Twitter એ દિલ્હી હાઇકોર્ટમાં આપી માહિતી, કહ્યું ફરિયાદ અધિકારી નિયુક્ત કરવાના અંતિમ તબક્કામાં

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્વિટર કંપનીના વૈશ્વિક કાનૂની નીતિ નિયામક અને યુએસ નાગરિક જેરેમી કેસલને ભારતમાં ફરિયાદ અધિકારી તરીકે નિયુક્ત કરશે. જો કે નવા નિયમો અનુસાર આ પદ પર ફક્ત ભારતીય નાગરિકોની નિમણૂક થવી જોઈએ.

Twitter એ દિલ્હી હાઇકોર્ટમાં આપી માહિતી, કહ્યું ફરિયાદ અધિકારી નિયુક્ત કરવાના અંતિમ તબક્કામાં
Twitter એ દિલ્હી હાઇકોર્ટમાં આપી માહિતી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2021 | 5:06 PM

દેશમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર ટૂંક સમયમાં ફરિયાદ અધિકારીની નિમણૂક કરશે. આ માહિતી આપતા કંપનીએ દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું છે કે તે ફરિયાદ અધિકારીની નિમણૂકના અંતિમ તબક્કામાં છે.નવા આઇટી કાયદાનું પાલન કરવાની માંગને લઇને અરજદાર અમિત આચાર્યની અરજીમાં ટ્વિટરે દ્વારા નવા આઇટી(IT)  કાયદાનું પાલન કરવાની માંગ કરવામાં આવી છે.  સોગંદનામામાં ટ્વિટરએ કહ્યું છે કે ટ્વિટર વિરુદ્ધ દાખલ કરેલી અરજીની સુનાવણી થઈ શકે નહીં. કેમ કે તે યુએસએમાં નોંધાયેલ કંપની છે.આ અગાઉ ભારતમાં નિયુક્ત વચગાળાના ફરિયાદ અધિકારીએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું.

નવા ફરિયાદ અધિકારીની નિમણૂકના અંતિમ તબક્કામાં

દેશના નવા આઇટી(IT)  નિયમો હેઠળ ભારતીય યુઝર્સની ફરિયાદો પર કાર્યવાહી કરવા માટે મોટી સોશિયલ મીડિયા કંપનીઓમાં ફરિયાદ અધિકારીની નિમણૂક કરવી જરૂરી છે.ત્યારે ટ્વિટર દ્વારા ધર્મેન્દ્ર ચતુરને વચગાળાના ફરિયાદ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જો કે તેમણે 21 જૂને તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેની બાદ ટ્વિટરનું કહેવું છે કે તે નવા ફરિયાદ અધિકારીની નિમણૂકના અંતિમ તબક્કામાં છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

જેરેમી કેસલ નવા અધિકારી હોઈ શકે છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્વિટર કંપનીના વૈશ્વિક કાનૂની નીતિ નિયામક અને યુએસ નાગરિક જેરેમી કેસલને ભારતમાં ફરિયાદ અધિકારી તરીકે નિયુક્ત કરશે. જો કે નવા નિયમો અનુસાર આ પદ પર ફક્ત ભારતીય નાગરિકોની નિમણૂક થવી જોઈએ. આ અગાઉ ચતુરે એવા સમયે રાજીનામું આપ્યું હતું જ્યારે સોશિયલ મીડિયાના નવા નિયમોને લઈને ટ્વિટર પર સરકાર દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે. સરકારે આ નવા નિયમોનું ઇરાદાપૂર્વક પાલન ન કરવા અંગે ટ્વિટરની ટીકા કરી છે.

નવા નિયમો 25મેથી અમલમાં આવ્યા

ભારતના આઇટીના નવા નિયમો 25 મેથી અમલમાં છે. તેમજ વધારાના સમયની સમાપ્તિ પછી પણ ટ્વિટર દ્વારા જરૂરી અધિકારીઓની નિમણૂક કરવામાં ન આવતાં તેણે ભારતમાં મધ્યસ્થ ડિજિટલ પ્લેટફોર્મને અપાતો કાનૂની સંરક્ષણનો અધિકાર ગુમાવ્યો છે.નવા નિયમો હેઠળ ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવા મોટા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર વધારાના પગલા લેવાની જરૂર રહેશે. આમાં ભારતમાં મુખ્ય અનુપાલન અધિકારી, નોડલ અધિકારી અને ફરિયાદ અધિકારીની નિમણૂક વગેરેનો સમાવેશ થાય છે.

ટ્વિટરે કાનૂની સંરક્ષણ ગુમાવી દીધું

ટ્વિટરે 5 જૂને સરકારે જાહેર કરેલી અંતિમ નોટિસના જવાબમાં કહ્યું હતું કે તે નવા નિયમોનું પાલન કરવા માંગે છે અને ટૂંક સમયમાં ચીફ કમ્પ્લાયન્સ ઓફિસરની નિમણૂકની વિગતો શેર કરશે. આ દરમ્યાન તેમણે ભારત માટે વચગાળાના ફરિયાદ અધિકારી તરીકે ચતુરની નિમણૂક કરી હતી.સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર નવા નિયમોનું પાલન ન કરવાને કારણે ટ્વિટરે કાનૂની સંરક્ષણ ગુમાવી દીધું છે. હવે પ્લેટફોર્મની કોઈપણ સામગ્રી માટે જવાબદાર હોવાથી તેની સામે કાનૂની કાર્યવાહી થઈ શકે છે.

આ પણ વાંચો : Shrinathji Temple Nathdwara : 7 જુલાઈથી ખુલશે શ્રીનાથજીનુ મંદિર, કોણ કરી શકશે દર્શન ? 

આ પણ વાંચો : કોરોનાના કેસ ઘટતા, ગુજરાતમાં શાળા અને કોલેજ શરૂ કરવા સરકારની વિચારણા

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">