<urlset xmlns="https://www.sitemaps.org/schemas/sitemap/0.9" xmlns:video="http://www.google.com/schemas/sitemap-video/1.1"><url><loc>https://tv9gujarati.com/videos/gujarat-videos/rajkot-railway-safety-lapse-train-halts-at-airport-gate-while-crossing-gate-remains-open-1508590.html</loc><video:video>
	<video:title>Breaking News : રાજકોટમાં રેલવે સુરક્ષામાં મોટી બેદરકારી, એરપોર્ટ ફાટક પાસે ટ્રેન ઉભી હોવા છતાં ફાટક ખુલ્લું રહ્યું, જુઓ Video</video:title>
	<video:publication_date>2026-09-01T19:38:34+05:30</video:publication_date>
	<video:description>રાજકોટમાં રેલવે સલામતીને લઇને ગંભીર સવાલો ઉભા કરતો એક વીડિયો સામે આવ્યો છે. શહેરના એરપોર્ટ ફાટક નજીક ટ્રેન ઉભી હોવા છતાં રેલવે ગેટ ખુલ્લો રાખવામાં આવ્યો હતો, જેના કારણે લોકો ભારે જોખમ વચ્ચે ફાટક ક્રોસ કરતા નજરે પડ્યા હતા. આ દ્રશ્યોએ રેલવે વિભાગની કામગીરી સામે અનેક પ્રશ્નાર્થ સર્જ્યા છે.  આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં અને વિવાદ વધતા રેલવે વિભાગ દ્વારા સમગ્ર મામલે સ્પષ્ટતા કરવામાં આવી છે. વિભાગના જણાવ્યા અનુસાર, રેલવે સ્ટેશનમાં ટ્રેન માટે જગ્યા ઉપલબ્ધ ન હોવાથી ટ્રેનને લાલ સિગ્નલ આપવામાં આવ્યું હતું અને સિગ્નલ ન મળતાં ટ્રેન રોકાયેલી હતી. વિભાગે બચાવ કરતા જણાવ્યું કે, લોકોને વધુ પરેશાની ન થાય તે માટે રેલવે ગેટ ખુલ્લો રાખવામાં આવ્યો હતો.  જોકે, ટ્રેન નજીક ઉભી હોવા છતાં ફાટક ખુલ્લું રાખવાની આ સ્થિતિમાં મુસાફરોની સલામતી અને ટ્રાફિક વ્યવસ્થાપનને લઈને અનેક ગંભીર સવાલો ઉભા થયા છે. આ ઘટનાએ રેલવે સુરક્ષાના પાસાઓ પર ફરીથી વિચારણા કરવાની જરૂરિયાત દર્શાવી છે. વડોદરાના વડાપાવ આઉટલેટમાં સમોસામાં જીવાત મળી આવતા ખાદ્ય સુરક્ષા પર સવાલો, જુઓ Video</video:description>
<video:category>ગુજરાત વીડિયો</video:category>
<video:category>રાજકોટ</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/QUrbbeiociE</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/sagar-solanki">Sagar Solanki</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Rajkot-Railway-Safety-Lapse-Train-Halts-at-Airport-Gate-While-Crossing-Gate-Remains-Open.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/gujarat-videos/vadodara-food-safety-concerns-arise-after-samosa-insect-incident-1508584.html</loc><video:video>
	<video:title>Breaking News : વડોદરાના વડાપાવ આઉટલેટમાં સમોસામાં જીવાત મળી આવતા ખાદ્ય સુરક્ષા પર સવાલો, જુઓ Video</video:title>
	<video:publication_date>2026-09-01T19:18:02+05:30</video:publication_date>
	<video:description>વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા એક જાણીતા વડાપાવ આઉટલેટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેણે ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા અંગે ગંભીર ચિંતાઓ જગાવી છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે વેચાણ માટે મૂકવામાં આવેલા સમોસાની વચ્ચે જીવાતો ફરી રહી છે. ચોમાસાની ઋતુમાં બનેલી આ ઘટનાએ ગ્રાહકોને પીરસાતા ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા સામે મોટો પ્રશ્નાર્થ ઊભો કર્યો છે.  આ વીડિયો સામે આવ્યા બાદ ગ્રાહકોમાં ભય અને અસંતોષ વ્યાપી ગયો છે. સામાન્ય રીતે લોકો સ્ટ્રીટ ફૂડ અને આવા આઉટલેટ્સ પર વિશ્વાસ રાખીને ખાવાનું પસંદ કરતા હોય છે, ત્યારે આ પ્રકારની ઘટનાઓ તેમના વિશ્વાસને ઠેસ પહોંચાડે છે. ખાદ્યપદાર્થોમાં જીવાતનું જોવા મળવું એ સીધું ફૂડ હાઈજીનના નિયમોના ભંગનું સૂચન કરે છે.  આ ઘટનાએ વડોદરા મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા છે. નિયમિતપણે ખાદ્ય એકમોનું નિરીક્ષણ કરીને સ્વચ્છતાના ધોરણો જાળવવામાં આવે તે અત્યંત આવશ્યક છે. આ મામલે આગળની કાર્યવાહી અને ખાદ્ય સુરક્ષાના પાલન અંગે વધુ માહિતી આપવામાં આવશે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય અને ગ્રાહકોને સુરક્ષિત અને સ્વચ્છ ખોરાક મળી રહે. GIDCના પ્લોટ ધારકો માટે સરકારની મોટી જાહેરાત, વાઈબ્રન્ટ ગુજરાતમા મળશે મોટો લાભ !</video:description>
<video:category>ગુજરાત વીડિયો</video:category>
<video:category>વડોદરા</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/s9oa67xfZiU</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/sagar-solanki">Sagar Solanki</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Vadodara-Food-Safety-Concerns-Arise-After-Samosa-Insect-Incident.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/gujarat-videos/5-year-old-son-dedicated-to-temple-mehsanas-walinath-dham-unique-tradition-watch-video-1508502.html</loc><video:video>
	<video:title>માનતા પૂરી થતાં પરિવારે 5 વર્ષના પુત્રને મંદિરમાં કર્યો &#039;અર્પણ&#039;, મહેસાણાના વાળીનાથ ધામની &#039;અનોખી પરંપરા&#039; - જુઓ Video</video:title>
	<video:publication_date>2026-09-01T17:20:44+05:30</video:publication_date>
	<video:description>મહેસાણાના તરભ સ્થિત વાળીનાથ ધામમાં એક જૂની અને અનોખી ધાર્મિક પરંપરા આજે પણ જીવંત જોવા મળી રહી છે. તાજેતરમાં, એક ભાવિક ભક્ત પરિવારે પોતાની માનતા પૂરી થતાં પોતાના પાંચ વર્ષના પુત્રને મંદિરમાં અર્પણ કર્યો છે. આ પરિવારે બે પુત્રની પ્રાપ્તિ માટે માનતા રાખી હતી અને તે પૂર્ણ થતાં તેમણે શ્રાવણ મહિનાના સોમવારે વિધિ કરી પોતાનું વચન પાળ્યું હતું.  મંદિરના મહંત જયરામગીરી બાપુએ આ પરંપરા વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ પ્રથા વર્ષોથી ચાલી આવે છે અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય સનાતન ધર્મનું રક્ષણ તથા પ્રચાર કરવાનો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, અર્પણ કરાયેલા બાળકના અભ્યાસની સંપૂર્ણ જવાબદારી મંદિર તરફથી લેવામાં આવે છે. બાળક પુખ્ત વયનો થાય પછી તેને પોતાના ભવિષ્ય વિશે નિર્ણય લેવાની સંપૂર્ણ છૂટ આપવામાં આવે છે.  છેલ્લા પાંચ વર્ષમાં આશરે પાંચ જેટલા બાળકોને આ રીતે મંદિરમાં અર્પણ કરવામાં આવ્યા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. આ ઘટના ફરી એકવાર વાળીનાથ ધામની અનોખી શ્રદ્ધા અને પરંપરાને ચર્ચામાં લાવી છે. AMCના આદેશને પગલે, અમદાવાદમાં ફરસાણની દુકાનો – રેસ્ટોરન્ટમાં TPC કીટ અને CCTV લગાવાયા, જુઓ Video</video:description>
<video:category>ગુજરાત</video:category>
<video:category>ગુજરાત વીડિયો</video:category>
<video:category>મહેસાણા</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/3-3X0VhaUpE</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/ravi-prajapati">Ravi Prajapati</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Gujarat.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/gujarat-videos/dwarka-farmers-havan-demand-drought-status-crop-loan-waiver-and-fodder-aid-1508490.html</loc><video:video>
	<video:title>દ્વારકા જિલ્લાના ખેડૂતોએ ખેતરમાં હવન કરી સરકારે જગાડવા કર્યો પ્રયાસ, જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ</video:title>
	<video:publication_date>2026-09-01T16:51:53+05:30</video:publication_date>
	<video:description>સમગ્ર સૌરાષ્ટ્રમાં પાણીની અછતનો પ્રશ્ન વિકટ બની રહ્યો છે. જેની સીધી અસર હવે ખેતી અને પશુપાલન પર પડી રહી છે. ત્યારે ધરતીપુત્રો કુદરત સામે લાચાર બન્યા છે. આકાશ તરફ મીટ માંડીને બેસેલા ખેડૂતોને હવે વરસાદ આવવાના કોઈ એંધાણ જણાતા નથી. હાલ ખેતરો પણ પાણી વિના સૂકાઈ રહ્યા છે. પશુઓ માટેનો ઘાસચારો પણ ખૂટી રહ્યો છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોએ ખેતરમાં હવન કરી દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ કરી રહ્યા છે.  ખેડૂતો દ્વારકાધિશને પણ પ્રાર્થના કરી રહ્યા છે કે સરકારને જગાડે અને તાત્કાલિક દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે, પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરે, પાક ધિરાણ માફ કરવામાં આવે અને ચાલુ વર્ષના વીજ બિલ પણ માફ કરવાની માગ જગતનો તાત કરી રહ્યો છે.  કલ્યાણપુરના ધતુરીયા ગામે ખેડૂતો અને પશુપાલકોએ સરકારને જગાડવા અનોખો હવન કર્યો. દ્વારકાધીશને પ્રાર્થના સાથે સરકાર સમક્ષ દુષ્કાળ જાહેર કરવાની ઉગ્ર માંગ ઉઠાવી છે. ખેડૂતોનો દાવો છે કે જિલ્લામાં સિઝનનો માત્ર 6 ટકા વરસાદ પડ્યો છે, એટલે 94 ટકા વરસાદની અછત છે. સમયસર રાહત નહીં મળે તો ખેતી સાથે પશુપાલન પર પણ સંકટના વાદળો છવાશે.  ગત વર્ષે પણ કમોસમી વરસાદના લીધે ખેડૂતોને પાકને ભારે નુક્સાન થયું હતું.. ત્યારે આ વર્ષે તો મેઘરાજા જ રિસાઈ જતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. ત્યારે ખેડૂતોનો સીધો સવાલ છે કે શું ખેડૂતો પાસે આપઘાત કર્યા સિવાય કોઈ રસ્તો નહીં બચે ત્યારે સરકાર જાગશે?  હવે ખેડૂતોની એક જ માંગ છે કે વિલંબ કર્યા વગર દુષ્કાળ જાહેર કરવામાં આવે અને પાક ધિરાણ સંપૂર્ણ માફ કરાય. સાથે જ પશુઓ માટે ઘાસચારો અને પાણીની વ્યવસ્થા કરાય… ચાલુ વર્ષના વીજ બીલ માફ કરીને નજીકના અંતરે ઘાસ ડેપો શરૂ કરવા માગ ઉઠી છે.  Input Credit- Jay Goswami- Dwarka સામુદ્રિક શાસ્ત્ર: શરીરના આ અંગ પર તલ હોવો એ છે ભાગ્યશાળી હોવાની નિશાની, જાણો તમારા તલ શું સંકેત આપે છે?</video:description>
<video:category>ગુજરાત</video:category>
<video:category>ગુજરાત વીડિયો</video:category>
<video:category>દેવભૂમિ દ્વારકા</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/yQuAUUsy4Ug</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/editor">TV9 Gujarati</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Farmers-Demand-Drought-Declaration.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/gujarat-videos/junagadh-farmers-face-crop-failure-rain-deficit-devastates-groundnut-seek-gov-aid-1508477.html</loc><video:video>
	<video:title>વરસાદ ખેંચાવાને કારણે જુનાગઢ જિલ્લાના ખેડૂતોની કફોડી સ્થિતિ, પાક નિષ્ફળ જવાની ભીતિથી સહાય સામે માડી સહાયની મીટ</video:title>
	<video:publication_date>2026-09-01T16:35:12+05:30</video:publication_date>
	<video:description>જુનાગઢ જિલ્લામાં આ વર્ષે મેઘરાજા જાણે રુઠ્યા હોય તેમ મન મુકીને વરસી નથી રહ્યા. જેના કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. છેલ્લા એક મહિનાથી વરસાદનો છાંટોય ન પડતા ખેડૂતોએ વાવેતર કરેલા પાકો નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ખેડૂતોની હાલત અત્યંત દયનિય બની છે. છેલ્લા દોઢ મહિનાથી વરસાદે વિરામ લીધો છે જેના કારમે ખેડૂતોને મગફળીનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. હવે ખેડૂતો સરકાર સામે સહાય ની મીટ માંડીને બેઠા છે અને દેવા માફીની માગ કરી રહ્યા છે.  મેંદરડા તાલુકાના ખડપીપળી ગામના ખેડૂતોએ પોતાના ખેતરમાં જઈને પાક નિષ્ફળ ગયાની વ્યથા જણાવી હતી. ખેડૂતોનું કહેવુ છે કે સરકાર સેટેલાઈટ સર્વે કરીને ખેતરમાં દેખાતી લીલોતરીથી નુકસાનીનું આકલન ન કરે. મગફળી જેવા પાકો જમીનની અંદર થતા હોય છે અન પુરતી પિયત ન મળવાને કારણે તેમનુ ઉત્પાદન નિષ્ફળ ગયુ છે. મગફળી, અડદ સહિતના પાકો નિષ્ફળ જવાની અણી પર છે જેના કારણે ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાયા છે.  કૃષિ નિષ્ણાંત વૈજ્ઞાનિકનું પણ કહેવુ છે કે જેમણે પ્રથમ વરસાદમાં વાવણી કરી હતી તેમના પાકમાં સુકારો અને પીળિયા જેવા રોગો આવી ગયા છે, ત્યારે સરકારે તાત્કાલિક ધોરણે દુષ્કાળ જાહેર કરીને ખેડૂતોને આર્થિક સહાય કરવી અનિવાર્ય છે. હાલ વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે. એકતરફ કુદરત રૂઠી છે તો બીજી તરફ વહીવટી તંત્રની બેદરકારી ખેડૂતોની કમર તોડી રહી છે. સ્થાનિક ખેડૂતો જણાવે છે કે હાલ પાક બચાવવા માટે તેમને વીજળીની સૌથી વધુ જરૂર છે એવા સમયે જ વીજ કંપની દ્વારા ધાંધિયા કરવામાં આવે છે અને વારંવાર પાવર કટ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં ઓછા વોલ્ટેજને કારણે મોટરો બળી જવાના કિસ્સાઓ પણ વધી રહ્યા છે.  ખેડૂતોનું કહેવુ છે કે તેઓ બોર, અને કૂવાના પાણીથી જેમતેમ પિયત આપી પાકને જીવતદાન આપવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે સતત પાણી ખેંચવાના કારણે તેના પણ તળિયા દેખાવા લાગ્યા છે અને ભૂગર્ભ જળ સ્તર પણ ઉંડા ઉતરી ગયા છે. સામુદ્રિક શાસ્ત્ર: શરીરના આ અંગ પર તલ હોવો એ છે ભાગ્યશાળી હોવાની નિશાની, જાણો તમારા તલ શું સંકેત આપે છે?</video:description>
<video:category>ગુજરાત</video:category>
<video:category>ગુજરાત વીડિયો</video:category>
<video:category>જૂનાગઢ</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/5cOuNsccniI</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/editor">TV9 Gujarati</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/JND-FARMERS-AID.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/gujarat-videos/breaking-news-porbandar-chhaya-adulterated-ghee-unit-raided-during-janmashtami-1508322.html</loc><video:video>
	<video:title>Breaking News:  જન્માષ્ટમી પહેલાં પોરબંદરમાં નકલી ઘીનો પર્દાફાશ, મિની ફેક્ટરીમાંથી વનસ્પતિ ઘીનો જથ્થો ઝડપાયો, જુઓ Video</video:title>
	<video:publication_date>2026-09-01T13:37:55+05:30</video:publication_date>
	<video:description>પોરબંદરના છાયા વિસ્તારમાં જન્માષ્ટમીના તહેવાર વચ્ચે LCB અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. ઘીની વધતી માગ વચ્ચે વનસ્પતિ ઘીમાંથી શુદ્ધ ઘી તૈયાર કરીને વેચાણ કરવામાં આવતું હોવાની શંકા સામે આવતા સંયુક્ત દરોડો પાડવામાં આવ્યો હતો. કાર્યવાહી દરમિયાન શંકાસ્પદ રીતે ઘી બનાવતી મિની ફેક્ટરી ઝડપાઈ છે અને એક શખ્સને અટકાયતમાં લેવામાં આવ્યો છે.  વનસ્પતિ ઘીમાંથી શુદ્ધ ઘી બનાવવાનો આરોપ મળતી માહિતી મુજબ, છાયા વિસ્તારમાં એક સ્થળે વનસ્પતિ ઘીમાંથી શુદ્ધ ઘી બનાવવામાં આવતું હોવાની માહિતીના આધારે LCB અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તપાસ હાથ ધરી હતી. દરોડા દરમિયાન વનસ્પતિ ઘીનો ઉપયોગ કરીને ઘી તૈયાર કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. આ રીતે તૈયાર કરાયેલું ઘી બજારમાં શુદ્ધ ઘીના નામે વેચવામાં આવતું હતું કે નહીં તે અંગે હવે તપાસ કરવામાં આવી રહી છે.  50 બોક્સ વનસ્પતિ ઘી સહિતનો જથ્થો કબજે સંયુક્ત કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી 50 બોક્સ વનસ્પતિ ઘી અને 9 ડબ્બા મળી આવ્યા હતા. અધિકારીઓએ શંકાસ્પદ સામગ્રીનો કબજો લઈ સમગ્ર જથ્થાની તપાસ શરૂ કરી છે. તહેવારના સમયે મોટી માત્રામાં ઘીની માગ રહેતી હોવાથી આ પ્રકારના ગેરકાયદે કારોબારથી ગ્રાહકો સાથે છેતરપિંડી થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.  એક શખ્સ અટકાયતમાં, તપાસ શરૂ LCB અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સ્થળ પરથી એક શખ્સને અટકાયતમાં લઈને પૂછપરછ શરૂ કરી છે. આ મિની ફેક્ટરી કેટલા સમયથી ચાલી રહી હતી, અહીં તૈયાર થતું ઘી ક્યાં વેચવામાં આવતું હતું અને આ સમગ્ર કારોબારમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં તે સહિતના મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે.  ઘીના સેમ્પલ લેવામાં આવશે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સ્થળ પરથી ઘીના સેમ્પલ લેવામાં આવશે અને તેને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવશે. સેમ્પલના રિપોર્ટ બાદ ઘી ખરેખર ખાદ્ય ગુણવત્તાના ધારાધોરણોને અનુરૂપ છે કે નહીં અને તેમાં કોઈ ભેળસેળ કરવામાં આવી હતી કે નહીં તે સ્પષ્ટ થશે. જન્માષ્ટમીના તહેવાર વચ્ચે નકલી ઘીના શંકાસ્પદ કારોબારનો પર્દાફાશ થતાં પોરબંદરમાં ખળભળાટ મચી ગયો છે. આ પણ વાંચો- Ahmedabad Breaking News : વરસાદ વગર જ રસ્તો બેસી ગયો, AMC ના ભ્રષ્ટાચારનો ભૂવો કે રોડ બનાવવાની નબળી ગુણવત્તા ? Video</video:description>
<video:category>ગુજરાત વીડિયો</video:category>
<video:category>પોરબંદર</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/WmWKcNMV51Y</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/editor">TV9 Gujarati</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Suspected-Fake-Ghee-Mini-Factory-.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/gujarat-videos/ahmedabad-breaking-news-ashram-road-vallabh-sadan-road-collapse-without-rain-amc-video-1508254.html</loc><video:video>
	<video:title>Ahmedabad Breaking News : વરસાદ વગર જ રસ્તો બેસી ગયો, AMC ના ભ્રષ્ટાચારનો ભૂવો કે રોડ બનાવવાની નબળી ગુણવત્તા ? Video</video:title>
	<video:publication_date>2026-09-01T12:33:07+05:30</video:publication_date>
	<video:description>અમદાવાદમાં ફરી એક વખત રસ્તા પર ભૂવો પડવાની ઘટના સામે આવી છે. આશ્રમ રોડ પર વલ્લભ સદન ચાર રસ્તા પાસે આ ભૂવો પડ્યો છે. ખાસ વાત એ છે કે આ જ સ્થળની આસપાસ અગાઉ પણ ભૂવો પડ્યો હતો. એક જ વિસ્તારમાં વારંવાર ભૂવો પડતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની કામગીરી અને રોડની ગુણવત્તા સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. વરસાદ વિના શહેરમાં વારંવાર ભૂવા પડવાની ઘટના અમદાવાદમાં ભૂવો પડતાં વાહનચાલકો માટે જોખમ ઊભું થયું છે. તંત્ર દ્વારા તાત્કાલિક બેરીકેડ લગાવીને રસ્તાનો આ ભાગ વાહનચાલકો માટે જોખમી હોવાનું દર્શાવવામાં આવ્યું છે. જોકે, માત્ર બેરીકેડ લગાવવાથી સમસ્યાનો કાયમી ઉકેલ આવશે કે કેમ તે મોટો સવાલ છે. સૌથી ગંભીર બાબત એ છે કે વરસાદ વિના પણ શહેરમાં વારંવાર ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. સામાન્ય રીતે ભારે વરસાદ બાદ રસ્તાઓને નુકસાન થવાની ઘટનાઓ જોવા મળે છે. પરંતુ અહીં વરસાદ ન હોવા છતાં રસ્તો બેસી જતાં રોડની ગુણવત્તા અને કામગીરી અંગે ચર્ચા શરૂ થઈ છે. વાહનચાલકો અને રાહદારીઓની સુરક્ષા ચિંતાજનક શહેરમાં વારંવાર સર્જાતી આવી ઘટનાઓ વાહનચાલકો અને રાહદારીઓની સુરક્ષા માટે ચિંતાજનક છે. તંત્ર ક્યારે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવશે અને રસ્તાઓની ગુણવત્તા માટે જવાબદારી નક્કી કરશે, તે જોવાનું રહ્યું. આ પણ વાંચો, Ambalal Patel Weather Forecast: ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલનું મોટું અનુમાન, જાણો 8 સપ્ટેમ્બર સુધી કેવો વરસાદ રહેશે</video:description>
<video:category>અમદાવાદ</video:category>
<video:category>ગુજરાત</video:category>
<video:category>ગુજરાત વીડિયો</video:category>
<video:category>વીડિયોઝ</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/ZHudiKJz-2MWUa9Jl.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/editor">TV9 Gujarati</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Ahmedabad-Road-Collapse-1.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/gujarat-videos/kheda-breaking-caterpillars-found-in-dhokla-given-to-children-for-breakfast-in-anganwadi-1508263.html</loc><video:video>
	<video:title>Kheda Breaking : આંગણવાડીમાં બાળકોને નાસ્તામાં આપેલા ઢોકળામાં નીકળી ઈયળો!  વાલીઓએ કરી કાર્યવાહીની માગ</video:title>
	<video:publication_date>2026-09-01T12:20:15+05:30</video:publication_date>
	<video:description>ખેડા જિલ્લાના આંતરસુંબા ગામની આંગણવાડીમાં બાળકોને આપવામાં આવેલા નાસ્તામાંથી ઈયળો નીકળ્યાની ઘટના સામે આવી છે. બાળકોને આપવામાં આવેલા ઢોકળામાં ઈયળો મળી આવતાં વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં કેટલાક વાલીઓ આંગણવાડી ખાતે પહોંચી ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો. બાળકોના નાસ્તામાં નીકળી ઈયળો વાલીઓના જણાવ્યા મુજબ, આંગણવાડીમાં બાળકોને આપવામાં આવેલા ઢોકળામાં ઈયળો જોવા મળી હતી. આ ઘટનાને લઈને નાસ્તાની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. વાલીઓનો વધુમાં આક્ષેપ છે કે, જે દિવસે ઢોકળા આપવામાં આવ્યા હતા, તે મેનુમાં ઢોકળાનો સમાવેશ ન હોવા છતાં બાળકોને નાસ્તામાં ઢોકળા આપવામાં આવ્યા હતા. વાલીઓએ ચિંતા વ્યક્ત કરી બાળકોને આપવામાં આવતા ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે વાલીઓએ ચિંતા વ્યક્ત કરી છે. નાસ્તામાંથી જીવાત નીકળવાની ઘટનાથી બાળકોના સ્વાસ્થ્યને લઈને પણ સવાલો ઉઠ્યા છે. કડક કાર્યવાહી કરાવા કરી માંગ વાલીઓએ સમગ્ર મામલાની યોગ્ય તપાસ કરવામાં આવે અને બાળકોને આપવામાં આવતા નાસ્તાની ગુણવત્તા નિયમિત રીતે ચકાસવામાં આવે તેવી માગ કરી છે. સાથે જ બેદરકારી દાખવનારા જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ વાલીઓએ માંગણી કરી છે. હવે સમગ્ર મામલે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે. Breaking News : વલસાડના ઉમરગામ GIDCમાં રેડ પાડીને એવરેસ્ટ હિંગનો જથ્થો જપ્ત કરાયો, જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો</video:description>
<video:category>ખેડા</video:category>
<video:category>ગુજરાત</video:category>
<video:category>ગુજરાત વીડિયો</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/PIFsvrC3-2MWUa9Jl.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/devankashi-rana">Devankashi rana</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Caterpillars-in-dhokla-kheda.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/gujarat-videos/breaking-news-valsad-food-and-drug-department-raids-gidc-evergreen-food-company-1508246.html</loc><video:video>
	<video:title>Breaking News : વલસાડના ઉમરગામ GIDCમાં રેડ પાડીને એવરેસ્ટ હિંગનો જથ્થો જપ્ત કરાયો, જુઓ Video</video:title>
	<video:publication_date>2026-09-01T11:58:14+05:30</video:publication_date>
	<video:description>જો તમે પણ તમારા મસાલામાં હિંગનો ઉપયોગ કરી રહ્યા છો. તો આ સમાચાર ખાસ વાંચજો. કારણ કે,એક બાજુ એવરેસ્ટ કંપનીની હિંગ પર પ્રતિબંધ મુક્યો છે. ત્યારે વલસાડની ઉમરગામ GIDCની એવરગ્રીન ફૂડ કંપનીમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે રેડ પાડી હતી. કંપનીમાં એવરેસ્ટ મસાલા કંપનીની હિંગનું જોબ વર્ક થતું હોવાનું ધ્યાને આવ્યું હતુ. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે હિંગના સેમ્પલ લઈ તપાસ હાથ ધરી હતી.  કંપનીમાંથી રૂ. 26.81 લાખની કિંમતનો 4,668 કિલો હિંગનો જથ્થો સીઝ કર્યો છે.હિંગના સેમ્પલ પૃથ્થકરણ માટે રાજકોટ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.આગામી કાર્યવાહી માટે લેબોરેટરી રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. એવરેસ્ટ કંપનીની હિંગ પર પ્રતિબંધ તમને જણાવી દઈએ કે,FSSAIએ એવરેસ્ટ કંપનીની હિંગ પર પ્રતિબંધ મુક્યો છે. FSSAI એ એવરેસ્ટ અને Laljee Godhooમાંથી મળેલા કમ્પાઉન્ડેડ એસાફોટીડાના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે નમૂનાઓ સ્થાપિત ધોરણોને પૂર્ણ કરતા નથી. Laljee Godhooમાંથી મળેલા 6 એસાફોટીડાના નમૂનાઓમાં પણ વધુ પડતો સ્ટાર્ચ જોવા મળ્યો હતો.      તહેવારો ટાણે ખાંડની અછતની ભીતિ વચ્ચે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, ખાંડ વિતરણની મુદ્દત લંબાવાઈ અહી ક્લિક કરો</video:description>
<video:category>Gujarat Weather News</video:category>
<video:category>ગુજરાત</video:category>
<video:category>ગુજરાત વીડિયો</video:category>
<video:category>વલસાડ</video:category>
<video:category>વીડિયોઝ</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://content.jwplatform.com/players/oHPJ7Yhz-2MWUa9Jl.html</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/editor">TV9 Gujarati</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/09/Breaking-News-Valsad-Food-and-Drug-Department-raids-GIDC-Evergreen-Food-Company.jpg</video:thumbnail_loc></video:video></url><url><loc>https://tv9gujarati.com/videos/bhakti-videos/today-gujarati-rashifal-horoscope-01-september-2026-astrology-predictions-for-all-12-zodiac-signs-watch-video-1505180.html</loc><video:video>
	<video:title>01 September 2026 રાશિફળ: આજે કોનું ભાગ્ય આપશે સાથ? જાણો તમામ રાશિના ધનલાભ અને પ્રગતિના યોગ</video:title>
	<video:publication_date>2026-09-01T08:05:01+05:30</video:publication_date>
	<video:description>આજનું રાશિફળ વીડિયો: શું આજે ભાગ્ય તમારો સાથ આપશે? જાણો આજના દિવસની નાની-મોટી તમામ આગાહી. કોના પર વરસશે ધન અને કોને મળશે નોકરીમાં સારા સમાચાર? વ્યવસાયમાં નફો મેળવવાની ટિપ્સ અને સ્વાસ્થ્યની સાવચેતી સાથે જુઓ આજનું રાશિફળ. પ્રેમી યુગલો માટે આજનો દિવસ કેવો રહેશે, જાણો અહીં. મેષ રાશિ: આજે કાર્યક્ષેત્રમાં તમારી નેતૃત્વ ક્ષમતા અને આત્મવિશ્વાસથી અટકેલા પ્રોજેક્ટ્સને નવી ગતિ મળશે. વેપારમાં નવો સોદો થવાથી આર્થિક લાભના મજબૂત યોગ બનશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પ્રગતિના સારા સમાચાર મળશે. વૃષભ રાશિ: આજે નોકરી અને વ્યાપારમાં સ્થિરતા જળવાઈ રહેવાથી મનની ચિંતાઓ દૂર થશે. જૂના રોકાણોમાંથી ઉત્તમ વળતર મળવાથી નાણાકીય સ્થિતિ મજબૂત બનશે. વિદ્યાર્થીઓને કલા અને સર્જનાત્મક વિષયોમાં વિશેષ સફળતા પ્રાપ્ત થશે. મિથુન રાશિ: આજે બૌદ્ધિક ચર્ચાઓ અને મહત્વપૂર્ણ વાટાઘાટોમાં તમારી જીત નિશ્ચિત થશે. વેપારના વિસ્તરણ માટે કરવામાં આવેલા આર્થિક પ્રયાસો સફળ રહેશે. ટેકનિકલ અને સંશોધન ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ઉત્સાહજનક રહેશે. કર્ક રાશિ: આજે માનસિક શાંતિ મળવાથી તમે પરિવાર અને કામ બંને વચ્ચે સુંદર સંતુલન જાળવી શકશો. જમીન-મકાન કે મિલકતના સોદામાંથી સારો આર્થિક ફાયદો થશે. અભ્યાસમાં એકાગ્રતા વધવાથી વિદ્યાર્થીઓને ધાર્યું પરિણામ મળશે. સિંહ રાશિ: આજે સામાજિક વર્તુળમાં તમારો પ્રભાવ વધશે અને નવા પ્રભાવશાળી સંપર્કો બનશે. વેપારમાં સારો રોકડ પ્રવાહ રહેવાથી આર્થિક સ્થિતિ સુધરશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓનું પ્રદર્શન ઉત્કૃષ્ટ અને સંતોષકારક રહેશે. કન્યા રાશિ: આજે લાંબા સમયથી ચાલી રહેલી કાયદાકીય કે ઓફિશિયલ ગૂંચવણો ઉકેલાતી જણાશે. ખર્ચ પર યોગ્ય નિયંત્રણ રહેવાથી બચત કરવામાં સફળતા મળશે. ઉચ્ચ શિક્ષણ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓને નવી ઉત્તમ તકો પ્રાપ્ત થશે. તુલા રાશિ: આજે ભાગીદારીના વ્યવસાયમાં સારો તાલમેલ રહેવાથી મોટી સફળતા હાથ લાગશે. નવી યોજનાઓમાં મૂડી રોકાણ કરવાથી ભવિષ્યમાં સારો આર્થિક લાભ થશે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવા માટે ઉત્તમ સમય છે. લાલચ અને શોર્ટકટથી પૈસા કમાવાની વૃત્તિથી સંપૂર્ણ દૂર રહેવું. વૃશ્ચિક રાશિ: આજે કાર્યક્ષેત્રમાં તમારી નવી કાર્યપદ્ધતિ અને રણનીતિની સહુ પ્રશંસા કરશે. અચાનક નાણાકીય લાભ થવાથી જૂની આર્થિક ચિંતાઓ હળવી બનશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને શિક્ષકોનું યોગ્ય માર્ગદર્શન મળશે. ધન રાશિ: આજે ભાગ્ય અને સકારાત્મક વિચારોનો સાથ મળવાથી મુશ્કેલ કામો પણ સરળ બની જશે. વિદેશ સંબંધિત કામકાજ કે ઓનલાઇન કારોબારમાં સારો આર્થિક નફો થશે. ઉચ્ચ અભ્યાસની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સારો દિવસ સાબિત થશે. મકર રાશિ: આજે ધીરજ અને સંયમપૂર્વક કરેલી મહેનતનું યોગ્ય અને ધાર્યું પરિણામ મળશે. પૂર્વ આયોજિત રોકાણોમાંથી ધીમો પણ સ્થિર નાણાકીય લાભ મળતો રહેશે. ટેકનિકલ કે મેનેજમેન્ટ ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે ઉત્સાહજનક દિવસ રહેશે. કુંભ રાશિ: આજે ટીમવર્ક અને સહકર્મીઓના સાથથી મહત્વપૂર્ણ લક્ષ્યો સરળતાથી પૂરા થશે. વેપારમાં નવા ગ્રાહકો જોડાવાથી આર્થિક સ્થિતિમાં સારો સુધારો જોવા મળશે. સાહિત્ય અને કલા ક્ષેત્રના વિદ્યાર્થીઓને નવી ઓળખ અને સન્માન મળશે. મીન રાશિ: આજે ભાગ્યનો સાથ મળવાથી અટકેલા સરકારી અને વહીવટી કામો ઝડપથી પાર પડશે. વેપારમાં સારો રોકડ પ્રવાહ રહેવાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ઉત્સાહજનક સમાચાર મળશે. નોંધ: અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.</video:description>
<video:category>ભક્તિ વીડિયો</video:category>
<video:category>ભક્તિ સમાચાર</video:category>
<video:category>રાશિફળ</video:category>
<video:tag></video:tag><video:player_loc allow_embed="yes">https://www.youtube.com/embed/LesOwxxnxik</video:player_loc>
	<video:width>480</video:width>
	<video:height>270</video:height>
	
	<video:family_friendly>yes</video:family_friendly>
	<video:uploader info="https://tv9gujarati.com/author/sachin">Sachin Agrawal</video:uploader><video:thumbnail_loc>https://images.images.tv9gujarati.com/wp-content/uploads/2026/08/Gujarati-Rashifal-of-01-September-2026-v.jpg</video:thumbnail_loc></video:video></url></urlset>