UIDAI એ ઈ-મેલ આઈડીને આધાર સાથે લિંક કરવાની આપી સલાહ, મળશે ઘણા ફાયદા

આની મદદથી તમારા આધારનો ક્યાં ઉપયોગ થઈ રહ્યો છે તે જાણવું સરળ થઈ જશે. તેનાથી ગુનાખોરીને મહદઅંશે રોકી શકાય છે. આનાથી આધાર ધારકોના બેંક ખાતામાંથી છેતરપિંડી થવાની શક્યતા ઘટી જશે.

UIDAI એ ઈ-મેલ આઈડીને આધાર સાથે લિંક કરવાની આપી સલાહ, મળશે ઘણા ફાયદા
Symbolic ImageImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2022 | 4:37 PM

UIDAI સુરક્ષા અને સુવિધા માટે આધાર કાર્ડ (Aadhaar Card) ધારકોને આધાર અપડેટ કરવાની સલાહ આપી રહ્યું છે. હવે UIDAIએ મેલ આઈડી (Mail Id) સાથે આધાર કાર્ડ અપડેટ કરવાની સલાહ આપવામાં આવે છે. આની મદદથી તમારા આધારનો ક્યાં ઉપયોગ થઈ રહ્યો છે તે જાણવું સરળ થઈ જશે. તેનાથી ગુનાખોરીને મહદઅંશે રોકી શકાય છે. આનાથી આધાર ધારકોના બેંક ખાતામાંથી છેતરપિંડી થવાની શક્યતા ઘટી જશે.

UIDAIએ એક ટ્વીટમાં કહ્યું કે જો આધાર ધારકો તેમના ઈ-મેલ આઈડીને આધાર સાથે લિંક કરશે તો તેમને ઘણો ફાયદો થશે. જ્યારે પણ આધાર નંબરનો ઉપયોગ કોઈપણ જગ્યાએ ઉપયોગ માટે કરવામાં આવે છે, ત્યારે વપરાશકર્તાને તેની માહિતી તે જ સમયે મળી જશે. ક્યાંય પણ આધારનો ઉપયોગ થવા પર તેને ઓથેંટિકેટ કરવામાં આવશે, એકવાર ઈ-મેલ આઈડી આધાર સાથે લિંક થઈ જાય, ત્યારે તમને ઈ-મેલ પર એક મેસેજ મળશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

જો તમે ઈમેલ આઈડીને તમારા આધાર સાથે લિંક કરો છો, તો ઈમેલ આઈડી સાથે આધારને અપડેટ કર્યા બાદ એ જાણવું સરળ થઈ જશે કે તમારા આધારનો ઉપયોગ કોઈ ક્રાઈમ માટે તો નથી થઈ રહ્યો. આ સાથે, જ્યાં પણ તમારા આધારનો ઉપયોગ થશે, તમને તેની માહિતી મળશે. જણાવી દઈએ કે સાયબર ગુનેગારો આધારનો દુરુપયોગ કરીને નાણાકીય છેતરપિંડી કરી રહ્યા છે. ગુનાહિત પ્રવૃત્તિઓમાં પણ આધારનો મોટાપાયે ઉપયોગ થઈ રહ્યો છે. આ અપરાધને રોકવા માટે UIDAI આ સલાહ આપી રહી છે.

આ રીતે લિંક કરો ઈમેલ આઈડી

તમારા ઈ-મેલ આઈડીને આધાર કાર્ડમાં અપડેટ કરવા અને લિંક કરવા માટે તમારે નજીકના આધાર કેન્દ્રની મુલાકાત લેવી પડશે. તમે ઘરે બેસીને આ કરી શકશો નહીં. તમને નજીકના આધાર કેન્દ્ર વિશે માહિતી https://bhuvan.nrsc.gov.in/aadhaar/ પર મળશે.

આ પહેલા UIDAIએ કહ્યું હતું કે જો તમારી પાસે 10 વર્ષ પહેલા બનેલું આધાર કાર્ડ છે, તો તેને અપડેટ કરો. UIDAIએ આધાર કાર્ડ ધારકોને ઓળખના પુરાવા અને સરનામાના પુરાવા સાથે સંબંધિત દસ્તાવેજો અપડેટ કરવાની પણ સલાહ આપી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">