Janmashtami 2021: આ વર્ષે જન્માષ્ટમી પર એક દુર્લભ સંયોગ, જાણો પાવન પર્વની શુભ તિથી અને મહત્વ

હિન્દુ પંચાંગ મુજબ શ્રવણ વદ આઠમ (કૃષ્ણ પક્ષ) ની તિથિએ આ તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે જન્માષ્ટમી 30 ઓગસ્ટના રોજ આવી રહી છે.

Janmashtami 2021: આ વર્ષે જન્માષ્ટમી પર એક દુર્લભ સંયોગ, જાણો પાવન પર્વની શુભ તિથી અને મહત્વ
Janmashtami 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2021 | 1:00 PM

Janmashtami 2022 : આપણો ભારત દેશ એક વૈવિધ્યસભર દેશ છે, જેમાં સમગ્ર વર્ષ દરમિયાન ઘણા તહેવારો ઉજવવામાં આવે છે. આ તહેવારોમાંનો એક જન્માષ્ટમી છે. જે દિવસે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. ભગવાન શ્રીકૃષ્ણના આ તહેવારને ખૂબ ધૂમધામ અને ઉત્સાહથી મનાવવામાં આવે છે. તેને કૃષ્ણ જન્માષ્ટમી અથવા ગોકુલાષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે. હિન્દુ પંચાંગ મુજબ શ્રવણ વદ આઠમ (કૃષ્ણ પક્ષ) ની તિથીએ આ તહેવાર ઉજવવામાં આવે છે.

આ વર્ષે જન્માષ્ટમી પર એક દુર્લભ સંયોગ બની રહ્યો છે. શ્રીમદ ભાગવત પુરાણ મુજબ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ રોહિણી નક્ષત્ર અને વૃષભ રાશી વચ્ચે મધ્યરાત્રિએ થયો હતો. આ વર્ષે જન્માષ્ટમી 30 ઓગસ્ટના રોજ આવી રહી છે.

શાસ્ત્રો અનુસાર, ભદ્ર કૃષ્ણ પક્ષ અષ્ટમી તિથિ, રોહિણી નક્ષત્ર, ચંદ્ર સોમવાર અથવા બુધવારે તેની સાથે વૃષભ રાશિમાં ચિહ્નિત કરે છે તે ખૂબ જ દુર્લભ સંયોગ માનવામાં આવે છે. આ વખતે આ બધા યોગો જન્માષ્ટમી પર બની રહ્યા છે. હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર સર્વાર્થસિદ્ધિ યોગ પણ હશે.

Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર
અનંત-રાધિકાની પ્રાઇવેટ પાર્ટીમાં આખા બોલીવુડ માંથી માત્ર આ એક એક્ટ્રેસને મળ્યું આમંત્રણ,જાણો કારણ
IPLમાં એક ઓવરમાં 5 સિક્સર આપનાર બોલરોનું લિસ્ટ, ગુજરાતનો આ ખેલાડી પણ સામેલ

જન્માષ્ટમીની શુભ તિથી અને સમય શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના દિવસે અષ્ટમી તિથિ સવારથી બપોરે 12 વાગ્યા સુધી શરૂ થશે. આ પછી, 31 ઓગસ્ટની મોડી રાતથી નવમી તિથિ શરૂ થશે. 30 ઓગસ્ટના રોજ રોહિણી નક્ષત્રનો દુર્લભ સંયોગ થશે અને ચંદ્ર વૃષભ રાશિમાં રહેશે. જ્યોતિષીઓના મતે, આ વર્ષે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિને કારણે ખૂબ જ શુભ અને વિશેષ રહેશે. એવું માનવામાં આવે છે કે દુર્લભ સંયોગમાં ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થશે.

મથુરા અને વૃંદાવનના મંદિરો સૌથી સુંદર ઉજવણીના સાક્ષી મનાય છે, કારણ કે માનવામાં આવે છે કે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ અહી થયો હતો અને તેમને જીવનના મોટાભાગના વર્ષો ત્યાં વિતાવ્યા હતા. ભક્તો શ્રીકૃષ્ણના જીવનમાં બનેલી ઘટનાઓને ફરીથી જીવંત કરવા અને રાધા પ્રત્યેના તેમના પ્રેમની યાદમાં રાસલીલા કરે છે.

ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ મધ્યરાત્રિએ થયો હોવાથી, શિશુ કૃષ્ણની મૂર્તિને સ્નાન કરાવવામાં આવે છે અને તે સમયે પારણામાં બેસાડવામાં પણ આવે છે. આ દિવસે ભક્તો પોતાના ઘરમાં ગોકુળિયુ સજાવે છે અને વિવિધ વાનગીઓ-મીઠાઈઓ સાથે કૃષ્ણ જન્મોત્સવ ઉજવે છે. આઠમના દિવસે શ્રીકૃષ્ણ જન્મના સમય એટલે કે રાત્રિના 12 વાગ્યા સુધી ઉપવાસ રાખે છે અને બીજા દિવસે સવારથી જ ગોવિંદાઓની ટોળીઓ મટકી ફોડવા માટે નીકળી પડે છે.

માનવામાં આવે છે કે સંતાન પ્રાપ્તિ માટે કે ક્યારેક સંતાન પ્રાપ્તિની ખુશીમાં મટકી ફોડ કરવામાં આવે છે. કૃષ્ણ ભકતોમાં એવી પણ માન્યતા છે કે ફૂટેલી મટુકીના ટુકડાને ઘરની તિજોરીમાં રાખવી શુકનવંતી ગણાય છે. મોટા શહેરોમાં મટકી ફોડ માટે ગોવિંદાઓ માટે ઈનામ પણ રાખવામાં આવે છે.

આ પણ વાંચો: Rajkot : વીરપુર મંદિર જન્માષ્ટમીના પર્વ પર બંધ રાખવાનો નિર્ણય, 6 દિવસ મંદિર બંધ રહેશે

આ પણ વાંચો: Vastu Tips For Pooja Room : ઘરમાં પૂજા ઘર બનાવતી વખતે રાખો વાસ્તુનું આ ધ્યાન, જાણો ઘરમાં ક્યાં અને કેવું હોવું જોઈએ પૂજા ઘર

Latest News Updates

વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
Porbandar : મનસુખ માંડવીયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યુ લોકસભાનું ઉમેદવાર
Porbandar : મનસુખ માંડવીયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યુ લોકસભાનું ઉમેદવાર
g clip-path="url(#clip0_868_265)">