દરેકને મુંઝવતો સવાલ, શું 5G આવ્યા પછી 4G સ્માર્ટફોન નકામો થઈ જશે? જાણો શું કહે છે નિષ્ણાતો

Jio પાસે 50 ટકાથી વધુ સ્પેક્ટ્રમ છે. રિલાયન્સે કુલ 24,740Mhz સ્પેક્ટ્રમ ખરીદ્યું છે. ભારતી એરટેલે 19867Mhz સ્પેક્ટ્રમ ખરીદ્યું છે. ત્યારે આ બધાની વચ્ચે એક મોટો સવાલ સામે આવી રહ્યો છે કે શું 5G લોન્ચ થયા પછી 4G ફોન નકામા થઈ જશે ? ચાલો જાણીએ.

દરેકને મુંઝવતો સવાલ, શું 5G આવ્યા પછી 4G સ્માર્ટફોન નકામો થઈ જશે? જાણો શું કહે છે નિષ્ણાતો
5G In IndiaImage Credit source: TV9 Digital
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2022 | 1:37 PM

બે વર્ષ સુધી લાંબા ટ્રાયલ રન બાદ આખરે દેશમાં 5G સ્પેક્ટ્રમ (5G Spectrum)ની હરાજી કરવામાં આવી છે. દેશમાં ત્રણ કંપનીઓએ મહત્તમ સ્પેક્ટ્રમ ખરીદ્યું છે. અદાણી ડેટા નેટવર્ક નવી કંપની તરીકે જોડાઈ છે. 5G માટે કુલ રૂ. 1,50,173 કરોડના સ્પેક્ટ્રમની હરાજી કરવામાં આવી છે, જેમાં એકલા રિલાયન્સ જિયો (Jio)એ 88,078 કરોડનું સ્પેક્ટ્રમ ખરીદ્યું છે એટલે કે Jio પાસે 50 ટકાથી વધુ સ્પેક્ટ્રમ છે. રિલાયન્સે કુલ 24,740Mhz સ્પેક્ટ્રમ ખરીદ્યું છે. રિલાયન્સે એ પણ ધ્યાન દોર્યું છે કે Jioની 5G સેવા 15 ઓગસ્ટે (5G In India) શરૂ થઈ શકે છે.

ભારતી એરટેલે 19867Mhz સ્પેક્ટ્રમ ખરીદ્યું છે. ત્યારે વોડાફોન-આઇડિયાએ 6228Mhz સ્પેક્ટ્રમ ખરીદ્યું છે. આ બધાની વચ્ચે એક મોટો સવાલ સામે આવી રહ્યો છે કે શું 5G લોન્ચ થયા પછી 4G ફોન નકામા થઈ જશે ? આ મુદ્દે એક મીડિયા અહેવાલ અનુસાર ટેક્નોલોજી ક્ષેત્રના નિષ્ણાતોનો શું અભિપ્રાય છે? ચાલો જાણીએ.

તમારા ફોનમાં 5G ના કેટલા બેન્ડ સપોર્ટેડ છે?

છેલ્લા બે વર્ષથી ભારતીય બજારમાં 5G ફોન લોન્ચ થઈ રહ્યા છે. ઘણા સ્માર્ટફોનની લાઈફ પણ 5G નેટવર્કની રાહ જોવામાં સમાપ્ત થઈ ગઈ છે, જોકે હવે 5G લૉન્ચ થવા માટે તૈયાર છે. તમારામાંથી ઘણા લોકો પાસે 5G ફોન પણ હશે, પરંતુ એ જરૂરી નથી કે તમને તમારા ફોનમાં બેસ્ટ 5G અનુભવ મળે. બેસ્ટ 5G અનુભવ માટે તમારા ફોનના 5G બેન્ડ જવાબદાર છે. તમારા ફોનમાં 5G બેન્ડની સંખ્યા જેટલી વધારે હશે, તમારો અનુભવ એટલો જ સારો રહેશે. જો કે આજકાલ તમામ કંપનીઓએ તેમના ફોનમાં 5G બેન્ડના નંબર વિશે માહિતી જાહેર કરવાનું શરૂ કરી દીધું છે, પરંતુ જો તમને ખબર નથી, તો તમે એપની મદદથી તમારા ફોનમાં સપોર્ટેડ 5G બેન્ડની સંખ્યા જાણી શકો છો.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

નિષ્ણાતો શું કહે છે?

મીડિયા અહેવાલ અનુસાર નિષ્ણાત કહેવું છે કે, 5G આવ્યા પછી તમારો 4G ફોન નકામો નહીં રહે. 5G નું આગમન એ માત્ર કોમ્યુનિકેશન નેટવર્કનું અપગ્રેડ છે. શરૂઆતમાં, તે ફક્ત 4G નેટવર્ક પર નિર્ભર રહેશે. તેથી તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમારો 4G ફોન નકામો નહીં થાય, પરંતુ હકીકત એ છે કે તમે 4G ફોન પર 5G નેટવર્ક સ્પીડનો આનંદ માણી શકશો નહીં. આ ફેરફાર 3G થી 4G થી ઘણો અલગ છે. આવી સ્થિતિમાં 4G નેટવર્ક આટલી જલ્દી ખતમ થવાનું નથી.

સાયબર મીડિયા રિસર્ચ (CMR)ના ઈન્ડસ્ટ્રી ઈન્ટેલિજન્સ ગ્રૂપના વડા પ્રભુ રામ અનુસાર, આ ફેરફાર દેશમાં 5Gના ભવિષ્ય વિશે છે અને આ ફેરફાર ચોક્કસપણે 5G સપોર્ટવાળા ફોનના લાઈફમાં પરિવર્તન લાવશે. 5G લોન્ચ થયા પછી પણ 4Gનું વર્ચસ્વ ચાલુ રહેશે. વાસ્તવમાં, 5G આવ્યા પછી, 4G નેટવર્કની સ્પીડ સારી રહેશે અને તેનું પ્રદર્શન પણ સુધરશે. 5G કવરેજને સર્વવ્યાપક બનાવવામાં લાંબો સમય લાગશે.

જાણીતા ટેક એક્સપર્ટએ એક મીડિયા પ્રકાશનના સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, જેમ 4Gના 6 વર્ષ પછી પણ 3G સંપૂર્ણપણે ખતમ નથી થયું, તેવી જ રીતે 5G લોન્ચ થયા પછી પણ 4G સમાપ્ત થશે નહીં અને ન તો તમારો 4G ફોન નકામો થશે. જો તમારા ફોનમાં 5G સપોર્ટ છે તો તે સારી વાત છે અને જો તે ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી કારણ કે 4Gનું ભવિષ્ય હજુ લાંબુ છે.

તેથી ઉપરોક્ત ત્રણેય નિષ્ણાતોના અભિપ્રાય પછી, આપણે એક નિષ્કર્ષ પર આવીએ છીએ કે 5G ના લોન્ચ સાથે 4G સ્માર્ટફોન નકામા થશે નહીં. આવી સ્થિતિમાં, જો તમારી પાસે 4G ફોન છે, તો પછી ઉત્સાહિત થઈને 5G ફોનમાં રોકાણ કરવાની કોઈ ખાસ જરૂર નથી. બાય ધ વે, જો તમે 5G નેટવર્કનો આનંદ માણવા માંગતા હોવ તો તે તમારી સ્વતંત્ર ઇચ્છા છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">