Pathankoatમાં દેખાયું પાકિસ્તાની ડ્રોન, BSFએ ફાયરિંગ કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું
પઠાણકોટના (Pathankoat) બામિયાલ સેક્ટરમાં એક પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું છે. આ ડ્રોન બામિયાલ સેક્ટરના ડિંડા પોસ્ટ પર રવિવારે સવારે 6 વાગ્યે 10 મિનિટ પર દેખાયું હતું.
પઠાણકોટના (Pathankoat) બામિયાલ સેક્ટરમાં એક પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું છે. આ ડ્રોન બામિયાલ સેક્ટરના ડિંડા પોસ્ટ પર રવિવારે સવારે 6 વાગ્યે 10 મિનિટ પર દેખાયું હતું. BSFના જવાનોએ જેવું ડ્રોનને જોયું તેવું જ તેના પર ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. ફાયરિંગ બાદ ડ્રોન પાકિસ્તાન પરત ફર્યું હતું. BSFએ આખા વિસ્તારમાં સર્ચ અભિયાન હાથ ધર્યું છે.
કોઈ હથિયાર અથવા અન્ય સામગ્રી છોડવા માટે આ તરફ ડ્રોન મોકલવામાં આવ્યો હતું કે કેમ તેની શોધખોળ ચાલુ છે. અથવા તેનો હેતુ ફક્ત તે તપાસવાનો હતો કે બીએસએફ એલર્ટ પર છે કે નહીં. સરહદ પર આ પ્રકારની પહેલી ઘટના નથી. પંજાબમાં બોર્ડર પર આવી ઘટનાઓ સતત બની રહી છે.
ચોકીના પ્રભારી તરસેમસિંહે સ્થાનિક લોકોને અપીલ કરી છે કે તેઓ દરેક શંકાસ્પદ પ્રવૃત્તિ અથવા વ્યક્તિ પર નજર રાખે. જો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ છે કે શંકાસ્પદ છે તો પોલીસને તાત્કાલિક જાણ કરો. તે જ સમયે, એસએસપી પઠાણકોટ ગુલનીતસિંહ ખુરાનાએ જણાવ્યું હતું કે, બમિયાલ ક્ષેત્ર પાકિસ્તાનની નિકટતાને કારણે સંવેદનશીલ છે. પોલીસ અને BSF સુરક્ષા તંત્રને મજબૂત રાખવા માટે દરેક સમયે સતર્ક રહે છે.
જમ્મુ-કાશ્મીરના પોલીસ મહાનિદેશક દિલબાગસિંહે શનિવારે કહ્યું હતું કે, કેન્દ્ર શાસિત ક્ષેત્રમાં આશરે 200 આતંકવાદીઓ સક્રિય છે. ગુપ્ત માહિતી અનુસાર, અન્ય 250 આતંકીઓ સરહદ પાર આવેલા આતંકવાદી મથકોથી ઘૂસણખોરી કરવાની તૈયારીમાં છે.
સિંહે પાકિસ્તાન તરફ ઇશારો કરતાં કહ્યું કે સુરક્ષા દળો જમ્મુ-કાશ્મીરમાં અશાંતિ પેદા કરવા માટે પડોશી દેશના નકારાત્મક ઇરાદાઓને નિષ્ફળ બનાવવા માટે સંપૂર્ણ સજ્જ છે અને તૈયાર છે. જમ્મુના પોલીસ મુખ્યાલય ખાતે યોજાનારી રમતગમત સ્પર્ધાના ઉદઘાટન કરતા પહેલા ડીજીપીએ કહ્યું કે, 28 જૂનથી શરૂ થનારી અમરનાથ યાત્રા માટે તમામ જરૂરી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે.