Viral Photo : આ ક્યારે આઝાદ થશે ? શૌચાલયમાં ચેઈનથી લટકતો ‘મગ’ જોઈને કલેક્ટરના મનમાં ઊભો થયો રમુજી પ્રશ્ન
આ દિવસોમાં ટ્રેનના ટોયલેટની (Train Toilet) એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેને IAS ઓફિસર અવનીશ શરણે (IAS Awanish Sharan) ટ્વિટર પર શેર કરી છે.
આજના ડિજિટલ યુગમાં સૌથી નજીક મોબાઈલ છે અને લગભગ દરેક પાસે ઈન્ટરનેટ પણ છે. જેનો અર્થ છે કે લોકો પાસે શેર કરવા માટે ઘણા બધા વીડિયો (Video) અને ફોટો (Photo) છે. આમાંથી ઘણી વખત કેટલીક સામગ્રી વાયરલ થઈ જાય છે અને વપરાશકર્તાઓમાં ચર્ચાનો વિષય બની જાય છે. તેના વિશે કંઈ કહી શકાય નહીં. કોઈપણ રીતે, ઝડપી સ્ક્રોલ કરતી વખતે, આંખો અચાનક પોસ્ટ પર અટકી જાય છે અને પછી લાઈક્સ અને શેર્સની સિરિઝ શરૂ થાય છે. આજકાલ ટ્વિટર પર લોકોમાં આવો જ એક મુદ્દો ચર્ચામાં છે.
વાયરલ થઈ રહેલી તસવીર ટ્રેનના ટોયલેટની (Train Toilet) છે. જેમાં નળ સાથે સાંકળ બાંધવામાં આવી છે, જેમાં મગ બાંધવામાં આવ્યો છે. જો તમે ક્યારેય ટ્રેનમાં મુસાફરી કરી હોય તો આ નજારો તમે જોયો જ હશે? આ તસવીર શેર કરીને કલેક્ટરે યુઝર્સને ફની સવાલ પૂછ્યો અને મામલો વાયરલ થયો છે.
અહીં તસ્વીર જુઓ………
पता नहीं यह ‘मग’ कब मुक्त होगा ‘ज़ंजीर’ से. pic.twitter.com/QYrhDg7YX6
— Awanish Sharan (@AwanishSharan) July 29, 2022
આ તસવીર IAS ઓફિસર અવનીશ શરણે (IAS Awanish Sharan) ટ્વિટર પર શેર કરી છે. જેની સાથે તેણે કેપ્શન લખ્યું કે, ‘ખબર નથી આ મગ’ ‘જંજીર’માંથી ક્યારે મુક્ત થશે. સમાચાર લખાય છે ત્યાં સુધી 5100 થી વધુ લોકોએ આ તસવીરને લાઈક કરી છે અને કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.
हद तो तब होती है जब AC first class में भी बंधा मिलता है😂
— ARCHIT ANAND (@architanand1976) July 29, 2022
जिसे आप दासत्व की जंजीर समझ रहे हैं वो दरअसल उसके अस्तित्व की लकीर है और ये मग्गा उसी लकीर का फकीर है।
वरना कब का किसी ने इस मग्गे का अपहरण करके कबाड़ी के हाथों मर्डर करवा दिया होता!!!
— Suraj Singh Parihar IPS🇮🇳 (@SurajSinghIPS) July 29, 2022
एसी क्लास से बेडशीट, तकिया भी उठा ले जाते है यात्री।
— Ravendra Singh Patel (@RAVENDRASINGHP8) July 30, 2022
जो इसे मुक्त करेगा वो इसका मालिक होगा।#अलादीन_का_चिराग
— Dalbir Rathi 🇮🇳 (@DalbirRathi1) July 30, 2022
આ તસવીર જોયા બાદ એક યુઝરે લખ્યું, ‘જે દિવસે તે ફ્રી થશે, તે જ દિવસે તે પણ ગાયબ થઈ જશે.’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘જે તેને મુક્ત કરશે તે તેનો માલિક હશે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘જંજીર’ ન હોત તો મગ ચોરાઈ ગયો હોત.