ટ્રેનમાં મુસાફરે એક કપ ચાના આપ્યા 70 રૂપિયા, બિલનો ફોટો થયો વાયરલ

ભારતીય રેલ્વેને (Indian Railway) પરિવહનનું સસ્તું માધ્યમ માનવામાં આવે છે. પરંતુ હવે એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક પ્રવાસી પાસેથી 20 રૂપિયાની ચાના કપ માટે 70 રૂપિયા લેવામાં આવ્યા છે.

ટ્રેનમાં મુસાફરે એક કપ ચાના આપ્યા 70 રૂપિયા, બિલનો ફોટો થયો વાયરલ
Indian Railway (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2022 | 6:29 PM

ભારતીય રેલ્વેને (Indian Railways) પરિવહનનું સસ્તું માધ્યમ માનવામાં આવે છે. પરંતુ હવે એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં 20 રૂપિયાની કિંમતની ચાના કપ માટે યાત્રી (Railway Passengers) પાસેથી 70 રૂપિયા વસુલવામાં આવ્યા છે. બાલગોવિંદ વર્મા નામના વ્યક્તિએ બિલનો ફોટો ટ્વિટર (Twitter) પર શેર કર્યો છે. દિલ્હી અને ભોપાલ વચ્ચે ચાલતી ભોપાલ શતાબ્દી એક્સપ્રેસમાં મુસાફરી દરમિયાન તેણે ચાનો ઓર્ડર આપ્યો હતો. બિલમાં ઉલ્લેખ છે કે એક કપ ચાની કિંમત 20 રૂપિયા હતી. પરંતુ આ ઉપરાંત વર્મા પાસેથી સર્વિસ ફી તરીકે 50 રૂપિયા લેવામાં આવ્યા હતા, જેના કારણે માત્ર એક કપ ચાની કિંમત 70 રૂપિયા સુધી પહોંચી ગઈ હતી.

પ્રવાસીએ બિલ ટ્વીટ કર્યું

બિલનો ફોટો શેર કરતા તેણે પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું કે 20 રૂપિયાની ચા પર 50 રૂપિયા ટેક્સ. મારા દેશનું અર્થશાસ્ત્ર ખરેખર બદલાઈ ગયું છે. અત્યાર સુધી, માત્ર ઇતિહાસ બદલાયો હતો.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

ટ્વિટર યુઝર્સે તરત જ તેમને કહ્યું કે 50 રૂપિયા ટેક્સ નથી. તેના બદલે સર્વિસ ચાર્જ છે. જોકે, સર્વિસ ચાર્જથી પેસેન્જરને નવાઈ લાગી શકે છે. પરંતુ, વર્ષ 2018માં ભારતીય રેલ્વે દ્વારા જાહેર કરાયેલા એક પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે જો મુસાફર એક્સપ્રેસમાં રિઝર્વેશન કરતી વખતે ફૂડ બુક નહીં કરાવે તો, તેમને પ્રવાસ દરમિયાન ભોજન બુક કરાવતી વખતે 50 રૂપિયાનો સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે.

પહેલા ભોજનની કિંમત ટિકિટના ચાર્જમાં સામેલ હતી

અગાઉ શતાબ્દી અને રાજધાની જેવી ટ્રેનોમાં ભોજનનો ખર્ચ ટિકિટ ચાર્જમાં સામેલ હતો. જો કે, આ પછી મુસાફરોને તેમની મુસાફરી માટે અલગ ભોજન બુક કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો.

પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ મુસાફરે ટિકિટ બુક કરાવતી વખતે કેટરિંગ સેવાનો વિકલ્પ પસંદ ન કર્યો હોય અને ટ્રેનમાં મુસાફરી કરતી વખતે ભોજન ખરીદવાનું નક્કી કર્યું હોય, તો તેણે પ્રતિ મીલ 50 રૂપિયાની વધારાની રકમ ચૂકવવી પડશે. આ ભોજન માટે સૂચિત કેટરિંગ શુલ્ક ઉપરાંત હશે અને IRCTC ના બોર્ડ સુપરવાઈઝર દ્વારા વસૂલવામાં આવશે.

આ સિવાય તમને જણાવી દઈએ કે 1 જુલાઈ 2022થી પશ્ચિમ રેલવેની 300 થી વધુ ટ્રેનોમાં અનરિઝર્વ્ડ ટિકિટ સાથે મુસાફરી કરવાની સુવિધા પુનઃસ્થાપિત કરવામાં આવી રહી છે. પશ્ચિમ રેલ્વે 1 જુલાઈથી અહીંથી શરૂ થનારી તમામ ટ્રેનોમાં બીજા વર્ગના કોચને બિનઅનામત સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરશે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">