ટેલિકોમ મંત્રાલયે BSNL-MTNLને આપ્યો નિર્દેશ, ચીની ઉપકરણોનો ઉપયોગ બંધ કરો
લદાખની ગલવાન ઘાટી પર ચીન દાવો કરી રહ્યું છે અને ત્યાં થયેલી હિંસક ઝડપમાં ભારતીય સૈનિકો શહીદ થયા છે. આ ઘટના બાદ દેશભરમાં ચીન સામે અને ચીનની વસ્તુઓ સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. એવી જાણકારી મળી રહી છે કે ટેલિકોમ મંત્રાલયે BSNLને નિર્દેશ આપ્યો છે કે ટેક્નોલોજીમાં ચીની કંપનીઓની ઉપયોગિતા ઓછી કરે. જો […]
લદાખની ગલવાન ઘાટી પર ચીન દાવો કરી રહ્યું છે અને ત્યાં થયેલી હિંસક ઝડપમાં ભારતીય સૈનિકો શહીદ થયા છે. આ ઘટના બાદ દેશભરમાં ચીન સામે અને ચીનની વસ્તુઓ સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. એવી જાણકારી મળી રહી છે કે ટેલિકોમ મંત્રાલયે BSNLને નિર્દેશ આપ્યો છે કે ટેક્નોલોજીમાં ચીની કંપનીઓની ઉપયોગિતા ઓછી કરે. જો કોઈ બિંડીંગ હોય તો તેનો ફરીથી વિચાર કરવામાં આવે.
આ પણ વાંચો : પુલવામામાં અને ઉરી પર યોજાયેલી બેઠકથી કેમ અલગ છે ભારત-ચીન વિવાદની સર્વદલીય બેઠક?
એવું પણ રિપોર્ટસના આધારે જાણવા મળ્યું છે કે ભારત સરકારના સંચાર મંત્રાલયે ખાનગી કંપનીઓને કહ્યું છે કે તેઓ પણ ચીનની નિર્ભરતા પર વિચાર કરે છે અને યોગ્ય નિર્ણય લે. કંપનીઓને નિર્દેશ આપવામાં આવ્યો છે કે 4G ટેક્નોલોજીના અપગ્રેડેશનમાં ચીનની કંપનીઓનો સહયોગ ના લે. ઉલ્લેખનીય છે કે ચીન સામે ભારતના લોકોમાં ગુસ્સો છે અને ચીનના સામાન પર પ્રતિબંધ લગાવવા માગણી કરવામાં આવી રહી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો