શું ઉદ્ધવ ઠાકરેને લાગ્યો કંગનાનો શ્રાપ? આખરે એવું તે શું કહ્યું કંગનાએ- જૂઓ Video
બોલિવૂડ એક્ટ્રેસ અને ઈન્ડસ્ટ્રીની ક્વીન તરીકે જાણીતી કંગના રનૌતે (Kangana Ranaut) BMCની કાર્યવાહીમાં ઉદ્ધવ ઠાકરે સામે આ વાત કહી હતી, જ્યારે તેમની ઓફિસ તોડવામાં આવી હતી. કંગનાનું આ જ નિવેદન વાયરલ થઈ રહ્યું છે.
શિવસેના પર રાજકીય સંકટ મંડરાઈ રહ્યું છે, કારણ કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના (Uddhav Thackeray) નજીકના વિશ્વાસુ એકનાથ શિંદેએ બળવો કર્યો છે, આવી સ્થિતિમાં, એવા અહેવાલો છે કે ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપી શકે છે. જ્યારે ઉદ્ધવ રાજકીય રાજકારણને કારણે નારાજ છે, તે દરમિયાન, કંગના રનૌતનો (Kangana Ranaut) એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જ્યારે તેણે વર્ષ 2020માં ઉદ્ધવ ઠાકરેનો અહંકાર તૂટી જશે તેવી આગાહી કરી હતી. BMCએ મુંબઈમાં તેની ઓફિસ તોડી પાડ્યા પછી કંગના રનૌતે આ કોમેન્ટ્સ કરી હતી.
મહારાષ્ટ્ર સરકાર જોખમમાં
મહાવિકાસ આઘાડીની સરકાર જોખમમાં છે. મુખ્યમંત્રીનું સત્તાવાર નિવાસસ્થાન વર્ષા ખાલી કરીને સીએમ ઉદ્ધવ ઠાકરે પોતાના ઘરે ગયા છે. સીએમના પુત્ર આદિત્ય ઠાકરેએ પોતાના ટ્વિટર બાયોમાંથી મિનિસ્ટર શબ્દ હટાવી દીધો છે. સ્થિતિ એવી છે કે શિવસેનાનું અસ્તિત્વ જ સંકટમાં છે. સંજય રાઉત અને ઉદ્ધવના તમામ દાવ નિષ્ફળ ગયા છે. હવે, શિવસેનાના બળવાખોર એકનાથ શિંદે શું નિર્ણય લેશે તે અંગે ચાલી રહેલી રાજકીય અટકળો સિવાય બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેણે ઉદ્ધવ ઠાકરે પર સત્તાના ઘમંડમાં કચડાઈ જવાનો આરોપ લગાવ્યો હતો.
કંગનાએ કહ્યું હતું- “ઉદ્ધવ ઠાકરે, તમને કેમ લાગે છે કે તમે મારા પર બદલો લીધો છે? આજે મારું ઘર તૂટ્યું છે, કાલે તમારું અભિમાન તૂટી જશે.” કંગનાનો વધુ એક જૂનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તે કહી રહી છે કે જ્યારે પણ કોઈ પુરુષ કોઈ મહિલાનું અપમાન કરે છે, ત્યારે તેનું ચોક્કસપણે પતન થાય છે.
જૂઓ જૂનો વીડિયો…
Once #KanganaRanaut said “Today my house is broken.. Tomorrow your pride will break!!!”
#UddhavSarkarOnEdge#UddhavThackeray pic.twitter.com/3YOiGfNVcs
— ★ɬąཞą★ (@tariishh) June 22, 2022
બોમ્બે હાઈકોર્ટે પાછળથી કડક શબ્દોમાં કહ્યું કે, BMC અધિકારીએ કંગના રનૌતના બંગલાના એક ભાગને તોડીને ખરાબ કામ કર્યું હતું. કોર્ટના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા કંગના રનૌતે ટ્વીટ કર્યું હતું કે, “જ્યારે કોઈ વ્યક્તિ સરકારની સામે ઉભો થાય છે અને જીતે છે, ત્યારે તે વ્યક્તિની જીત નથી પરંતુ લોકશાહીની જીત છે.”