Corona vaccination: દેશમાં વેક્સિનેશની કામગીરી પૂરજોશમાં, આંકડો 161 કરોડને પાર પહોંચ્યો

સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોરોના રસીના 161.16 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 67 લાખથી વધુ લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

Corona vaccination: દેશમાં વેક્સિનેશની કામગીરી પૂરજોશમાં, આંકડો 161 કરોડને પાર પહોંચ્યો
Corona Vaccination (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2022 | 1:10 PM

Corona vaccination: દેશમાં ફરી એક વાર કોરોનાએ (Corona) માથુ ઉંચક્યુ છે. છેલ્લા કેટલાક દિવસથી દરરોજ ત્રણ લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. આરોગ્ય મંત્રાલયના (Health Ministry) ડેટા અનુસાર, દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોરોના રસીના 161.16 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 67 લાખથી વધુ લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. બીજી તરફ કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને ટેસ્ટ પણ વધારવામાં આવ્યા છે. કોવિડ -19 ના પરીક્ષણની વાત કરીએ તો, અત્યાર સુધીમાં 71.34 કરોડ લોકોનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 19,60,954 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

કોરોનાના વધતા કેસે વધારી ચિંતા

શનિવારે દેશમાં કોરોનાના 3,37,704 નવા કેસ નોંધાયા છે અને 488 દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યુ હતુ કે દેશમાં કોવિડ-19ની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 21,13,365 થઈ ગઈ છે, જે કુલ કેસના 5.43 ટકા છે.જ્યારે રિકવરી રેટ 93.31 ટકા પર પહોંચ્યો છે. ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 2,42,676 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે, આ સાથે કુલ આંકડો 3,63,01,482 પર પહોંચ્યો છે. ઓમિક્રોનના અત્યાર સુધીમાં 10,050 કેસ મળી આવ્યા છે, જેમાં સોમવારની સરખામણીમાં 3.69 ટકાનો વધારો થયો છે.

રાજ્યોમાં કોરાના રસીના 12.79 કરોડ ડોઝ ઉપલબ્ધ

આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ હતુ કે, અત્યાર સુધીમાં કેન્દ્ર સરકાર તરફથી મફત અને સીધી રાજ્ય સરકારની પ્રાપ્તિ ચેનલો દ્વારા રાજ્યોને રસીના 160.58 કરોડ થી વધુ ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. હાલમાં કોવિડ-19 રસીના 12.79 કરોડ થી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે ઉપલબ્ધ છે, જેનું સંચાલન થવાનુ છે.

કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે

રસીકરણથી દેશને ફાયદો થયો

AIIMSના મેડિસિન વિભાગના પ્રોફેસર ડૉ.નીરજે જણાવ્યુ છે કે રસીકરણથી દેશને ફાયદો થયો છે. રસીકરણને કારણે ઓમિક્રોન વેરિઅન્ટ હળવા લક્ષણોવાળું સાબિત થયુ છે. ઘણા રાજ્યોમાંથી મળેલા આંકડાઓથી એ વાતની પુષ્ટિ થઈ છે કે જેમણે રસી લીધી ન હતી તેમને કોરોનાએ ગંભીર રીતે અસર કરી છે. જો કે, જે રાજ્યોમાં રસીકરણની ગતિ ધીમી છે, ત્યાં તેમણે કામગીરી વધારવા સૂચના આપી છે.

આ પણ વાંચો : કોરોનાની રોકેટ રફ્તાર : છેલ્લા 24 કલાકમાં 3.37 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત, આટલા દર્દીઓએ ગુમાવ્યો જીવ

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">