દારૂના નશામાં 2 યુવકો ઝેરી સાપને ખાઇ ગયા, પછી જે હાલ થયા તેને જોઇને બધા ડરી ગયા

Chhattisgarh : આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે સ્થળ પરથી સાપના બળી ગયેલા અવશેષો મેળવ્યા અને ત્યાર બાદ પરિવારનું નિવેદન નોંધવામાં આવ્યું છે.

દારૂના નશામાં 2 યુવકો ઝેરી સાપને ખાઇ ગયા, પછી જે હાલ થયા તેને જોઇને બધા ડરી ગયા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2021 | 1:41 PM

છત્તીસગઢ (Chhattisgarh) ના કોરબા (Korba) જીલ્લામાં એક અજીબો ગરીબ ઘટના બની છે. અહીં બે મિત્રો મળીને એક કરૈત સાપને (સાપનો એક પ્રકાર) ખાઇ ગયા. એક મિત્રએ સાપની પૂંછડી તો એક મિત્રએ તેનું મોઢુ ખાઇ લીધુ. પરંતુ ખાવાના થોડા સમય બાદ જ બંને યુવકોની તબિયત લથડી ગઇ અને તેમને સ્થાનિય લોકોની મદદથી કોરબા મેડિકલ કૉલેજમાં એડમિટ કરવામાં આવ્યા. હાલમાં બંને મિત્રો ડૉક્ટરની દેખરેખ હેઠળ છે અને તેમની વધુ સારવાર ચાલુ છે.

વાસ્તવમાં આ કેસ કોર્બા શહેરના વોર્ડ નંબર 4 દેવાંગણપરા વિસ્તારનો છે. જ્યાં રવિવારે મોડી સાંજે ઈન્દિરા મોહલ્લામાં જેતખામ નજીક રહેતા સુંદર આનંદના ઘરે એક કરૈત સાપ બહાર આવ્યો હતો. આ જોઈને પરિવારનો એક સભ્ય ડરી ગયો. પોતાની સલામતી માટે પરિવારના એક સભ્યએ સાપને લાકડી વડે મારી નાખ્યો. સળગાવી અને ઘરની બહાર ફેંકી દીધી.

દરમિયાન, રાજુજંગડે અને હિતેન્દ્ર મોડી રાત્રે આનંદ બસ્તી પહોંચ્યા, જ્યારે તેઓએ મૃત સાપ જોયો. આવી સ્થિતિમાં બંનેએ સાપને ઉપાડી લીધો એક યુવકે સાપનું મોં ખાધું અને અન્ય યુવકે તેની પૂંછડીનો ભાગ ખાધો. થોડા સમય પછી, બંનેને ઉલટી થવા લાગી અને ચક્કર આવવા લાગ્યા. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અત્યારે બંનેની સ્થિતિ સામાન્ય છે, પરંતુ ડોક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. આ ઘટના સમયે બંને યુવકો નશામાં હતા.

આજનું રાશિફળ તારીખ : 30-03-2024
કથાકાર જયા કિશોરી રાત્રે સૂતા પહેલા કરે છે આ કામ
મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો

આ બાબતની માહિતી મળ્યા બાદ દેવાંગણપરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં પોલીસે સ્થાનિક લોકો પાસેથી ઘટનાની માહિતી લીધી હતી. તે જ સમયે, પોલીસે કરેલી પૂછપરછમાં હિતેન્દ્રએ જણાવ્યું હતું કે, વરસાદના દિવસોમાં દેવાંગણપરામાં અવારનવાર સાપ બહાર આવે છે. સ્થાનિક લોકો આનાથી ખૂબ ડરી ગયા છે. પોલીસે સ્થળ પરથી સાપના બળી ગયેલા અવશેષો મેળવ્યા અને ત્યાર બાદ પરિવારનું નિવેદન નોંધવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે ચોમાસું આવતાની સાથે જ છત્તીસગઢ રાજ્યમાં ગામડાઓથી શહેરો સુધી સાપનો ખતરો ઉભો થવા લાગે છે. વરસાદ પછી દરમાં પાણી ભરાય જવાથી સાપ બહાર આવી જાય છે અને આ સાપ રહેણાંક વિસ્તારોમાં પ્રવેશવાનું શરૂ કરે છે. કરૈત ભારતમાં જોવા મળતા 4 સૌથી ઝેરી સાપમાંથી એક છે. જ્યાં રાતના અંધારામાં તે પોતાના દરોમાંથી બહાર નીકળે છે. નિષ્ણાતો તેને ખૂબ જ ઝેરી સાપ માને છે. તેનો ડંખ 15 મિનિટમાં વ્યક્તિને મારી શકે છે.

આ પણ વાંચો –

કોંગ્રેસ MLA કિરીટ પટેલે શિક્ષણપ્રધાનને લખ્યો પત્ર, શિક્ષકોના કામના કલાકો વધારવા મુદ્દે આંદોલનની ચીમકી આપી

આ પણ વાંચો –

Shikshak Parv: ટોકિંગ અને ઓડિયો બુક્સ જેવી ટેકનોલોજી આજથી આપણી શિક્ષણ વ્યવસ્થાનો ભાગ બનશે – PM મોદી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">