમાં હવન કરી સરકારે જગાડવા કર્યો પ્રયાસ, જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ</video:title>
	<video:publication_date>2026-09-01T16:51:53+05:30</video:publication_date>
	<video:description>સમગ્ર સૌરાષ્ટ્રમાં પાણીની અછતનો પ્રશ્ન વિકટ બની રહ્યો છે. જેની સીધી અસર હવે ખેતી અને પશુપાલન પર પડી રહી છે. ત્યારે ધરતીપુત્રો કુદરત સામે લાચાર બન્યા છે. આકાશ તરફ મીટ માંડીને બેસેલા ખેડૂતોને હવે વરસાદ આવવાના કોઈ એંધાણ જણાતા નથી. હાલ ખેતરો પણ પાણી વિના સૂકાઈ રહ્યા છે. પશુઓ માટેનો ઘાસચારો પણ ખૂટી રહ્યો છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોએ ખેતરમાં હવન કરી દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ કરી રહ્યા છે.  ખેડૂતો દ્વારકાધિશને પણ પ્રાર્થના કરી રહ્યા છે કે સરકારને જગાડે અને તાત્કાલિક દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે, પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરે, પાક ધિરાણ માફ કરવામાં આવે અને ચાલુ વર્ષના વીજ બિલ પણ માફ કરવાની માગ જગતનો તાત કરી રહ્યો છે.  કલ્યાણપુરના ધતુરીયા ગામે ખેડૂતો અને પશુપાલકોએ સરકારને જગાડવા અનોખો હવન કર્યો. દ્વારકાધીશને પ્રાર્થના સાથે સરકાર સમક્ષ દુષ્કાળ જાહેર કરવાની ઉગ્ર માંગ ઉઠાવી છે. ખેડૂતોનો દાવો છે કે જિલ્લામાં સિઝનનો માત્ર 6 ટકા વરસાદ પડ્યો છે, એટલે 94 ટકા વરસાદની અછત છે. સમયસર રાહત નહીં મળે તો ખેતી સાથે પશુપાલન પર પણ સંકટના વાદળો છવાશે.  ગત વર્ષે પણ કમોસમી વરસાદના લીધે ખેડૂતોને પાકને ભારે નુક્સાન થયું હતું.. ત્યારે આ વર્ષે તો મેઘરાજા જ રિસાઈ જતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. ત્યારે ખેડૂતોનો સીધો સવાલ છે કે શું ખેડૂતો પાસે આપઘાત કર્યા સિવાય કોઈ રસ્તો નહીં બચે ત્યારે સરકાર જાગશે?  હવે ખેડૂતોની એક જ માંગ છે કે વિલંબ કર્યા વગર દુષ્કાળ જાહેર કરવામાં આવે અને પાક ધિરાણ સંપૂર્ણ માફ કરાય. સાથે જ પશુઓ માટે ઘાસચારો અને પાણીની વ્યવસ્થા કરાય… ચાલુ વર્ષના વીજ બીલ માફ કરીને નજીકના અંતરે ઘાસ ડેપો શરૂ કરવા માગ ઉઠી છે.  Input Credit- Jay Goswami- Dwarka સામુદ્રિક શાસ્ત્ર: શરીરના આ અંગ પર તલ હોવો એ છે ભાગ્યશાળી હોવાની નિશાની, જાણો તમારા તલ શું સંકેત આપે છે?</video:description>
<video:category>ગુજરાત</video:category>
<video:category>ગુજરાત વીડિયો</video:category>
<video:category>દેવભૂમિ દ્વારકા</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/yQuAUUsy4Ug</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/editor">TV9 Gujarati</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Farmers-Demand-Drought-Declaration.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/gujarat-videos/junagadh-farmers-face-crop-failure-rain-deficit-devastates-groundnut-seek-gov-aid-1508477.html</loc><video:video>
	<video:title>વરસાદ ખેંચાવાને કારણે જુનાગઢ જિલ્લાના ખેડૂતોની કફોડી સ્થિતિ, પાક નિષ્ફળ જવાની ભીતિથી સહાય સામે માડી સહાયની મીટ</video:title>
	<video:publication_date>2026-09-01T16:35:12+05:30</video:publication_date>
	<video:description>જુનાગઢ જિલ્લામાં આ વર્ષે મેઘરાજા જાણે રુઠ્યા હોય તેમ મન મુકીને વરસી નથી રહ્યા. જેના કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. છેલ્લા એક મહિનાથી વરસાદનો છાંટોય ન પડતા ખેડૂતોએ વાવેતર કરેલા પાકો નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ખેડૂતોની હાલત અત્યંત દયનિય બની છે. છેલ્લા દોઢ મહિનાથી વરસાદે વિરામ લીધો છે જેના કારમે ખેડૂતોને મગફળીનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. હવે ખેડૂતો સરકાર સામે સહાય ની મીટ માંડીને બેઠા છે અને દેવા માફીની માગ કરી રહ્યા છે.  મેંદરડા તાલુકાના ખડપીપળી ગામના ખેડૂતોએ પોતાના ખેતરમાં જઈને પાક નિષ્ફળ ગયાની વ્યથા જણાવી હતી. ખેડૂતોનું કહેવુ છે કે સરકાર સેટેલાઈટ સર્વે કરીને ખેતરમાં દેખાતી લીલોતરીથી નુકસાનીનું આકલન ન કરે. મગફળી જેવા પાકો જમીનની અંદર થતા હોય છે અન પુરતી પિયત ન મળવાને કારણે તેમનુ ઉત્પાદન નિષ્ફળ ગયુ છે. મગફળી, અડદ સહિતના પાકો નિષ્ફળ જવાની અણી પર છે જેના કારણે ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાયા છે.  કૃષિ નિષ્ણાંત વૈજ્ઞાનિકનું પણ કહેવુ છે કે જેમણે પ્રથમ વરસાદમાં વાવણી કરી હતી તેમના પાકમાં સુકારો અને પીળિયા જેવા રોગો આવી ગયા છે, ત્યારે સરકારે તાત્કાલિક ધોરણે દુષ્કાળ જાહેર કરીને ખેડૂતોને આર્થિક સહાય કરવી અનિવાર્ય છે. હાલ વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે. એકતરફ કુદરત રૂઠી છે તો બીજી તરફ વહીવટી તંત્રની બેદરકારી ખેડૂતોની કમર તોડી રહી છે. સ્થાનિક ખેડૂતો જણાવે છે કે હાલ પાક બચાવવા માટે તેમને વીજળીની સૌથી વધુ જરૂર છે એવા સમયે જ વીજ કંપની દ્વારા ધાંધિયા કરવામાં આવે છે અને વારંવાર પાવર કટ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં ઓછા વોલ્ટેજને કારણે મોટરો બળી જવાના કિસ્સાઓ પણ વધી રહ્યા છે.  ખેડૂતોનું કહેવુ છે કે તેઓ બોર, અને કૂવાના પાણીથી જેમતેમ પિયત આપી પાકને જીવતદાન આપવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે સતત પાણી ખેંચવાના કારણે તેના પણ તળિયા દેખાવા લાગ્યા છે અને ભૂગર્ભ જળ સ્તર પણ ઉંડા ઉતરી ગયા છે. સામુદ્રિક શાસ્ત્ર: શરીરના આ અંગ પર તલ હોવો એ છે ભાગ્યશાળી હોવાની નિશાની, જાણો તમારા તલ શું સંકેત આપે છે?</video:description>
<video:category>ગુજરાત</video:category>
<video:category>ગુજરાત વીડિયો</video:category>
<video:category>જૂનાગઢ</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/5cOuNsccniI</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/editor">TV9 Gujarati</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/JND-FARMERS-AID.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/gujarat-videos/breaking-news-porbandar-chhaya-adulterated-ghee-unit-raided-during-janmashtami-1508322.html</loc><video:video>
	<video:title>Breaking News:  જન્માષ્ટમી પહેલાં પોરબંદરમાં નકલી ઘીનો પર્દાફાશ, મિની ફેક્ટરીમાંથી વનસ્પતિ ઘીનો જથ્થો ઝડપાયો, જુઓ Video</video:title>
	<video:publication_date>2026-09-01T13:37:55+05:30</video:publication_date>
	<video:description>પોરબંદરના છાયા વિસ્તારમાં જન્માષ્ટમીના તહેવાર વચ્ચે LCB અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. ઘીની વધતી માગ વચ્ચે વનસ્પતિ ઘીમાંથી શુદ્ધ ઘી તૈયાર કરીને વેચાણ કરવામાં આવતું હોવાની શંકા સામે આવતા સંયુક્ત દરોડો પાડવામાં આવ્યો હતો. કાર્યવાહી દરમિયાન શંકાસ્પદ રીતે ઘી બનાવતી મિની ફેક્ટરી ઝડપાઈ છે અને એક શખ્સને અટકાયતમાં લેવામાં આવ્યો છે.  વનસ્પતિ ઘીમાંથી શુદ્ધ ઘી બનાવવાનો આરોપ મળતી માહિતી મુજબ, છાયા વિસ્તારમાં એક સ્થળે વનસ્પતિ ઘીમાંથી શુદ્ધ ઘી બનાવવામાં આવતું હોવાની માહિતીના આધારે LCB અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તપાસ હાથ ધરી હતી. દરોડા દરમિયાન વનસ્પતિ ઘીનો ઉપયોગ કરીને ઘી તૈયાર કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. આ રીતે તૈયાર કરાયેલું ઘી બજારમાં શુદ્ધ ઘીના નામે વેચવામાં આવતું હતું કે નહીં તે અંગે હવે તપાસ કરવામાં આવી રહી છે.  50 બોક્સ વનસ્પતિ ઘી સહિતનો જથ્થો કબજે સંયુક્ત કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી 50 બોક્સ વનસ્પતિ ઘી અને 9 ડબ્બા મળી આવ્યા હતા. અધિકારીઓએ શંકાસ્પદ સામગ્રીનો કબજો લઈ સમગ્ર જથ્થાની તપાસ શરૂ કરી છે. તહેવારના સમયે મોટી માત્રામાં ઘીની માગ રહેતી હોવાથી આ પ્રકારના ગેરકાયદે કારોબારથી ગ્રાહકો સાથે છેતરપિંડી થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.  એક શખ્સ અટકાયતમાં, તપાસ શરૂ LCB અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સ્થળ પરથી એક શખ્સને અટકાયતમાં લઈને પૂછપરછ શરૂ કરી છે. આ મિની ફેક્ટરી કેટલા સમયથી ચાલી રહી હતી, અહીં તૈયાર થતું ઘી ક્યાં વેચવામાં આવતું હતું અને આ સમગ્ર કારોબારમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં તે સહિતના મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે.  ઘીના સેમ્પલ લેવામાં આવશે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સ્થળ પરથી ઘીના સેમ્પલ લેવામાં આવશે અને તેને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવશે. સેમ્પલના રિપોર્ટ બાદ ઘી ખરેખર ખાદ્ય ગુણવત્તાના ધારાધોરણોને અનુરૂપ છે કે નહીં અને તેમાં કોઈ ભેળસેળ કરવામાં આવી હતી કે નહીં તે સ્પષ્ટ થશે. જન્માષ્ટમીના તહેવાર વચ્ચે નકલી ઘીના શંકાસ્પદ કારોબારનો પર્દાફાશ થતાં પોરબંદરમાં ખળભળાટ મચી ગયો છે. આ પણ વાંચો- Ahmedabad Breaking News : વરસાદ વગર જ રસ્તો બેસી ગયો, AMC ના ભ્રષ્ટાચારનો ભૂવો કે રોડ બનાવવાની નબળી ગુણવત્તા ? Video</video:description>
<video:category>ગુજરાત વીડિયો</video:category>
<video:category>પોરબંદર</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/WmWKcNMV51Y</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/editor">TV9 Gujarati</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Suspected-Fake-Ghee-Mini-Factory-.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/gujarat-videos/ahmedabad-breaking-news-ashram-road-vallabh-sadan-road-collapse-without-rain-amc-video-1508254.html</loc><video:video>
	<video:title>Ahmedabad Breaking News : વરસાદ વગર જ રસ્તો બેસી ગયો, AMC ના ભ્રષ્ટાચારનો ભૂવો કે રોડ બનાવવાની નબળી ગુણવત્તા ? Video</video:title>
	<video:publication_date>2026-09-01T12:33:07+05:30</video:publication_date>
	<video:description>અમદાવાદમાં ફરી એક વખત રસ્તા પર ભૂવો પડવાની ઘટના સામે આવી છે. આશ્રમ રોડ પર વલ્લભ સદન ચાર રસ્તા પાસે આ ભૂવો પડ્યો છે. ખાસ વાત એ છે કે આ જ સ્થળની આસપાસ અગાઉ પણ ભૂવો પડ્યો હતો. એક જ વિસ્તારમાં વારંવાર ભૂવો પડતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની કામગીરી અને રોડની ગુણવત્તા સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. વરસાદ વિના શહેરમાં વારંવાર ભૂવા પડવાની ઘટના અમદાવાદમાં ભૂવો પડતાં વાહનચાલકો માટે જોખમ ઊભું થયું છે. તંત્ર દ્વારા તાત્કાલિક બેરીકેડ લગાવીને રસ્તાનો આ ભાગ વાહનચાલકો માટે જોખમી હોવાનું દર્શાવવામાં આવ્યું છે. જોકે, માત્ર બેરીકેડ લગાવવાથી સમસ્યાનો કાયમી ઉકેલ આવશે કે કેમ તે મોટો સવાલ છે. સૌથી ગંભીર બાબત એ છે કે વરસાદ વિના પણ શહેરમાં વારંવાર ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. સામાન્ય રીતે ભારે વરસાદ બાદ રસ્તાઓને નુકસાન થવાની ઘટનાઓ જોવા મળે છે. પરંતુ અહીં વરસાદ ન હોવા છતાં રસ્તો બેસી જતાં રોડની ગુણવત્તા અને કામગીરી અંગે ચર્ચા શરૂ થઈ છે. વાહનચાલકો અને રાહદારીઓની સુરક્ષા ચિંતાજનક શહેરમાં વારંવાર સર્જાતી આવી ઘટનાઓ વાહનચાલકો અને રાહદારીઓની સુરક્ષા માટે ચિંતાજનક છે. તંત્ર ક્યારે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવશે અને રસ્તાઓની ગુણવત્તા માટે જવાબદારી નક્કી કરશે, તે જોવાનું રહ્યું. આ પણ વાંચો, Ambalal Patel Weather Forecast: ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલનું મોટું અનુમાન, જાણો 8 સપ્ટેમ્બર સુધી કેવો વરસાદ રહેશે</video:description>
<video:category>અમદાવાદ</video:category>
<video:category>ગુજરાત</video:category>
<video:category>ગુજરાત વીડિયો</video:category>
<video:category>વીડિયોઝ</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/ZHudiKJz-2MWUa9Jl.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/editor">TV9 Gujarati</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Ahmedabad-Road-Collapse-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/gujarat-videos/kheda-breaking-caterpillars-found-in-dhokla-given-to-children-for-breakfast-in-anganwadi-1508263.html</loc><video:video>
	<video:title>Kheda Breaking : આંગણવાડીમાં બાળકોને નાસ્તામાં આપેલા ઢોકળામાં નીકળી ઈયળો!  વાલીઓએ કરી કાર્યવાહીની માગ</video:title>
	<video:publication_date>2026-09-01T12:20:15+05:30</video:publication_date>
	<video:description>ખેડા જિલ્લાના આંતરસુંબા ગામની આંગણવાડીમાં બાળકોને આપવામાં આવેલા નાસ્તામાંથી ઈયળો નીકળ્યાની ઘટના સામે આવી છે. બાળકોને આપવામાં આવેલા ઢોકળામાં ઈયળો મળી આવતાં વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં કેટલાક વાલીઓ આંગણવાડી ખાતે પહોંચી ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો. બાળકોના નાસ્તામાં નીકળી ઈયળો વાલીઓના જણાવ્યા મુજબ, આંગણવાડીમાં બાળકોને આપવામાં આવેલા ઢોકળામાં ઈયળો જોવા મળી હતી. આ ઘટનાને લઈને નાસ્તાની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. વાલીઓનો વધુમાં આક્ષેપ છે કે, જે દિવસે ઢોકળા આપવામાં આવ્યા હતા, તે મેનુમાં ઢોકળાનો સમાવેશ ન હોવા છતાં બાળકોને નાસ્તામાં ઢોકળા આપવામાં આવ્યા હતા. વાલીઓએ ચિંતા વ્યક્ત કરી બાળકોને આપવામાં આવતા ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે વાલીઓએ ચિંતા વ્યક્ત કરી છે. નાસ્તામાંથી જીવાત નીકળવાની ઘટનાથી બાળકોના સ્વાસ્થ્યને લઈને પણ સવાલો ઉઠ્યા છે. કડક કાર્યવાહી કરાવા કરી માંગ વાલીઓએ સમગ્ર મામલાની યોગ્ય તપાસ કરવામાં આવે અને બાળકોને આપવામાં આવતા નાસ્તાની ગુણવત્તા નિયમિત રીતે ચકાસવામાં આવે તેવી માગ કરી છે. સાથે જ બેદરકારી દાખવનારા જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ વાલીઓએ માંગણી કરી છે. હવે સમગ્ર મામલે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે. Breaking News : વલસાડના ઉમરગામ GIDCમાં રેડ પાડીને એવરેસ્ટ હિંગનો જથ્થો જપ્ત કરાયો, જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો</video:description>
<video:category>ખેડા</video:category>
<video:category>ગુજરાત</video:category>
<video:category>ગુજરાત વીડિયો</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/PIFsvrC3-2MWUa9Jl.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/devankashi-rana">Devankashi rana</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Caterpillars-in-dhokla-kheda.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/gujarat-videos/breaking-news-valsad-food-and-drug-department-raids-gidc-evergreen-food-company-1508246.html</loc><video:video>
	<video:title>Breaking News : વલસાડના ઉમરગામ GIDCમાં રેડ પાડીને એવરેસ્ટ હિંગનો જથ્થો જપ્ત કરાયો, જુઓ Video</video:title>
	<video:publication_date>2026-09-01T11:58:14+05:30</video:publication_date>
	<video:description>જો તમે પણ તમારા મસાલામાં હિંગનો ઉપયોગ કરી રહ્યા છો. તો આ સમાચાર ખાસ વાંચજો. કારણ કે,એક બાજુ એવરેસ્ટ કંપનીની હિંગ પર પ્રતિબંધ મુક્યો છે. ત્યારે વલસાડની ઉમરગામ GIDCની એવરગ્રીન ફૂડ કંપનીમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે રેડ પાડી હતી. કંપનીમાં એવરેસ્ટ મસાલા કંપનીની હિંગનું જોબ વર્ક થતું હોવાનું ધ્યાને આવ્યું હતુ. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે હિંગના સેમ્પલ લઈ તપાસ હાથ ધરી હતી.  કંપનીમાંથી રૂ. 26.81 લાખની કિંમતનો 4,668 કિલો હિંગનો જથ્થો સીઝ કર્યો છે.હિંગના સેમ્પલ પૃથ્થકરણ માટે રાજકોટ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.આગામી કાર્યવાહી માટે લેબોરેટરી રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. એવરેસ્ટ કંપનીની હિંગ પર પ્રતિબંધ તમને જણાવી દઈએ કે,FSSAIએ એવરેસ્ટ કંપનીની હિંગ પર પ્રતિબંધ મુક્યો છે. FSSAI એ એવરેસ્ટ અને Laljee Godhooમાંથી મળેલા કમ્પાઉન્ડેડ એસાફોટીડાના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે નમૂનાઓ સ્થાપિત ધોરણોને પૂર્ણ કરતા નથી. Laljee Godhooમાંથી મળેલા 6 એસાફોટીડાના નમૂનાઓમાં પણ વધુ પડતો સ્ટાર્ચ જોવા મળ્યો હતો.      તહેવારો ટાણે ખાંડની અછતની ભીતિ વચ્ચે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, ખાંડ વિતરણની મુદ્દત લંબાવાઈ અહી ક્લિક કરો</video:description>
<video:category>Gujarat Weather News</video:category>
<video:category>ગુજરાત</video:category>
<video:category>ગુજરાત વીડિયો</video:category>
<video:category>વલસાડ</video:category>
<video:category>વીડિયોઝ</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/oHPJ7Yhz-2MWUa9Jl.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/editor">TV9 Gujarati</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Breaking-News-Valsad-Food-and-Drug-Department-raids-GIDC-Evergreen-Food-Company.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/bhakti-videos/today-gujarati-rashifal-horoscope-01-september-2026-astrology-predictions-for-all-12-zodiac-signs-watch-video-1505180.html</loc><video:video>
	<video:title>01 September 2026 રાશિફળ: આજે કોનું ભાગ્ય આપશે સાથ? જાણો તમામ રાશિના ધનલાભ અને પ્રગતિના યોગ</video:title>
	<video:publication_date>2026-09-01T08:05:01+05:30</video:publication_date>
	<video:description>આજનું રાશિફળ વીડિયો: શું આજે ભાગ્ય તમારો સાથ આપશે? જાણો આજના દિવસની નાની-મોટી તમામ આગાહી. કોના પર વરસશે ધન અને કોને મળશે નોકરીમાં સારા સમાચાર? વ્યવસાયમાં નફો મેળવવાની ટિપ્સ અને સ્વાસ્થ્યની સાવચેતી સાથે જુઓ આજનું રાશિફળ. પ્રેમી યુગલો માટે આજનો દિવસ કેવો રહેશે, જાણો અહીં. મેષ રાશિ: આજે કાર્યક્ષેત્રમાં તમારી નેતૃત્વ ક્ષમતા અને આત્મવિશ્વાસથી અટકેલા પ્રોજેક્ટ્સને નવી ગતિ મળશે. વેપારમાં નવો સોદો થવાથી આર્થિક લાભના મજબૂત યોગ બનશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પ્રગતિના સારા સમાચાર મળશે. વૃષભ રાશિ: આજે નોકરી અને વ્યાપારમાં સ્થિરતા જળવાઈ રહેવાથી મનની ચિંતાઓ દૂર થશે. જૂના રોકાણોમાંથી ઉત્તમ વળતર મળવાથી નાણાકીય સ્થિતિ મજબૂત બનશે. વિદ્યાર્થીઓને કલા અને સર્જનાત્મક વિષયોમાં વિશેષ સફળતા પ્રાપ્ત થશે. મિથુન રાશિ: આજે બૌદ્ધિક ચર્ચાઓ અને મહત્વપૂર્ણ વાટાઘાટોમાં તમારી જીત નિશ્ચિત થશે. વેપારના વિસ્તરણ માટે કરવામાં આવેલા આર્થિક પ્રયાસો સફળ રહેશે. ટેકનિકલ અને સંશોધન ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ઉત્સાહજનક રહેશે. કર્ક રાશિ: આજે માનસિક શાંતિ મળવાથી તમે પરિવાર અને કામ બંને વચ્ચે સુંદર સંતુલન જાળવી શકશો. જમીન-મકાન કે મિલકતના સોદામાંથી સારો આર્થિક ફાયદો થશે. અભ્યાસમાં એકાગ્રતા વધવાથી વિદ્યાર્થીઓને ધાર્યું પરિણામ મળશે. સિંહ રાશિ: આજે સામાજિક વર્તુળમાં તમારો પ્રભાવ વધશે અને નવા પ્રભાવશાળી સંપર્કો બનશે. વેપારમાં સારો રોકડ પ્રવાહ રહેવાથી આર્થિક સ્થિતિ સુધરશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓનું પ્રદર્શન ઉત્કૃષ્ટ અને સંતોષકારક રહેશે. કન્યા રાશિ: આજે લાંબા સમયથી ચાલી રહેલી કાયદાકીય કે ઓફિશિયલ ગૂંચવણો ઉકેલાતી જણાશે. ખર્ચ પર યોગ્ય નિયંત્રણ રહેવાથી બચત કરવામાં સફળતા મળશે. ઉચ્ચ શિક્ષણ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓને નવી ઉત્તમ તકો પ્રાપ્ત થશે. તુલા રાશિ: આજે ભાગીદારીના વ્યવસાયમાં સારો તાલમેલ રહેવાથી મોટી સફળતા હાથ લાગશે. નવી યોજનાઓમાં મૂડી રોકાણ કરવાથી ભવિષ્યમાં સારો આર્થિક લાભ થશે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવા માટે ઉત્તમ સમય છે. લાલચ અને શોર્ટકટથી પૈસા કમાવાની વૃત્તિથી સંપૂર્ણ દૂર રહેવું. વૃશ્ચિક રાશિ: આજે કાર્યક્ષેત્રમાં તમારી નવી કાર્યપદ્ધતિ અને રણનીતિની સહુ પ્રશંસા કરશે. અચાનક નાણાકીય લાભ થવાથી જૂની આર્થિક ચિંતાઓ હળવી બનશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને શિક્ષકોનું યોગ્ય માર્ગદર્શન મળશે. ધન રાશિ: આજે ભાગ્ય અને સકારાત્મક વિચારોનો સાથ મળવાથી મુશ્કેલ કામો પણ સરળ બની જશે. વિદેશ સંબંધિત કામકાજ કે ઓનલાઇન કારોબારમાં સારો આર્થિક નફો થશે. ઉચ્ચ અભ્યાસની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સારો દિવસ સાબિત થશે. મકર રાશિ: આજે ધીરજ અને સંયમપૂર્વક કરેલી મહેનતનું યોગ્ય અને ધાર્યું પરિણામ મળશે. પૂર્વ આયોજિત રોકાણોમાંથી ધીમો પણ સ્થિર નાણાકીય લાભ મળતો રહેશે. ટેકનિકલ કે મેનેજમેન્ટ ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે ઉત્સાહજનક દિવસ રહેશે. કુંભ રાશિ: આજે ટીમવર્ક અને સહકર્મીઓના સાથથી મહત્વપૂર્ણ લક્ષ્યો સરળતાથી પૂરા થશે. વેપારમાં નવા ગ્રાહકો જોડાવાથી આર્થિક સ્થિતિમાં સારો સુધારો જોવા મળશે. સાહિત્ય અને કલા ક્ષેત્રના વિદ્યાર્થીઓને નવી ઓળખ અને સન્માન મળશે. મીન રાશિ: આજે ભાગ્યનો સાથ મળવાથી અટકેલા સરકારી અને વહીવટી કામો ઝડપથી પાર પડશે. વેપારમાં સારો રોકડ પ્રવાહ રહેવાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ઉત્સાહજનક સમાચાર મળશે. નોંધ: અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.</video:description>
<video:category>ભક્તિ વીડિયો</video:category>
<video:category>ભક્તિ સમાચાર</video:category>
<video:category>રાશિફળ</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/LesOwxxnxik</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/sachin">Sachin Agrawal</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Gujarati-Rashifal-of-01-September-2026-v.jpg</video:thumbnail_loc></video:video></url></urlset>