એક શ્રાપ અને તળાવનું પાણી થઇ ગયુ ઝેરી! જાણો આ રહસ્યમયી તળાવ વિશે જેનું પાણી પીને માણસ જીવીત નથી બચતો
આજ સુધી કોઇને ખબર નથી પડી કે આ તળાવમાં એવું શું છે કે વ્યક્તિ તેનું પાણી પીને મરી જાય છે. કેટલાક લોકો માને છે કે આ તળાવના પાણીમાં કેટલાક ખતરનાક ઝેરી ગેસ ભળી ગયા હશે, પરંતુ આના કોઈ પુરાવા મળ્યા નથી.
દુનિયામાં એવી ઘણી જગ્યાઓ છે જેમનું રહસ્ય હજુ વણઉકેલાયેલું છે. એવા અનેક પર્વતો, સરોવરો અને નદીઓ છે જેના વિશે જાણીને દરેક લોકો દંગ રહી જાય. આજે અમે તમને એવા જ એક સરોવર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે કહેવામાં આવે છે કે જે પણ આ તળાવનું પાણી પીવે છે તે જીવતો રહેતો નથી અને ટૂંક સમયમાં જ તેનું મૃત્યુ થઈ જાય છે.
અમે દક્ષિણ આફ્રિકામાં (South Africa) સ્થિત ફંડુડ્ઝી તળાવ (Fundudzi Lake) વિશે વાત કરી રહ્યા છીએ, સ્થાનિક લોકો અનુસાર, દંતકથા એવી છે કે પ્રાચીન સમયમાં એક કોઢી વ્યક્તિ જે આ સ્થળે લાંબી મુસાફરી કરીને આવ્યો હતો તેને લોકો દ્રારા ખોરાક અને આશ્રય આપવામાં આવ્યો ન હતો. એવું કહેવાય છે કે આ પછી તે વ્યક્તિએ લોકોને શાપ આપ્યો અને તળાવમાં પ્રવેશ કર્યો અને પછી ગાયબ થઈ ગયો.
મુતાલી નદીના પ્રવાહને અવરોધિત કરનારા ભૂસ્ખલનને કારણે પ્રાચીન સમયમાં તળાવની રચના થઈ હોવાનું કહેવાય છે, અને હવે તે એક રહસ્ય છે કે નદીનું પાણી ખૂબ જ સ્વચ્છ છે. આમ છતાં એવું તો શું કારણ છે કે આ પાણી પિનાર લોકોનું મોત થઇ જાય છે. સ્થાનિક લોકો એ પણ કહે છે કે તળાવ એક વિશાળ ડ્રેગન પર્વત દ્વારા સુરક્ષિત છે, વેન્ડા આદિવાસીઓને ખુશ કરવા માટે દર વર્ષે જે નૃત્ય મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં અપરિણીત છોકરીઓ નૃત્ય કરે છે.
પાણીના રહસ્યને ઉકેલવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ દરેક વખતે તપાસકર્તાઓ નિષ્ફળ રહ્યા હતા. 1946 માં, એન્ડી લેવિન નામનો માણસ તળાવના પાણી વિશેનું સત્ય જાણવા અહીં આવ્યો હતો. તેણે આ તળાવમાંથી થોડું પાણી લીધું અને તળાવની આજુબાજુથી કેટલાક છોડ લીધા અને ચાલ્યો ગયો. પરંતુ તે થોડો સમય ચાલ્યા બાદ રસ્તો ભૂલી ગયો અને ભટકતો રહ્યો. થોડા દિવસોમાં તે વ્યક્તિનું મોત થયુ.
આજ સુધી કોઇને ખબર નથી પડી કે આ તળાવમાં એવું શું છે કે વ્યક્તિ તેનું પાણી પીને મરી જાય છે. કેટલાક લોકો માને છે કે આ તળાવના પાણીમાં કેટલાક ખતરનાક ઝેરી ગેસ ભળી ગયા હશે, પરંતુ આના કોઈ પુરાવા મળ્યા નથી.
આ પણ વાંચો –
Raipur Blast : રાયપુર રેલવે સ્ટેશન પર ટ્રેનમાં બ્લાસ્ટ, ઘટનામાં CRPF ના 6 જવાન ઘાયલ
આ પણ વાંચો –
Singhu Border Murder Case: સિંઘુ બોર્ડર પર નિહંગોએ યુવાનની હત્યા કેમ કરી? અત્યાર સુધી દરેક અપડેટ જાણો
આ પણ વાંચો –