આધાર કાર્ડ સાથે જોડાયેલી દરેક સમસ્યાનો ઉકેલ આપશે UIDAI, શરૂ કરી આ નવી સુવિધા
યુઆઈડીએઆઇએ આધાર કાર્ડને લગતી દરેક સમસ્યાને દૂર કરવા માટે ચાર રાજ્યોમાં નવી સુવિધા શરૂ કરી છે. વાસ્તવમાં યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ એક Facebook પેજ શરૂ કર્યું છે.
યુઆઈડીએઆઇએ આધાર કાર્ડને લગતી દરેક સમસ્યાને દૂર કરવા માટે ચાર રાજ્યોમાં નવી સુવિધા શરૂ કરી છે. વાસ્તવમાં યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ એક Facebook પેજ શરૂ કર્યું છે. જેના પર તમે સંદેશ મોકલીને તમારા પ્રશ્નોના જવાબો મેળવી શકો છો. યુઆઇડીએઆઇએ ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી છે.
#AadhaarROsOnFacebookTo get direct answers to your queries related to #Delhi, #MadhyaPradesh,#Rajasthan & #Uttarakhand regions, message us on our Facebook page. Follow Aadhaar RO Delhi page https://t.co/JRepB6JxCr #askaadhaar #aadhaarcare #aadhaartwitter #aadhaarsupport pic.twitter.com/nypyiDrQdc
— Aadhaar (@UIDAI) March 15, 2021
ભારતમાં, આધાર એ સામાન્ય માણસની ઓળખ અને આવશ્યકતા બંને છે. જે તમારા બેંક એકાઉન્ટથી તમારા પાન સુધી દરેક જગ્યાએ કાર્ય કરે છે. અમુક સમયે, સુરક્ષા અને અન્ય કારણોને લીધે પણ આપણે તેને સુધારાવવાની જરૂર છે. આવી સ્થિતિમાં યુઆઈડીએઆઈ એટલે કે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા લોકોને ઘણી સુવિધાઓ પૂરી પાડી રહી છે જેથી કોઈ પણ ફેરફાર સરળતાથી કરી શકાય. આ આયોજન હેઠળ યુઆઈડીએઆઈએ એક સુવિધા શરૂ કરી છે, જેના દ્વારા તમે સરળતાથી ઘરેથી આધારકાર્ડ સંબંધિત તમામ પ્રશ્નોના જવાબો મેળવી શકો છો.
આધાર કાર્ડનું ફેસબુક પેજ ચાર રાજ્યોમાં શરૂ કરાયું
ઉલ્લેખનીય છે કે, આધારકાર્ડ ધારકોની સુવિધા માટે યુઆઈડીએઆઈએ ચાર રાજ્યો, દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરાખંડમાં Facebook પેજ શરૂ કર્યું છે. આ પેજ પર તમે આધાર કાર્ડ સંબંધિત પ્રશ્નોના જવાબો મેળવવા માટે એક સંદેશ મોકલી શકાય છે. મહત્વનું છે કે આ ફેસબુક પેજની પ્રાદેશિક કચેરી દિલ્હી જ રહેશે. આ સંદર્ભે યુઆઈડીએઆઇએ તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટથી પણ માહિતી આપી છે.
યુઆઈડીએઆઈ દરેક સવાલોના જવાબ આપશે
યુઆઈડીએઆઈના Facebook પૃષ્ઠ પર જવા માટે https://facebook.com/Aadhaar-RO-Delhi-103164305146104 પર ક્લિક કરો. એટલે કે જો તમને આધાર સંબંધિત કોઈ માહિતી અથવા તેનાથી સંબંધિત કોઈપણ પ્રશ્નોના જવાબ, મોબાઇલ નંબર, ઓટીપી અથવા આધારકાર્ડમાંની કોઈ અન્ય માહિતી જોઈતી હોય, તો તમે આ ફેસબુક પેજ પર જઈ શકો છો. દરેક સવાલનો જવાબ યુઆઇડીએઆઇ દ્વારા આપવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે અગાઉ આ ફેસબુક પેજ ચંદીગઠ પંજાબ, જમ્મુ-કાશ્મીર, હરિયાણા, લદાખ અને હિમાચલ પ્રદેશમાં પણ શરૂ કરવામાં આવ્યું છે.