Tech Tips: Facebook ડિએક્ટિવેટ અને ડિલીટ કરવાની સૌથી સરળ રીત, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

જો તમે ફેસબુક (Facebook) વપરાશકર્તા છો અને કોઈપણ કારણસર Facebook નો ઉપયોગ કરવા માંગતા નથી, તો તમે તમારું Facebook એકાઉન્ટ ડીએક્ટિવેટ અથવા કાઢી શકો છો. અહીં અમે તમને Facebook એકાઉન્ટને ડીએક્ટિવેટ અને ડિલીટ કરવાની રીત જણાવીશું.

Tech Tips: Facebook ડિએક્ટિવેટ અને ડિલીટ કરવાની સૌથી સરળ રીત, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Symbolic ImageImage Credit source: Freepik
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 21, 2022 | 8:29 AM

ફેસબુક (Facebook)વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. સમગ્ર વિશ્વમાં લગભગ 2.93 અબજ લોકો ફેસબુકનો ઉપયોગ કરે છે. ત્યારે વિશ્વમાં ફેસબુકનો સૌથી વધુ ઉપયોગ ભારતમાં થાય છે. ભારતમાં ફેસબુકના લગભગ 33 કરોડ યુઝર્સ છે. ફેસબુકના માલિક માર્ક ઝકરબર્ગે પોતાની બ્રાન્ડને નવો રંગ આપવા માટે કંપનીનું નામ બદલીને મેટા (Meta)કરી દીધું છે. જો તમે Facebook વપરાશકર્તા છો અને કોઈપણ કારણસર Facebook નો ઉપયોગ કરવા માંગતા નથી, તો તમે તમારું Facebook એકાઉન્ટ ડીએક્ટિવેટ અથવા કાઢી શકો છો. અહીં અમે તમને Facebook એકાઉન્ટને ડીએક્ટિવેટ અને ડિલીટ કરવાની રીત જણાવીશું.

જો તમે Facebook ડીએક્ટિવેટ કરો તો શું થશે?

ફેસબુક એકાઉન્ટને ડીએક્ટિવેટ કર્યા પછી, તમારી ટાઈમલાઈન, પોસ્ટ, ફોટા, ફ્રેન્ડ લિસ્ટ અને તેના વિશેની માહિતી હાઈડ કરવામાં આવે છે. માત્ર તમારા દ્વારા મોકલેલા મેસેજ જ જોઈ શકાશે. ડીએક્ટિવેટ કર્યા પછી પણ, ફેસબુક પર તમારી બધી માહિતી સાચવવામાં આવે છે. જ્યારે પણ તમે ફેસબુક એકાઉન્ટને ફરીથી એક્ટિવ કરો છો, ત્યારે તમારો ડેટા તમારા માટે સુરક્ષિત રીતે ઉપલબ્ધ રહેશે.

ફેસબુક કેવી રીતે ડીએક્ટિવેટ કરવું

જો તમે ફેસબુક એકાઉન્ટને ડીએક્ટિવેટ કરવા માંગો છો, તો અહીં જણાવેલ સ્ટેપ્સને ફોલો કરો.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

કમ્પ્યુટર અથવા લેપટોપ પર તમારું ફેસબુક એકાઉન્ટ ખોલો ઉપર જમણી બાજુએ ત્રિકોણ પર ક્લિક કરો. અહીંથી “Settings” પર જાઓ. ડાબી બાજુએ “Your Facebook Information” પર ક્લિક કરો. તે પછી “Deactivation and Deletion” પર ક્લિક કરો. અહીંથી “Deactivation and Deletion” પસંદ કરો. પછી “Continue to Account Deactivation” પર ક્લિક કરો અને પુષ્ટિ કરવા માટે સૂચનાઓને અનુસરો. જો તમે પછીથી ફેસબુકનો ઉપયોગ કરવા માંગો છો, તો તમારે ફક્ત તમારા એકાઉન્ટમાં લૉગિન કરવાનું છે.

ફેસબુક ડિલીટ કરશો તો શું થશે?

ફેસબુક એકાઉન્ટને ડિલીટ કરવું તેને ડીએક્ટિવેટ કરવા કરતાં સંપૂર્ણપણે અલગ છે. એકવાર તમે ફેસબુક એકાઉન્ટ ડિલીટ કરી દો, પછી તમે તે એકાઉન્ટની કોઈપણ વિગતો ફરીથી જોઈ શકશો નહીં. એટલા માટે ફેસબુક તમારું એકાઉન્ટ તરત જ ડિલીટ કરતું નથી. એકાઉન્ટ ડિલીટ કરવામાં કંપની 90 દિવસ સુધીનો સમય પણ લઈ શકે છે. ડિલીટ કર્યા પછી ફેસબુકમાંથી તમામ ડેટા ખતમ થઈ જાય છે.

ફેસબુક કેવી રીતે ડિલીટ કરવું

“Delete Your Account” પેજ પર જાઓ. નીચે જમણી બાજુએ જાઓ અને “Delete Account” પર ક્લિક કરો. આ દરમિયાન, તમે તમારો Facebook ડેટા ડાઉનલોડ કરી શકો છો. અહીંથી ફેસબુકને તમારું એકાઉન્ટ ડિલીટ કરવાની વિનંતી મળે છે. જોકે, ફેસબુક યુઝર્સના એકાઉન્ટને ડિલીટ કરવામાં થોડો સમય લાગે છે. એકાઉન્ટ ડિલીટ કરવામાં કંપની 90 દિવસ સુધીનો સમય પણ લઈ શકે છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">