Monsoon : ખેડૂતો માટે આવી રહ્યા છે ચિંતાજનક સમાચાર, દેશમાં મોડું થશે ચોમાસાનું આગમન,જાણો શુ છે કારણ..

Monsoon : દેશના હવામાન વિભાગ(India meteorological department ) દ્વારા તાજેતરમાં જ ચોમાસાના વિલંબને લઈને આગાહી કરવામાં આવી છે.

Pratik jadav
| Edited By: | Updated on: May 31, 2021 | 11:21 AM

Monsoon : દેશના હવામાન વિભાગ( India meteorological department ) દ્વારા તાજેતરમાં જ ચોમાસાના વિલંબને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં સ્પષ્ટપણએ જાહેર કરવામાં આવ્યું છે કે કેરળમાં 1 જૂન પહેલા ચોમાસાનું આગમન થશે નહીં. ભારતમાં સામાન્ય રીતે સૌથી પહેલા નૈઋત્યના ચોમાસાનું આગમન કેરળમાં થતું હોય છે, અને ત્યારબાદ ચોમાસુ આગળ વધતું હોય છે.

હાલની પરિસ્થિતિ પ્રમાણે આંદામાન-નિકોબાર સુધી નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે પરંતુ કેરળ સુધી નૈઋત્યના ચોમાસાને પહોંચતા હજુ 2 દિવસનો સમય લાગી શકે છે.

હવામાન વિશે આગાહી કરતી ખાનગી વેબસાઈટ દ્વારા દાવો કર્યો હતો કે કેરળમાં ચોમાસાનું આગમન 31 મે સુધીમાં થઈ જશે.પરંતુ IMD એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા ઓફિશિયલ પ્રેસ રિલીઝ કરીને જાણકારી આપવામાં આવી છે કે ચાલુ વર્ષે ભારતમાં ચોમાસાનું આગમન મોડું થશે. કેરળમાં ચોમાસાનું આગમન 3 જૂન સુધીમાં થઇ જશે. ચોમાસાના આગમન થવા માટે સાનુકૂળ વાતાવરણ ન હોવાના કારણે હજુ સુધી નૈઋત્યનું ચોમાસુ આંદામાન-નિકોબારથી આગળ વધી શક્યું નથી.

છેલ્લા 24 કલાકમાં કેરળમાં જોઈએ તેટલો વરસાદ વરસ્યો નથી. સાથે જ યોગ્ય ઉંચાઈ સુધી વાદળો પણ બંધાઈ નથી રહ્યા જેને કારણે આગામી 1 જૂન સુધી ચોમાસાનું આગમન કેરળમાં થાય તેવા કોઈ અણસાર નથી. 1 જૂન પછી વાતાવરણમાં થોડો સુધારો આવશે અને 3 જૂન સુધી કેરળમાં ચોમાસાનું આગમન થશે તેમ હવામાન વિભાગ માની રહ્યું છે.

સામાન્ય રીતે કેરળમાં ચોમાસાનું આગમન 1 જૂને થતું હોય છે અને આ નૈઋત્યનું ચોમાસુ આગળ વધી ને 15 જૂન સુધીમાં ગુજરાત પહોંચતું હોય છે પરંતુ સાનુકૂળ વાતાવરણના કારણે કેરળમાં ચોમાસાના આગમનમાં વિલંબ થઈ રહ્યો છે જેને કારણે ખેડૂતોની ચિંતા પણ વધી રહી છે.

Follow Us:
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">