ટ્વિટરના વર્તનથી નારાજ ભારત લાવશે સોશિયલ મીડિયા માટે નવા નિયમો, જાણો શું હશે આ નિયમો

નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ ચાલી રહેલા ખેડુતોના આંદોલન દરમિયાન કેટલાક ટ્વીટ્સને સરકારે દૂર કરવા આદેશ આપ્યો હતો. ટ્વિટરે સરકારના આદેશનું પાલન કરવાની ના કહ્યા બાદ હવે સરકાર સોશિયલ મીડિયા માટે નવા નિયમો લાવવાના મૂડમાં છે.

ટ્વિટરના વર્તનથી નારાજ ભારત લાવશે સોશિયલ મીડિયા માટે નવા નિયમો, જાણો શું હશે આ નિયમો
સોશિયલ મીડિયા પોલીસી
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 25, 2021 | 11:50 AM

ટ્વિટર સાથેના વિવાદથી નારાજ ભારત હવે સોશિયલ મીડિયા કંપનીઓને નિયંત્રણમાં રાખવા નવા નિયમો લાવવાની તૈયારી કરી રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરાયેલા નવા નિયમોના ડ્રાફ્ટ મુજબ, તમામ સોશ્યલ મીડિયા કંપનીઓને વિવાદિત તથ્યોને વહેલી તકે દૂર કરવા અને તપાસમાં સહયોગ આપવા દબાણ કરવામાં આવશે.

વિશ્વભરના વિવિધ દેશો દ્વારા શક્તિશાળી ટેક કંપનીઓને નિયંત્રિત કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. રકમની ચુકવણીના મુદ્દા પર ગયા અઠવાડિયે જ ફેસબુકને ઓસ્ટ્રેલિયામાં સરકાર સાથે મુકાબલો કરવો પડ્યો હતો. ફેસબુકે ઓસ્ટ્રેલિયાના તેના પ્લેટફોર્મ પર સમાચારોના પેજ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ બાદ આખી દુનિયામાં ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.

ભારતમાં પણ ત્રણ નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ ચાલી રહેલા ખેડુતોના આંદોલન દરમિયાન કેટલાક ટ્વીટ્સને સરકારે દૂર કરવા અને આવા ટ્વિટર હેન્ડલ્સ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો. ટ્વિટરે સરકારના આદેશનું પાલન ના કરવા માટે વિવિધ નિયમો ટાંકીને ના પાડી હતી. નવી દિલ્હીએ આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ન થાય તે માટે અને સોશ્યલ મીડિયા પર નિયંત્રણ રાખવા માટે સરકારે ‘ઇન્ટરમીડિયેટ ગાઇડલાઇન્સ એન્ડ ડિજિટલ મીડિયા એથિક્સ કોડ’ તૈયાર કર્યો છે. આ નિયમોથી ફેસબુક-ટ્વિટર જેવી સોશ્યલ મીડિયા કંપનીઓ સાથે નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ જેવા વેબ મનોરંજન પ્લેટફોર્મ પર નિયંત્રણ લાવવાનો માર્ગ ખુલ્યો છે.

નિયમો અનુસાર વેબ કંપનીઓએ ભારતના બહુરાષ્ટ્રવાદી અને બહુ-વંશીય સમાજને ધ્યાનમાં લેતા, કોઈ વંશીય અથવા ધાર્મિક જૂથના વિચારો સાથે સંબંધિત કોઈપણ પ્રવૃત્તિઓ, માન્યતાઓ અથવા પ્રવૃત્તિઓને કાળજીપૂર્વક અને નિષ્ઠાપૂર્વક ધ્યાનમાં લેવી પડશે. નવા નિયમોમાં વેબ સિરીઝના કન્ટેન્ટ સાથે વાય આધારિત રેટિંગ અને સલાહ ફરજીયાત થશે.

આ નિયમો અંગે ફેસબુક, ટ્વિટર અને કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક એન્ડ માહિતી ટેકનોલોજી મંત્રાલયે કોઈ ટીપ્પણી કરી નથી. આ નિયમો ક્યારે લાગુ કરવામાં આવશે તે અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જો કે સૂત્રોના જણાવ્યા મુજબ આનાથી ભારતમાં મોટી ટેક કંપનીઓની રોકાણ યોજનાઓને મોટો ફટકો પડશે.

આવા હશે કેટલાક નવા નિયમો હશે આદેશ બાદ વધુમાં વધુ 36 કલાકની અંદર વિવાદિત સામગ્રીને પ્લેટફોર્મ પરથી દૂર કરવી આવશ્યક. કોઈપણ તપાસ અથવા સાયબર સુરક્ષા ઘટનામાં રીક્વેસ્ટના 72 કલાકની અંદર માહિતી આપવી આવશ્યક. અશ્લીલ સામગ્રી અથવા વર્તન સંબંધિત પોસ્ટ્સને ફરિયાદના એક દિવસની અંદર દૂર કરવી પડશે. કંપનીઓએ મુખ્ય પાલન અધિકારી અને ફરિયાદ નિવારણ અધિકારી તૈનાત કરવાના રહેશે, જે ભારતીય નાગરિક હશે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">