કેમ લોકો આજકાલ કૂલરમાં મૂકી રહ્યા છે માટલું? જાણો કેટલો કારગર છે આ આઈડિયા

લોકોનું માનવું છે કે માટલું કૂલરમાં રાખવાથી કૂલરનું પાણી પણ ઠંડુ થઈ જશે. તેથી જ તેઓ કુલારમાં પાણી ભરેલા માટલાંને મુકે છે. અને તેમાં કૂલરનો પંપ મુકે છે.

કેમ લોકો આજકાલ કૂલરમાં મૂકી રહ્યા છે માટલું? જાણો કેટલો કારગર છે આ આઈડિયા
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Jun 19, 2021 | 3:36 PM

ઉનાળાની શરૂઆતથી ગરમી ખુબ વધી રહી છે. હવે ગરમી સાથે ક્યાંક ક્યાંક વરસાદ પણ થઇ રહ્યો છે. અને વરસાદના કારણે બફારો પણ ખુબ વધી રહ્યો છે. આવી સ્થિતિમાં AC ધમધોકાર ચાલતા જોવા મળે છે. અને માધ્યમ વર્ગના લોકો કૂલરથી કામ ચલાવે છે. પરંતુ કેટલાક લોકો કૂલરથી વધુ ઠંડી હવા મેળવવા માટે તેની અંદર માટલું રાખવાનો પ્રયોગ કરી રહ્યા છે.

હા, હવે ઘણા લોકો માટલાને કૂલરમાં રાખી રહ્યા છે અને માને છે કે આ કરવાથી કૂલરની હવા વધુ ઠંડી આવે છે. યુટ્યુબ પર આવા વિડીયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ આઈડીયાથી કૂલરની હવા વધુ ઠંડી થઈ જશે. ચાલો જાણીએ કે લોકો કૂલરમાં માટલાનો કેવી રીતે ઉપયોગ કરે છે અને આ પદ્ધતિ ખરેખર અસરકારક છે કે કેમ.

લોકોનું શું છે કહેવું?

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

લોકોનું માનવું છે કે માટલું કૂલરમાં રાખવાથી કૂલરનું પાણી પણ ઠંડુ થઈ જશે. તેથી જ તેઓ કુલારમાં પાણી ભરેલા માટલાંને મુકે છે. માટલામાં કૂલરનો પંપ મુકે છે. લોકો માને છે કે જ્યારે પંપ દ્વારા માટલાનું પાણી કૂલરના ઘાસમાં જાય છે, ત્યારે વધુ ઠંડી હવા આવે છે. આવા દાવા કરતા વિડીયો સોશિયલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે.

શું છે લોજીક?

માટલામાં રાખેલું પાણી બાષ્પીભવનની પ્રક્રિયાને કારણે ઠંડુ થાય છે અને જેટલું વધુ બાષ્પીભવન થાય તેમ પાણી વધુ ઠંડુ થાય છે. માટીના વાસણમાં નાના છિદ્રો હોવાના કારણે અન્ય વાસણ કરતા તેમાં વધુ બાષ્પીભવન થાય છે. વાસણનું પાણી આ છિદ્રોમાંથી બહાર આવે છે અને બહારની ગરમીથી વરાળ તરીકે બાષ્પીભવન થાય છે. આને લીધે વાસણની અંદરનું તાપમાન ખૂબ ઓછું રહે છે. તેનાથી પાણી અંદરથી ઠંડુ થાય છે. ખાસ વાત એ છે કે જ્યારે વધુ ગરમી હોય ત્યારે બાષ્પીભવનની આ પ્રક્રિયા વધુ થાય છે.

શું છે સત્ય?

ઘણા વિડીયોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કૂલરમાં માટલુ રાખવાથી હવા ઠંડી થાય છે. પરંતુ તેનાથી વિપરીત પણ વિડીયો છે જેમાં તાપમાન માપન કરતી મશીન દ્વારા જાણવા મળ્યું છે કે આ ક્રિયાથી હવા કેટલી ઠંડી થાય છે. ખરેખર ઘણા વિડીયોની તપાસમાં આ વાત બહાર આવી છે કે માટલાને કૂલરમાં રાખવાથી કોઈ ફરક પડતો નથી. તેમાં પહેલા જેવી જ હવા આવે છે.

આ પણ વાંચો: સ્વિસ બેંકોમાં ભારતીયોનું કાળું ધન વધીને થયું 20 હજાર કરોડ, મોદી સરકારે રિપોર્ટ વિશે આપ્યો આ જવાબ

આ પણ વાંચો: મોટી સફળતા: હવે આ સોફ્ટવેર જણાવશે કયા દર્દીને વેન્ટિલેટર અને આઈસીયુની જરૂર છે

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">